Home /News /career /India Economy: મહામારીમાંથી ઉભરી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સંગઠિત ક્ષેત્રોએ આપી 4 લાખ નવી નોકરીઓ

India Economy: મહામારીમાંથી ઉભરી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સંગઠિત ક્ષેત્રોએ આપી 4 લાખ નવી નોકરીઓ

ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટની ફાયનાન્સ, માર્કેટીંગ અને હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટ જેવી શાખાઓ, ફાર્મસી વિભાગની એમ.ફાર્મ ઈન ફાર્માસ્યૂટીકલ્સ રેગ્યુલેટરી અફેર્સ અને એમ.ફાર્મ ઈન ફાર્માસ્યૂટીકલ્સ  ક્વાલિટી એસ્યોરન્સ શાખા તથા એન્જિનિયરીંગની સાયબર સિક્યોરીટી , મોબાઈલ કૉમ્યુનિકેશન એન્ડ નેટવર્ક ટેક્નોલોજી  જેવી શાખાના વિદ્યાર્થીઓને વિવિધ મલ્ટીનેશનલ કંપની જેવી કે , વિપ્રો , ટાટા, બેંક ઑફ અમેરીકા , ટોરેન્ટ ફાર્મા , જિંદાલ , ઈન્ડિયા માર્ટ , એજ્યુ સ્કીલ જેવી કંપનીઝમાં 7.50 લાખ સુધીના પેકેજ વિદ્યાર્થીઓને મળ્યાં.

Jobs news - કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ બહાર પાડતી વખતે આ માહિતી આપી

નવી દિલ્હી : કોરોના મહામારી (Covid-19 pandemic) બાદ દેશમાં રોજગાર ક્ષેત્રને સૌથી વધુ અસર થઇ હતી. જોકે, હવે મહામારી થોડી હળવી પડતા દેશની ખોરવાયેલી અર્થવ્યવસ્થા (India Economy) પણ પાટા પર આવવા લાગી હોય તેવું જણાય રહ્યું છે. અર્થવ્યવસ્થામાં (Economy)સુધારાની સાથે રોજગાર મોરચે સારા સમાચાર આવવા લાગ્યા છે. નવી ભરતીઓમાં (Recruitments in India) વધારો થઈ રહ્યો છે અને બેરોજગારોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રોજગાર વધારવાનો આ ટ્રેન્ડ આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે.

સરકારી ડેટા અનુસાર, નવ મોટા સંગઠિત ક્ષેત્રોએ ડિસેમ્બર 2021ના ક્વાર્ટરમાં 4 લાખ લોકોને નવી નોકરીઓ આપી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરુવારે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ બહાર પાડતી વખતે આ માહિતી આપી હતી. આ આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં સંગઠિત ક્ષેત્રમાં કામદારોની સંખ્યા 3.10 કરોડ હતી, જે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં વધીને 3.14 કરોડ થઈ ગઈ છે.

ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં વધી કામદારોની સંખ્યા

કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, "તે જણાવતા આનંદ થાય છે કે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણના ત્રીજા રાઉન્ડમાં (ઓક્ટોબર-ડિસેમ્બર 2021) 9 સંગઠિત ક્ષેત્રમાં 10 કે તેથી વધુ કામદારોના રોજગારમાં વધારો થયો છે." મંત્રાલયના રોજગાર સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન કામદારોની સંખ્યા વધીને 3 કરોડ 14 લાખ 54 થઈ ગઈ છે.

આ પણ વાંચો - ઈસરોમાં 55 જગ્યા માટે ભરતી, 47,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

આ ક્ષેત્રમાં છે સૌથી વધુ કામદારો

સર્વે અનુસાર, આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામદારોની સંખ્યા સૌથી વધુ 1.24 કરોડ હતી. આ સંગઠિત ક્ષેત્રના કુલ કામદારોના 39 ટકા છે. આ પછી, શિક્ષણ ક્ષેત્રમાં કામદારોની સંખ્યા 69.26 લાખ રહી હતી. આ કુલ કામદારોના 22 ટકા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન IT-BPO સેક્ટરમાં 34.47 લાખ, હેલ્થ સેક્ટરમાં 32.86 લાખ, વેપારમાં 16.81 લાખ, ટ્રાન્સપોર્ટમાં 13.20 લાખ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં 8.85 લાખ લોકો નોકરી કરી રહ્યા હતા. હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં કામદારોની સંખ્યા 8.11 લાખ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 6.19 લાખ છે.

સર્વેનો આ ડેટા 9 સંગઠિત ક્ષેત્રોની તે કંપનીઓ પર આધારિત છે જે 10 કે તેથી વધુ લોકોને રોજગારી આપે છે. આ ક્ષેત્રોમાં ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને રેસ્ટોરન્ટ્સ, IT-BPO અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે.
First published:

Tags: COVID-19, India economy, Jobs news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો