nizar assembly constituency: નિઝર બેઠક ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાનો એક ભાગ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કાંતિલાલભાઈ રેશ્માભાઈ ગામીત નિઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
nizar assembly constituency: નિઝર બેઠક ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાનો એક ભાગ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કાંતિલાલભાઈ રેશ્માભાઈ ગામીત નિઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly election 2022) ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. એક-એક બેઠક જીતવી બંને માટે મહત્વની બની રહેવાની છે. પણ, 2012ની ચૂંટણીના પરિણામો પર નજર નાંખીએ તો બન્ને પક્ષોમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. આ વખતે ગુજરાતમાં જે રીતનો ચૂંટણીનો માહોલ ઊભો થયો છે, તે જોતાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે. કોઈપણ પક્ષ જંગી બહુમતી જીતી જશે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી, એવો ટ્રેન્ડ પણ દેખાતો નથી.
આ ઉપરાંત આ વખતે મુખ્ય બે પક્ષો ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં જંપ લાવી છે, જેના કારણે જાતિગત મતોનુ વધુ વિભાજન થાય તેવી શક્યતા છે. એવામાં કોંગ્રેસ અને ભાજપ સામે પોતાની બેઠકો જાળવવાનો મોટો પડકાર જોવા મળે છે. એવામાં દરેક પક્ષ માટે એક એક બેઠક જરૂરી છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની સમક્ષ દરેક બેઠકનો ચિતાર લઈને ઉપસ્થિત થઈએ છીએ. જે અંતર્ગત આજના આર્ટિકલમાં આપણે ડાંગની નિઝર બેઠક (Nizar assembly seat) વિશે ચર્ચા કરીશું.
નિઝર વિધાનસભા બેઠક (nizar assembly constituency)
નિઝર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના નિઝર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. 2007માં જ્યારે તાપી જિલ્લાની રચના કરવામાં આવી ત્યારે નિઝર સુરત જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યું હતું. નિઝર દક્ષિણ ગુજરાતમાં આવેલું છે, જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની સરહદે સુરતથી લગભગ 172 કિમી દૂર છે. અહીંની ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. નિઝર વિધાનસભા મત વિસ્તાર બારડોલી લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી નિઝર વિધાનસભા મતવિસ્તાર 172 નંબરની વિધાનસભા બેઠક છે. મતવિસ્તારમાં કુલ 254589 મતદારો છે, જેમાંથી 125541 પુરૂષ અને 129048 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
નિઝર વિધાનસભા બેઠક પર આદિવાસી લોકોનુ પ્રભુત્વ જોવા મળે છે. અહીં વર્ષોથી પૂર્વપટ્ટીનાં આદિવાસી મતદારો હજુ કોંગ્રેસ સાથે રહ્યા છે. અહીંના આદિજાતિના લોકોના મતો નિર્ણાયક સાબિત થાય છે.
ગત ચૂંટણીમાં ગુજરાતની નિઝર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુનિલભાઈ રતનજીભાઈ ગામીત જીત્યા હતા. તેમને ચૂંટણીમાં 106234 મત મળ્યા હતા. તેમણે ભાજપના કાંતિલાલભાઈ રેશમાભાઈ ગામેતને 23129 મતોની જંગી સરસાઈથી હરાવ્યા હતા.
નિઝર બેઠક ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાનો એક ભાગ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કાંતિલાલભાઈ રેશ્માભાઈ ગામીત નિઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ પહેલા ચૂંટણીમાં કાંતિલાલભાઈ ગામેતે INCના પરેશભાઈ ગોવિંદભાઈ વસાવાને લગભગ 10 હજાર મતોથી હરાવ્યા હતા. જ્યાં કાંતિલાલને 90 હજાર 191 મત મળ્યા હતા, ત્યાં પરેશભાઈને માત્ર 80 હજાર 267 મતથી સંતોષ માનવો પડ્યો હતો.
છેલ્લી પાંચ ચૂંટણીઓ પર નજર કરીએ તો અહીં કોંગ્રેસ સતત ત્રણ વખત જીતી રહી છે. 1998માં પરેશ વસાવા પ્રથમ વખત અહીંથી જીત્યા હતા. ત્યાર બાદ 2002 અને 2007માં પણ વસાવા અહીંથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. પરંતુ છેલ્લી ચૂંટણી એટલે કે 2012માં કાંતિલાલ ગામીતે વસાવાને હરાવીને આ બેઠક પરથી કોંગ્રેસના શાસનનો અંત આણ્યો હતો.
2007ની વિધાનસભાની ચૂંટણીમાં કાંતિલાલ ગામીતનો વિજય થયો હતો, 2007ની વિધાનસભાની ચૂંટણીમાં કાંતિલાલ ગામીતને હરાવી પરેશ વસાવા નિઝરના ધારાસભ્ય બન્યા હતા.
નિઝર વિધાનસભા વિસ્તારમાં જુદા-જુદા ગામના રસ્તા અને પુલના કામ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવી દેવાયા છે, ત્યારે ટૂંક સમયમાં કુલ રૂપિયા 1521 લાખના કામો શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય સુનિલભાઈ ગામિતે રાજ્ય સરકારમાં કરેલી રજૂઆતના પગલે જિલ્લામાં કામોને મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્યને જનતા તેના કામ માટે ચૂંટીને મોકલતી હોય છે, પરંતુ નિઝર વિધાનસભાના ધારાસભ્યની પોતાની ટર્મ દરમિયાન વિધાનસભામાં હાજરી ખૂબ જ ઓછી છે. તેમણે વિધાનસભામાં કુલ 5 વખત કરતા પણ ઓછી હાજરી આપી છે.
વર્ષ 2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વ્યારામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ, જ્યારે વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી.
રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસની સાથે અન્ય નાના, પ્રાદેશિક પક્ષો પણ જોરશોરથી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સીધો મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં લગભગ 15 બેઠકો પર ચૂંટણી લડી રહેલ જનતા દળ યુનાઈટેડ અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ માટે મુશ્કેલી બની શકે છે. આ સમીકરણને જોતા આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.