Anganwadi Recruitment : રાજ્યમાં આંગણવાડીની 8000 કરતા વધુ જગ્યા માટે ભરતી. 4 એપ્રિલ અરજી કરવાની અંતિમ તારીખ
Gujarat Anganwadi Recruitment 2022 : ગુજરાત આંગણવાડી ભરતી (Anganwadi Recruitment)ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. સોમવારે આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી સીધા અરજી કરી શકે છે.
Anganwadi Recruitment 2022 : રાજ્યમાં મહિલાઓ માટે આંગણવાડીમાં નોકરી કરવાની તક સામે આવી છે (Anganwadi Recruitment) રાજ્યની વિવિધ શહેર અને જિલ્લાની આંગણવાડીઓમાં મહિલા અને બાળક વિકાસ વિભાગ ગુજરાત દ્વારા 8000થી વધુ જગ્યા માટે કાર્યકર અને તેડાગરની ભરતી ( (Anganwadi Recruitment Notification) બહાર પાડી છે. આંગણવાડીની ભરતીનું નોટિફીકેશન ઓનલાઇન મૂકવામાં આવ્યું છે જેના આધારે અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 4-4-2022 છે. સોમવારે અરજી કરવાની અંતિમ તારીખ છે ત્યારે અહીંયા ટેબલમાં ભરતીની જાહેરાતની લિંક અને અજી કરવાની લિંક આપેલી છે. રસ ઘરાવતી મહિલાઓ જાહેરાત અને પોતાના જિલ્લાની ખાલી જગ્યાની સંખ્યા વાંચી અને અરજી કરી શકે છે.
Anganwadi Recruitment 2022: ક્યા જિલ્લામાં કેટલી જગ્યા
આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જગ્યા ભાવનગર શહેર, વડોદરા શહેર, દેવભૂમિ દ્વારકા, નવસારી, તાપી, ડાંગ, રાજકોટ શહેર, જૂનાગઢ શહેર, અરવલ્લી, વડોદરા જિલ્લો, જામનગર શહેર, પાટણ, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, જૂનાગઢ જિલ્લો, વલસાડ, છોટાઉદેપુર, મોરબી, ખેડા, ગીર સોમનાથ, મહીસગાર, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લો, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત શહેર, પોરબંદર, અમદાવાદ જિલ્લો, જામનગર જિલ્લો, બોટાદ, અમદાવાદ શહેર, કચ્છ, પંચમહાલ, નર્મદા, અમરેલી, રાજકોટ જિલ્લો, આણંદ, તાપી જિલ્લામાં બહાર પાડવામાં આવી છે.
આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા મેરીટના આધારે કરવામાં આવશે.જેમાં ધો.10-12ના ગુણ, ડિપ્લોમાં કોર્સના ગુણ, અનુસ્તાક કોર્સ કર્યો હોય તે તેના ગુણ, અનામત વર્ગના ગુણ, વિધવા હોય તો તેના ગુણ એમ મળીને 100 ગુણના આધારે મેરીટ તૈયાર થશે તેના આધારે ભરતી કરવામાં આવશે.
Anganwadi Recruitment 2022: અરજી કરવાની રીત
આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 4-4-2022 છે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા જે તે જિલ્લો કે શહેરની વિગતો જાણી અને તેના ફોર્મ ભરવાના રહેશે.
આ ભરતીમાં આંગણવાડી કાર્યકરને માનદ વેતન 7,800 રૂપિયા આપવામાં આવશે જ્યારે આંગણવાડી તેડાગરને 3950 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે જ્યારે આંગણવાડી કાર્યકર (મીની)ને 4400 રૂપિયા માનદ વેતન આપવામં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર