Home /News /crime /પોલીસે રીમાન્ડ ન માગતા કૃણાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, નિર્દોષ હોવાનું રટણ

પોલીસે રીમાન્ડ ન માગતા કૃણાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, નિર્દોષ હોવાનું રટણ

અમદાવાદઃ RJ કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં ભૂમિના માતા-પિતાની ફરિયાદ બાદ કૃણાલની ધરપકડ કરી 30મી સુધીના રીમાન્ડ મંજુર કરાયા હતા. જે આજે પુર્ણ થતા કુણાલને મિરઝાપુર કોર્ટમાં રજુ કરાયો હતો. પોલીસે વધુ રિમાન્ડ ન માગતા કૃમાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.વધુ સુનાવણી 12 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

અમદાવાદઃ RJ કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં ભૂમિના માતા-પિતાની ફરિયાદ બાદ કૃણાલની ધરપકડ કરી 30મી સુધીના રીમાન્ડ મંજુર કરાયા હતા. જે આજે પુર્ણ થતા કુણાલને મિરઝાપુર કોર્ટમાં રજુ કરાયો હતો. પોલીસે વધુ રિમાન્ડ ન માગતા કૃમાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.વધુ સુનાવણી 12 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
    અમદાવાદઃ RJ કૃણાલની પત્ની ભૂમિના આપઘાત કેસમાં ભૂમિના માતા-પિતાની ફરિયાદ બાદ કૃણાલની ધરપકડ કરી 30મી સુધીના રીમાન્ડ મંજુર કરાયા હતા. જે આજે પુર્ણ થતા કુણાલને મિરઝાપુર કોર્ટમાં રજુ કરાયો હતો. પોલીસે વધુ રિમાન્ડ ન માગતા કૃમાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.વધુ સુનાવણી 12 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

    કોર્ટમાં રજૂ થતાં પહેલા કૃણાલે મીડિયા સમક જણાવ્યું હતું કે,મેં પોલીસને તપાસમાં સહયોગ આપ્યો છે.હું નિદોર્ષ છું. રિમાન્ડ પૂર્ણ થતાં આનંદનગર પોલીસે કૃણાલને કોર્ટમાં રજુ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, આરજે કૃણાલના પત્ની ભૂમિએ તા.21 જાન્યુ.ના આનંદનગર રોડ પરના સચીન ટાવરના 8મા માળેથી પડતું મુકીને આપઘાત કર્યો હતો. જેથી ભૂમિના માતા કવિતાબહેને કૃણાલ અને તેના માતા પુષ્પાબેન તેમજ પિતા ઇશ્વરભાઇ દેસાઇ વિરુધ્ધ ભૂમિને શારીરિક-માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરવી, દહેજની માંગણી, શારિરીક-માનસિક ત્રાસ આપવો તેમજ મદદગારી કરવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

    જાણવા મળ્યા મુજબ બેંગકોકમાં ભૂમિ દ્વારા થયેલા ડાંસથી કૃણાલ નારાજ હતો. બેંગકોકથી આવ્યા બાદ થતી અવગણના આપઘાત માટે કારણ બની હોવાનું મનાય છે. ભૂમિના પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ દહેજની માંગણી કરાઇ હોવાનું કહેવાયું હતું. જો કે રૂ.25 લાખની ડિમાન્ડના કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી. કૃણાલના માતા-પિતાની માત્ર પૂછપરછ થાય તેવી સંભાવના છે.

    ઉલ્લેખનીય છે કે, ભૂમિના આપઘાત કેસમાં ફરિયાદ નોધાયાના ત્રણ દિવસ બાદ બુધવારે આરજે કુણાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું હતુ. ત્યારે તેના પર ભૂમિના આપઘાત મામલે કોઇપણ જાતનું દુઃખ ન હોય તેવો ચહેરો જોવા મળતો હતો. ત્યારબાદ તેને આનંદનગર પોલીસને સોપાતા તેની ધરપકડ કરાઇ હતી. આજે RJ કૃણાલને મિરજાપુર કોર્ટમાં રજૂ કરાતા તેને 30મી સુધી રિમાન્ડ મંજુર કરાયા છે.

    ઘુટાતું રહસ્યઃપૂર્વ પતિ, પૂર્વ પ્રેમિકા અને પૈસા બન્યુ ભૂમિના આપઘાતનું કારણ?

    First published:

    Tags: આરજે કૃણાલ, પોલીસ`, ભૂમિ આપઘાત કેસ, ભૂમિ દેસાઇ, મોત

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો