અમદાવાદ : આજનું પંચાંગ (Aaj Nu Panchang): આજે 8 ઓગસ્ટને સોમવાર છે. આજના પંચાગ (Aaj Nu panchang) અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi) જણાવે છે. આજે બે ખૂબ અદભૂત સંયોગ રચાયા છે. આજે પવિત્રા એકાદશી (પુત્રદા એકાદશી) અને શ્રાવણ માસનો સોમવાર પણ છે. આજે સવારે 10.30 પહેલા શ્રીહરિને પવિત્રા ધરાવવા અને સંધ્યાકાળે ગાયના ઘીનો દિવો કરીને વિષ્ણુસહસ્રનામનો જાપ કરવો તેમજ બ્રાહ્મણોને દાન-દક્ષિણા અર્પણ કરવી તેમજ રાત્રિના 12.00 સુધી શ્રીમદ્ ભાગવત પુરાણનું વાંચન કરવું.
આજે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે એટલે એક પ્રકારે હરિ અને હર બેઉની પૂજાનો અવસર આપણને મળ્યો છે. શિવજીને ધતુરાનું પુષ્પ તેમજ ચંદનની અર્ચા કરવી. સાથે સાથે શિવજી સન્મુખ બેસીને શિવતાંડવ સ્તોત્રનો પાઠ કરવો. શિવ તાંડવ સ્તોત્રનો પાઠ થઈ ગયા પછી શિવજીને જળનો અભિષેક કરવો. આજે આટલું કરવાથી સર્વ પ્રકારના દોષથી મુક્તિ મળશે અને અટક્યા કાર્યો પૂર્ણ થશે.