Home /News /career /Jandhan Account: જનધન અકાઉન્ટ ધારકોને મળશે 10,000 રૂપિયાનો ફાયદો, આવી રીતે ઉઠાવો લાભ
Jandhan Account: જનધન અકાઉન્ટ ધારકોને મળશે 10,000 રૂપિયાનો ફાયદો, આવી રીતે ઉઠાવો લાભ
jandhan account
જન ધન યોજના અંતર્ગત આપના અકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો, પણ 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટની સુવિધા મળી જશે. આ સુવિધા ઓછા સમયની લોન જેવું છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધું છે.
જો આપની પાસે પણ જનધન અકાઉન્ટ છે, તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના છું. જન ધન યોજના ખાતામાં તે ઉપરાંત કેટલીય સુવિધાઓ મળે છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY Pradhanmantri Jan Dhan Yojna) અંતર્ગત ઝીરો બેલેન્સ સેવિંગ ખાતું ખોલે છે. તેમાં દુર્ઘટના વીમો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ચેક બુક સહિત કેટલાય બીજા લાભ પણ મળે છે.
જન ધન યોજના અંતર્ગત આપના અકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો, પણ 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટની સુવિધા મળી જશે. આ સુવિધા ઓછા સમયની લોન જેવું છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધું છે.
આ અકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા માટે મહત્તમ ઉંમર 65 વર્ષની છે. ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે આપનું જન ધન અકાઉન્ટ ઓછામાં ઓછા 6 મહિના જુનુ હોવું જોઈએ. એવું નથી કે, ફક્ત 2 હજાર સુધીના ઓવરડ્રાફ્ટ મળે છે.
શું છે જનધન ખાતું
પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે, જે બેન્કીંગ/બચત તથા જમા ખાતા, વિપ્રેષણ,ઋણ વીમા, પેન્શન સુધી પહોંચી સુનિશ્ચિત કરે છે. આ ખાતા કોઈ પણ બેન્ક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ આઉટલેટમાં ખોલી શકાય છે. પીએમજેડીવાઈ ખાતું ઝીરો બેલેન્સની સાથે ખોલવામાં આવી રહ્યું છે.
કેવી રીતે ખોલશે અકાઉન્ટ
પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખાતું પબ્લિક સેક્ટર બેન્કમાં વધારે ખોલવામાં આવે છે. પણ જો આપ ઈચ્છો તો, પ્રાઈવેટ બેન્કમાં પણ આપનું જનધન અકાઉન્ટ ખોલી શકે છે. જો આપની નજીક કોઈ અન્ય સેવિંગ અકાઉન્ટ છે, તો આપ તેને જનધન ખાતામાં પણ બદલી શકે છે. ભારતમાં રહેનારા કોઈ પણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ અથવા તેનાથી વધારે છે. જનધન ખાતું ખોલાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર