ધર્મ ભક્તિ ડેસ્ક : 16 જુલાઈ 2022 ને શનિવારનો (Todays Panchang) દિવસ કેવો રહેશે, કેવું છે આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આજે રાત્રે (સમય દિનવિશેષમાં જણાવ્યો છે) સૂર્યદેવ કર્ક રાશિમાં ભ્રમણ શરૂ કરશે. કર્ક રાશિ એટલે ચંદ્રની સ્વગૃહી રાશિ એટલે કે, સૂર્ય પોતાના મિત્ર ગ્રહની રાશિમાં ભ્રમણનો પ્રારંભ કરશે. આ એક સુખદ ભ્રમણ કહી શકાય. સૂર્ય જ્યારે રાશિ પરિર્તન કરે ત્યારે સંક્રાંતિ પુણ્યકાળ (સમય દિનવિશેષમાં જણાવ્યો છે) દરમિયાન દાન-પુણ્ય કરવાનું વિધાન છે. આ સમય દરમિયાન આદિત્યહૃદયનો પાઠ થાય તો ઉત્તમ. ધીમે ધીમે કોરોના ફરી માથુ ઊંચકવા લાગ્યો છે માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી પડશે. રોગપ્રતિકારક શક્તિના દાતા કેવળ સૂર્યદેવ છે માટે, સંક્રાંતિપુણ્યકાળ દરમિયાન આદિત્યહૃદયનો પાઠ કરીશું તો સૂર્યદેવ આપણું આત્મબળ અને આત્મબુદ્ધિ વધારશે જેનાથી, આપણે આરોગ્ય પ્રત્યે ગાફેલ નહીં રહીએ.
ચંદ્રમાસ – અષાઢ વદ ત્રીજ (સંકટચતુર્થી)
ચંદ્રરાશિ – કુંભ (ગ,સ,ષ,શ)
નક્ષત્ર – ધનિષ્ઠા, બપોરે 3.11થી શતતારા
યોગ – આયુષ્યમાન, રાત્રે 8.50થી સૌભાગ્ય
કરણ – વિષ્ટી, બપોરે 1.28થી બવ
બ્રહ્મમુહૂર્ત - સવારે 4.38 થી 5.21(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)