Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેના (Indian Navy)ના નેવલ શિપ રિપેર શિપયાર્ડ, બાલિર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેડ્સમેન પદો પર ભરતીમાં કુલ 300 વેકન્સી છે. તેમાં મશીનિસ્ટ, પ્લમ્બર, પેઇન્ટર, ટેલર, વેલ્ડર, મિકેનિક, ઇલેક્ટ્રીશિયન જેવા પદો પર ભરતી કરવામાં આવશે. તેના માટે એક્સ નેવલ ડાયકયાર્ડ અપ્રેન્ટિસ અરજીની જાહેરાત બહાર પડ્યાથી 50 દિવસની અંદર અરજી કરી શકે છે. આ ભરતીની જાહેરાત 20થી 27 ઓગસ્ટના રોજગાર સમાચાર પત્રમાં પ્રકાશિત થઈ છે. નેવલ શિપ રિપેર શિપયાર્ડ ભરતી માટે લઘુત્તમ યોગ્યતા ધોરણ-10 પાસ છે. સાથોસાથ અંગ્રજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. કે પછી સેના, વાયુસેના કે એરફોર્સની ટેક્નીકલ બ્રાન્ચમાં મિકેનિક કે તેની સમકક્ષ પદ પર બે વર્ષની નિયમિત સર્વિસ કરેલી હોવી જોઈએ.
કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ-10 પાસ હોવાની સાથોસાથ નેવલ ડોક યાર્ડમાં અપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ. અપ્રેન્ટિસ ન કર્યું હોય તો ભારતીય સેનાની ટેક્નીકલ બ્રાન્ચમાં મિકેનિક કે તેની સમકક્ષ કોઈ પદ પર ઓછામાં ઓછા બે વર્ષ રેગ્યૂલર સર્વિસ કરેલી હોવી જોઈએ.
ઉંમર મર્યાદા- ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી કેવી રીતે કરશો? નૌસેનાની નેવલ શિપ રિપેર શિપયાર્ડ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. તેના માટે અરજી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ કે સ્પીડ પોસ્ટથી “THE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL), NAVAL SHIP REPAIR YARD (PBR), POST BOX NO. 705, HADDO, PORT BLAIR – 744102”, SOUTH ANDAMAN” પર મોકલી દો.