કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગે વધુ એક સિદ્ધિ મેળવી
કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને વિદ્યાર્થી દ્વારા ભારતીય અર્થશાસ્ત્ર પર પર્યાવરણની અસર મુદ્દાનો સંશોધન પત્ર અમેરિકાની ટોરેન્ટો યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયું.
Dhairya Gajara, Kutch: કચ્છ યુનિવર્સિટીના (Pride of Kutch) અર્થશાત્ર વિભાગના હેડ ડો. કલ્પના સતીજા અને તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. (P.hd.) કરતા મનીષ છતલાની દ્વારા તૈયાર કરાયેલ એન ઇકોનોમેટ્રિક એનાલિસીસ ઓફ એન્વાયર્નમેન્ટલ ડેમેજ ઓન ઇન્ડિયન ઇકોનોમી સંશોધનપત્ર (Research paper) અમેરિકાની યુનિવર્સિટી (American University) થી પ્રકાશિત કરાયું છે.
કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસ (Department of Economics of the K S K V Kachchh University) ના હેડ ડો. કલ્પના સતીજા અને અર્થશાસ્ત્ર વિભાગના જ વિદ્યાર્થી મનીષ છતલાની દ્વારા રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ પેપરમાં ભારતની અર્થવ્યવસ્થા પર વૈશ્વિક આબોહવા પરિવર્તનની અસર પડે છે તેનું ગાણિતિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ટકાઉ વિકાસ માટે પર્યાવરણનું અર્થશાત્ર સમજવું જરૂરી છે. ટકાઉ વિકાસના નિર્દેશકોમાં પર્યાવરણ એક મુખ્ય નિર્દેશક છે.
આ સંશોધનપત્રમાં ભારતની આર્થિક વૃદ્ધિ તથા ગ્રીન હાઉસ એમિસન વચ્ચેનો સંબંધ તથા વિકાસને લગતા નિર્ધારણ મોડેલ દ્વારા પર્યાવરણની ભારતમાં શું પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસના હેડ ડૉ.કલ્પના સતીજા આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યાં છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસના હેડ ડો. કલ્પના સતીજાએ રિસર્ચપેપર અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે,એન ઇકોનોમેટ્રિક એનાલિસીસ ઓફ એન્વાયર્નમેન્ટલ ડેમેજ ઓન ઇન્ડિયન ઇકોનોમી પર એક રિસર્ચ પેપર લખવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો આજે આપણે જોઈ શકીએ છીએ કે પૂરા વિશ્વનું પર્યાવરણ ખતરામાં છે.આજે મનુષ્ય દ્વારા હોય કે કોઈ મશીનરી મારફતે હોય કે પછી કોઈ કેમિકલ મારફતે હોય આપણે કોઈને કોઈ કારણોસર પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
છેલ્લાં 10 વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણા પર્યાવરણને કેટલું નુકસાન પહોંચ્યું છે.તો તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રિસર્ચપેપરમાં વધારે પડતું ગેસ એમિસન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.કે જેમાં ભારતની ઇકોનોમીને ગેસ એમિસનથી શું અસર થઈ છે અને કયા ખતરા ઊભા થયા છે તેના પર સંશોધન કરવામાં આવ્યું.
ઉપરાંત સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે આજથી ઘણા વર્ષો પહેલા 61 જેટલા Millennium Development Goals નક્કી કરવામાં આવ્યા હતા.જેમાં ગરીબી નિર્દેશક છે, રોજગારી પણ છે,સારા પાણી માટે વગેરે માટે અલગ અલગ Development Goals નક્કી કરવામાં આવ્યા હતા.જેમાંથી એક goal સારા પર્યાવરણનો પણ હતો.
સારા પર્યાવરણના લક્ષ્યોમાં દરેક મનુષ્યને સારું પર્યાવરણ મળે, સારી આબોહવા મળે, સારી હવા મળે જે દરેક દેશની જવાબદારી છે, પોતાના નાગરિકને સારામાં સારી હવા મળે. જ્યારે આપણા દેશની વાત કરીએ તો છેલ્લાં 10 વર્ષમાં કલાઈમેટ માં થતાં ફેરફારના કારણે પાણીનું સ્તર વધતું જાય છે, સારી હવા નથી મળી રહી.આમ ગેસ એમિસનના કારણે આપણા દેશને કેટલું નુકસાન થયું છે તેનું ઇકોનોમેટ્રિક એનાલિસીસ કરવામાં આવ્યું છે.
કચ્છ યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ એન ઇકોનોમેટ્રિક એનાલિસીસ ઓફ એન્વાયર્નમેન્ટલ ડેમેજ ઓન ઇન્ડિયન ઇકોનોમીરિસર્ચપેપર અમેરિકાની ટોરેન્ટો યુનિવર્સિટીમાંથી પ્રકાશિત કરવામાં આવ્યું છે જે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ, વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીની વાત છે.