Home /News /dharm-bhakti /Astro Tips : નોકરીમાંથી હાથ ધોઇ બેસશો જો ડેસ્ક પર મુકી હશે આ એક વસ્તુ, જાણી લો મોટુ રહસ્ય

Astro Tips : નોકરીમાંથી હાથ ધોઇ બેસશો જો ડેસ્ક પર મુકી હશે આ એક વસ્તુ, જાણી લો મોટુ રહસ્ય

નોકરી પર સંકટ આવવાનું કારણ આપણી પોતાની જ કેટલીક ભૂલો હોય છે

જો તમારી નોકરીમાં કોઈ સંકટ તોળાઇ રહ્યું હોય અથવા મળતાની સાથે જ નોકરીમાંથી હાથ ધોવો પડે છે, તો તમારે તમારા વર્કસ્ટેશન પર એક નજર નાખવી જોઈએ.

ક્યારેક આપણી નોકરી પર સંકટ આવવાનું કારણ આપણી પોતાની જ કેટલીક ભૂલો હોય છે, પરંતુ એવું નથી કે આપણે આ ભૂલ જાણી જોઈને કરીએ છીએ, બલ્કે તેના માટે આપણા ગ્રહો અને નક્ષત્રો જવાબદાર છે.

અહીં અમે તમને એવી જ એક ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમે તમારી નોકરી ગુમાવી શકો છો અથવા તમારું કામ બગડે છે.

આ પણ વાંચો :  ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન

જ્યોતિષાચાર્ય જણાવે છે કે જો તમે કોમ્પ્યુટર અથવા કોઈપણ ઈલેક્ટ્રોનિક કે અગ્નિ તત્વને લગતું કોઈ કામ કરો છો તો તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે ભૂલથી પણ તમારા વર્કસ્ટેશનની નજીક એક વસ્તુ ન રાખો. તે વસ્તુ છે પાણી, જો તમે તમારા વર્કસ્ટેશન પર મની પ્લાન્ટ, કાચબો અથવા શોપીસ રાખો છો, તો તમે જાતે જ તમારા ગ્રહોને વિપરીત ચાલ ચાલવા માટે મજબૂર કરો છો.

જ્યોતિષી કહે છે કે અગ્નિ તત્વમાં રાહુ અને પાણીમાં ચંદ્રનો વાસ હોય છે. પાણી અને અગ્નિ ક્યારેય સાથે રાખવામાં આવતા નથી. જ્યારે તમે તમારા વર્કસ્ટેશન પર કમ્પ્યુટરની આસપાસ પાણી રાખો છો, તો તેનો અર્થ એ છે કે તમે રાહુ અને ચંદ્રને નજીક લાવી રહ્યા છો. આ બંને ગ્રહો એકબીજાના વિરોધી છે.

આ પણ વાંચો :  સૂર્ય બાદ આ મોટો ગ્રહ પણ કરશે રાશિ પરિવર્તન, આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે મોટો બદલાવ

નોકરી પર કેમ આવે છે સંકટ


ચંદ્ર મનનો કારક છે અને જ્યારે તે રાહુના સંપર્કમાં આવે છે ત્યારે તે દોષયુક્ત બની જાય છે. આવી સ્થિતિમાં, તમારી કામ કરવાની ક્ષમતાથી લઈને વિચારવાની અને કામ કરવાની ગતિ પર અસર પડે છે. તમે માનસિક વિકૃતિઓનો શિકાર બનો છો. જો તમારી મહેનત પર પાણી ફરી વળવા લાગે તો તમે વધુ નિરાશ અને તણાવમાં આવવા લાગો છો. જ્યારે સારું કામ કરવાથી પરિણામ મળતું નથી, ત્યારે મન ચિડાઈ જાય છે અને તેની વધુ ખરાબ અસર થાય છે.


ચંદ્રને કારણે રાહુ પણ દૂષિત થાય છે અને મળે છે ખરાબ પ્રભાવ


જ્યારે ચંદ્ર પાણીની નજીક આવે છે, ત્યારે અગ્નિનું પ્રતીક રાહુ પણ દૂષિત થઈ જાય છે, જેના કારણે ગુસ્સો, ઝગડો અને ચીડિયાપણું આવવા લાગે છે અને તેની અસર તમારા કામ પર પણ પડે છે. તમારા સંબંધો બગડે. તેથી જો તમારા વર્કસ્ટેશનની નજીક પાણી હોય, તો તેને તાત્કાલિક દૂર કરો અને ભૂલથી પણ અગ્નિ તત્વ અને પાણીના તત્વને સાથે ન રાખો. માત્ર ઓફિસમાં જ નહીં પરંતુ ઘરમાં પણ આ બાબતને ધ્યાનમાં રાખો.
First published:

Tags: Astro, Astro Tips, Astrolgoy, Astrology tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો