ધર્મ ભક્તિ ડેસ્ક : 19 જુલાઈ 2022 ને મંગળવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે તિથિ વિશે થોડી ચર્ચા કરી લઈએ. કેટલીક વખત આપણે એવું જોતાં હોઈએ છીએ કે- એક જ દિવસમાં બે તિથિ આવે, એક તિથિનો ક્ષય થઈ જાય, એકની એક તિથિ બે વખત બેવડાય વગેરે શા માટે ઉદભવે છે ? પ્રત્યેક તિથિ અને યોગ સૂર્ય-ચંદ્રના અંતર અને સરવાળાથી અસ્તિત્વમાં આવે છે. દા.ત. સૂર્યોદયનો સમય સવારે 6.10નો હોય. આ સમયે અષાઢ વદ છઠની તિથિ હોય પણ આ તિથિ સવારે 7.13 મિનિટે પૂર્ણ થતી હોય અને સાતમની તિથિ બેસતી હોય તો પણ પંચાંગમાં અષાઢ વદ છઠ જ લખાય છે કારણ કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને જ લક્ષમાં લેવામાં આવે છે, તેને જ ઉદિત તિથિ કહેવામાં આવે છે.
ટૂંકમાં અહીં સૂર્યદેવનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે, સૂર્યને જે તિથિ સ્પર્શે તે જ તિથિ લક્ષમાં લેવી. વળી સવારે 7.13 મિનિટે સાતમ બેસતી હોય અને આ તિથિ રાત્રે 9.00 કલાકે અસ્ત થતી હોય અને બીજી દિવસે સૂર્યોદય સમયે અષ્ટમી હોય તો સાતમનો ક્ષય થયો કહેવાય કારણ કે આ તિથિ સૂર્યદેવને સ્પર્શતી નથી.