Vastu Tips : ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરશે આ 7 ઉપાય, આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓથી આપશે છૂટકારો
Vastu Tips : ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરશે આ 7 ઉપાય, આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓથી આપશે છૂટકારો
વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઊર્જા (Negative Energy)ને દૂર કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઊર્જા (Negative Energy)ને દૂર કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અપનાવીને તમે આંખના પલકારામાં તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર અનુભવી શકો છો.
Vastu Tips: દરેક ઘરમાં બે પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે. એક પોઝિટીવ અને એક નેગેટિવ. જ્યાં પોઝિટીવ એનર્જી (Positive Energy)ના ઘણા સારા પરિણામો જોવા મળે છે, ત્યાં નકારાત્મક ઉર્જા (Negative Energy) વ્યક્તિને ખરાબ તબક્કો બતાવવામાં કોઈ કસર છોડતી નથી. કેટલીકવાર તો નકારાત્મક ઊર્જાનો દુષ્પ્રભાવ એટલો ઊંડો પડે છે કે વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી રહેતી. વાસ્તુશાસ્ત્રમાં આ સમસ્યાનો સામનો કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અપનાવીને તમે આંખના પલકારામાં તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર અનુભવી શકો છો. અહીં જાણો એ સરળ ઉપાયો, જે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે કારગર સાબિત થઈ શકે છે.
1. ઘરમાં કોઈપણ પ્રકારની એનર્જીનો પ્રવેશ બારી અને દરવાજાથી થાય છે. આ માટે જરૂરી છે કે તમારી બારીઓ અને દરવાજા સાફ હોય. તેને સાફ કરવા માટે તમે પાણીની એક ડોલમાં 5 લીંબુ નિચોવો અને તેમાં એક કપ મીઠું અને લગભગ ચોથા ભાગનું વ્હાઈટ વિનેગર ઉમેરો, આ મિશ્રણથી બારીઓ અને દરવાજાઓને સારી રીતે સાફ કરો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.
2. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું કનેક્શન આપણા ઘરના રસોડા સાથે હોય છે. કહેવાય છે કે જો ગેસ સાફ ન કરવામાં આવે તો તેની અસર ઘરના સભ્યો પર પડે છે અને તેઓ બીમાર થઈ શકે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા ઘરનો ગેસ ચોખ્ખો રહે. તે ગંદા હોવાને કારણે તમારા સ્વાસ્થ્ય અને પ્રગતિને અસર થાય છે.
3. ઘરના રૂમને સુગંધિત કરવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે અગરબત્તી અને ધૂપબત્તી પ્રગટાવી શકો છો. તેને બાળવાથી તમને ઊંઘ પણ સારી આવશે.
4. તમારા બેડરૂમના ચારેય ખૂણામાં થોડું-થોડું મીઠું નાખો. આ પ્રક્રિયાને 48 કલાક પછી ફરીથી કરો. તમે અનુભવશો કે તમારા રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ ગઈ છે.
5. બધા ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. આ સાથે ટોયલેટ પણ બંધ રાખવું જોઈએ. ફેંગશુઈ અનુસાર આવું કરવાથી 'ચી' નામની સકારાત્મક ઉર્જા પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નથી પડતો.
6. ઘરમાં દરરોજ ઓછામાં ઓછી એક મીણબત્તી પ્રગટાવવાથી ફાયદો થાય છે. ખાસ કરીને યોગ અથવા ધ્યાન દરમિયાન મીણબત્તી પ્રગટાવવી ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી એકાગ્રતા વધે છે અને મનને શાંતિ મળે છે.
7. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ઘર અંદરથી સંપૂર્ણ રીતે ચમકતું છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વચ્છતા દેખાતી નથી. તેના બદલે મુખ્ય દરવાજો હંમેશા સાફ રાખવો જોઈએ કારણ કે ત્યાંથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર