Madhya Pradesh news: પોલીસની પૂછપરછમાં તાંત્રિક મોતીનાથે જણાવ્યું કે સાલીઢાના ગામની રામબાઈ ધુર્વે તેને ઓળખતી હતી. એક વર્ષ પહેલા 11 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ જ્યારે રામબાઈને પૈસા પાછા આપવાની વાત કરી તો પતિ પત્નીએ રૂપિયા પરત આપવાના બદલે મારવાની ધમકી આપી હતી.
બૈતુલઃ મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં એક (Betul in Madhya Pradesh) ખૌફનાક ઘટના બની હતી. અહીં એક તાંત્રિકે (Tantric burn alive husband wife) ઉધારી પરત ન કરનાર પતિ-પત્નીને જીવતા સળગાવ્યા હતા. જેમાં પતિનું મોત (husband died) નીપજ્યું હતું. જ્યારે પત્નીને રાજધાની ભોપાલમાં (Bhopal) સારવાર માટે ખસેડાઈ હતી. મહિલીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી હતી. આ દર્દનાક ઘટના ઘોડા ડોંગરીની છે.
પોલીસની પૂછપરછમાં તાંત્રિક મોતીનાથે જણાવ્યું કે સાલીઢાના ગામની રામબાઈ ધુર્વે તેને ઓળખતી હતી. એક વર્ષ પહેલા 11 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ જ્યારે રામબાઈને પૈસા પાછા આપવાની વાત કરી તો પતિ પત્નીએ રૂપિયા પરત આપવાના બદલે મારવાની ધમકી આપી હતી. તાંત્રિક આ વાતથી નારાજ હતો અને પછી મોકો મળતાં ઘટનાને અંજામ આપ્યો હતો.
બદલો લેવા માટે 8 કિલોમીટર ચાલ્યો આરોપી
પોલીસ પ્રમાણે 17 જુલાઈની રાત્રે મુલતાઈમાં તાપ્તી મહોત્સવ થઈ રહ્યો હતો. આ મહોત્સવમાં તાંત્રિક મોતીનાથ પણ હાજર હતો. આ ઉત્સવમાં સામેલ થયા બાદ તે બસથી રાનીપુર પહોંચ્યો હતો. જ્યાંથી પગે ચાલીને 8 કિલોમિટર ઘોડા ડોંગી પહોંચ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે અહીંથી તે ફુલગોહાન ગયો હતો. એક દુકાનથી અડધો લીટર પેટ્રોલ લીધી હતું.
પેટ્રોલ છાંટી આગ લગાડી ભાગી ગયો
પેટ્રોલ લઈને તે રામબાઈના ગામ સાલીઢાના પહોંચ્યો હતો. તે રાત્રે ઉંઘવાની રાહ જોઈ રહ્યો હતો. રાતના આશરે દોઢ વાગ્યે દરવાજાથી રામબાઈના ઘરમાં ઘુસ્યો હતો. જ્યાં જોયું કે બંને ઉંઘી રહ્યા હતા. મોકો જોઈને તેણે પતિ પત્ની ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવીને તરત ભાગી ગયો હતો. ત્યારબાદ ઘરમાં બુમાબુમ મચી ગઈ હતી. કોઈ કંઈ સમજી શકે એ પહેલા પતિ પત્ની ખુબ જ સળગી ગયા હતા.
બાજુના રુમમાં ઉંઘતા બાળકોએ બુમો સાંભળી
આગમાં લપેટાયેલા દંપતી બુમો પાડવા લાગ્યા હતા. બાજુના રુમમાં ઉંઘતા બાળકોએ બુમો સાંભળી અને આગ ઓલવી હતી. લોકોએ બંનેને ઘોડા ડોંગરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. અહીંથી તેમને જિલ્લા હોસ્પિટલ રેફર કર્યા હતા. રવિવાર મોડી રાતે પતિ રામરાવનું મોત થયું હતું. મહિલાની હાલત નાજુક હોવાથી મોડી રાત્રે ભોપાલ રેફર કરવામાં આવી હતી.
અધિકારીનું શું કહેવું છે?
સારની SDOP મહેન્દ્ર સિંહ ચૌહાણે ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે તાંત્રિકને પતિ પત્ની પાસેથી રૂપિયા પાછા લેવાના હતા. તાંત્રિકે રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. પરંતુ તેમણે રૂપિયા આપ્યા નહીં. એટલા માટે તાંત્રિકે દંપતીને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવ્યા હતા. જ્યાં પતિનું મોત થયું છે અને પત્નીની હાલત ગંભીર છે. તાંત્રિકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર