Home /News /business /શેરબજારનો આ ફોર્મુલા ખબર હશે તો ક્યારેય પાછા નહિ પડો, ઘટતા શેર પણ નફો કરાવશે

શેરબજારનો આ ફોર્મુલા ખબર હશે તો ક્યારેય પાછા નહિ પડો, ઘટતા શેર પણ નફો કરાવશે

ઘટતા શેર પર નફો કરાવશે

રોકાણકારો ક્યારેય પોતાની પાસે પહેલાથી ઉપલબ્ધ શેરોને અસરકારક રીતે શોર્ટ કરી શકતા નથી. આ માટે તમારે બ્રોકરના શેર ઉધાર લેવાના હોય છે. અને દિવસનો કારોબાર ખત્મ થયા પછી, તેને સેટલ પણ કરી દેવામાં આવે છે. તમે જે શેરને શોર્ટ કરી રહ્યા છો, તે તમારા ખાતામાં જોવા મળશે નહિ, કારણ કે, તે શેર તમારી પાસે છે જ નહિ.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ બજારમાં રોકાણ કરવા પર રોકાણકારો બે પ્રકારની સ્થિતિ લે છે. પહેલી હોય છે લોન્ગ પોઝિશન. આમાં શેરધારક શેરોના વધવા પર દાવ લગાવે છે. એટલે કે શેર ઉપર જશે, તો નફો થશે. બીજી હોય છે, શોર્ટ પોઝિશન. અહીં શેરોના ઘટવા પર રૂપિયા લગાવવામાં આવે છે. શોર્ટ પોઝિશનને લઈને શેરોને વેચવા પર શોર્ટ સેલિંગ કહે છે. હવે તમારા મનમાં એક સવાલ આવશે કે આખરે શેર ઘટવા પર કેવી રીતે રૂપિયા બનાવી શકાય છે. કેમ નહિ બેશક બનાવી શકાય છે, પરંતુ તેમાં થોડું જોખમ રહેલું છે.

રોકાણકારો ક્યારેય પોતાની પાસે પહેલાથી ઉપલબ્ધ શેરોને અસરકારક રીતે શોર્ટ કરી શકતા નથી. આ માટે તમારે બ્રોકરના શેર ઉધાર લેવાના હોય છે. અને દિવસનો કારોબાર ખત્મ થયા પછી, તેને સેટલ પણ કરી દેવામાં આવે છે. તમે જે શેરને શોર્ટ કરી રહ્યા છો, તે તમારા ખાતામાં જોવા મળશે નહિ, કારણ કે, તે શેર તમારી પાસે છે જ નહિ. હવે નવો સવાલ એ છે કે, આખરે જે વસ્તુ તમારી પાસે છે જ નહિ, તેને તમે ટ્રેડ કેવી રીતે કરી શકો છો. તેનો જવાબ છે, કે સરકાર અને સેબી તેની અનુમતિ આપે છે. એટલા માટે કરી શકો છો. જો કે, ઘણા દેશોમાં તે ગેર-કાયદેસર છે.

આ પણ વાંચોઃ નિવૃત સૈનિકો જેમને પેન્શન મળે છે તેમણે 20 ફેબ્રુઆરી સુધીમાં આટલું ખાસ કરી લેવું નહીંતર પેન્શન અટકી શકે

તેને આ રીતે સમજો


માની લો કે, કોઈ શેર 500 રૂપિયાનો છે અને તમને જાણ છે કે, તે આજે તૂટીને 450 રૂપિયા સુધી આવી જશે. તમે તમારા બ્રોકરને કહીને 1- શેરબજારમાં વેચી દેશો. આ રીતે તમારા ડીમેટ ખાતામાં શેર તો નહિ દેખાય પણ 5,000 રૂપિયા જોવા મળશે, કારણ કે, તમે તે વસ્તુ વેચી જે તમારી પાસે હતી જ નહિ. હવે જેમ શેર 450 રૂપિયા પર પહોંચી જશે, તમે તેને બ્રોકર દ્વારા પરત ખરીદી લેશો. પરત ખરીદતા સમયે તમારે માત્ર 4,500 રૂપિયામાં જ 10 શેર મળી જશે, એટલે કે તમને 500 રૂપિયાનો નફો થઈ જશે, જે હવે તમારા ખાતામાં 5,00 રૂપિયાની જગ્યાએ જોવા મળશે. જો કે, આમાંથી કેટલોક ભાગ બ્રોકરેજ પણ લેશે. તે જુદા-જુદા બ્રોકરેજ પર નિર્ભર કરે છે.

જોખમ શું છે?


આમાં જોખમ તે છે, કે જો તમારો અંદાજ ખોટો પડી ગયો અને શેરની કિંમત 450ની જગ્યાએ 550 થઈ ગઈ તો, તમે નુકસાનમાં જશો. અહીં તમારે દરેક સ્થિતિમાં તે દિવસની ડીલ પૂરી કરવી પડશે. સામાન્ય રીતે જ્યારે શેર માર્કેટમાં ખોટમાં જાય છે, તો તમે રાહ જુઓ છો કે, શેર ઉપર આવશે તો વેચીને નફો કમાઈ લેશો. આમાં કેટલાક દિવસો કે સપ્તાહનો સમય લાગી શકે છે. શોર્ટ સેલિંગમાં આવું થતુ નથી. આ ડીલ તમારે તે દિવસે પૂરી કરવાની હોય છે. જો તમારુ અનુમાન ખોટું પડ્યુ તો તમે નિશ્ચિત રીતે તે દિવસે ખોટમાં જશો. જો તમે શેર પરત ખરીદશો તો બ્રોકર બપોરે, 3.15 કે 3.20 વાગ્યા સુધી તે શેર તમારા નામે ખરીદી લેશે. લજો શેર બોટમ સર્કિટ હિટ કરે છે, તો માર્કેટ ક્લોઝિંગ પછીનો સમય માત્ર બ્રોકરોને ટ્રેડિંગ માટે મળે છે. આમાં તે તમારા નામ પર શેર ખરીદી લેશે. એટલે કુલ મળીને તમને ખોટ સહન કરવી પડશે.

આ પણ વાંચોઃ નોકરી કરતાં કરતાં મહિને રુ.2 લાખની આવક આપતો આ બિઝનેસ, તમારા ખિસ્સા ગરમ રાખશે

હાલ ચર્ચામાં કેમ?


હિંડનબર્ગ નામની એક અમેરિકી રિસર્ચ કંપનીએ ભારતમાં અડાણી સમૂહની કંપનીઓ વિરુદ્ધ કથિત તરીકે શોર્ટ પોઝિશન લઈ રાખી છે. આ કંપનીની રિપોર્ટ પછી અડાણી સમૂહના શેરમાં જબરદસ્ત ઘટાડો આવ્યો અને તેમની માર્કેટ કેપ ઘણા લાખો રૂપિયા પાછળ જતી રહી. હિંડનબર્ગ પહેલા પણ આ પ્રકારે કારનામા કરી ચૂકી છે. આ કંપનીઓ વિશે એવી જાણકારી સામે લાવે છે, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહુંચે અને પછી તેના શેર નીચે જતા રહે. શોર્ટ પોઝિશન માટે રહેવાના કારણે હિંડનબર્ગ તેનાથી નફો કમાય છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment tips, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો