Home /News /business /તમે જમા કરાયેલા રૂપિયાનો બેંક આ રીતે ઉપયોગ કરી મેળવે છે ફાયદો, 99% લોકોને નથી ખબર

તમે જમા કરાયેલા રૂપિયાનો બેંક આ રીતે ઉપયોગ કરી મેળવે છે ફાયદો, 99% લોકોને નથી ખબર

નકલી નોટ ચલાવવાનો પ્રયત્ન ન કરો- જો તમને નકલી નોટ મળે તો તેને છુપાવવાનો અથવા બજારમાં ફેરવવાનો પ્રયત્ન ન કરો. આ પ્રકારે કરવાથી તમારી સામે IPC ધારા 489C હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. જેમાં તમને 7 વર્ષથી લઈને આજીવન કેદની સજા પણ થઈ શકે છે. ઉપરાંત ભારે દંડ પણ ચૂકવવાનો રહે છે.

સંસાધન ઓછા થાય છે, તો નફો કમાવા માટે એકત્રિત થતી રકમ પણ ઓછી થઈ જાય છે. બેન્કો માટે જમા કરવામાં આવેલ રકમને લોન તરીકે આપવી તે સેગમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે.

નવી દિલ્હીઃ બેન્કમાં જમા થતી રકમની સરખામણીએ લોન લેવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી બેન્કોએ આ તફાવતને ભરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. જાહેર થયેલ આંકડાઓ અનુસાર હાલના નાણાંકીય વર્ષ પહેલા 11 મહિના (એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023) દરમિયાન બેન્કમાં 12.53 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ દરમિયાન બેન્કે 14.50 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. વધતી જતી લોનની માંગને પહોંચી વળવા બેન્કોએ બજારમાંથી પૈસા ઉધાર લીધા છે. આ કારણોસર જાન્યુઆરી 2023માં ઈંક્રીમેંટલ ક્રેડિટ-ટૂ-ડિપોઝીટ રકમ 116 ટકા સુધી પહોંચી ગઈ હતી.

સંસાધન ઓછા થાય છે, તો નફો કમાવા માટે એકત્રિત થતી રકમ પણ ઓછી થઈ જાય છે. બેન્કો માટે જમા કરવામાં આવેલ રકમને લોન તરીકે આપવી તે સેગમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે, લોન આપવાથી જોખમની સાથે સાથે રિટર્ન પણ વધુ મળે છે. જેનાથી પરથી અર્થવ્યવસ્થામાં ક્રેડિટ તરીકે જમા કરેલ રકમ ક્યાં જઈ રહી હોવાનું જાણી શકાય છે? બેન્ક રિટેઈલ લોન, બિઝનેસ સહિતની વિવિધ લોન આપી રહી છે. નાના વ્યવસાયીઓની સાથે મોટી કંપનીઓને પણ રોકાણના બજારમાં લાવવા માટે લોન આપવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારી પછી બેન્કોએ ઉધાર આપવાની રીત બદલી નાખી છે.

આ પણ વાંચોઃ મોંઘા ભાવનું આ વૃક્ષ ખેતરમાં લગાવશો તો નસીબ ચમકી ઉઠશે, પૂરા 50 લાખ રૂપિયાના માલિક બની જશો

બેન્કોએ હાલના નાણાંકીય વર્ષના પહેલા 11 મહિનામાં જમા થતી રકમથી 12.53 લાખ કરોડ એકત્ર કર્યા છે, જેની સામે લોન તરીકે 14.50 લાખ કરોડ આપ્યા છે. જમા થયેલ રકમના એક ભાગને સરકારી બોન્ડમાં જમા કર્યો છે. આ પ્રકારે રોકાણ કરવું તે જરૂરી છે, જેમાં આંશિક જોખમ રહે છે.

જાન્યુઆરીના અંત સુધીમાં બેન્કિંગ સેક્ટરની ડિપોઝિટ્સ 177.19 લાખ કરોડ રૂપિયા હતી અને 133.42 લાખ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ રકમ 75.3 ટકા ક્રેડિટ ટૂ ડિપોઝીટ રેશિયો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બેન્કમાં જે 100 રૂપિયા જમા કરવામાં આવે છે, તેમાંથી 37 રૂપિયા રોકાણમાં તથા અન્ય રકમ લોન તરીકે આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા લગાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકસાન નહિ થાય

બેન્કમાં જમા કરવામાં આવતી રકમ


અંતમાં જમા કરવામાં આવતી રકમ બેન્કે ક્યાં વાપરી છે? બેન્કમાં જમા કરવામાં આવતી પ્રત્યેક 100 રૂપિયામાંખી 14.07 રૂપિયા એગ્રીકલ્ચર લોન માટે, 10.58 રૂપિયા ઈન્ડસ્ટ્રીના નિર્માણ અને કારખાના ચલાવવા માટે આપવામાં આવે છે.

ખેતી વાડી પર અલ નીનોના સંભવિત જોખમને જોતા બેન્ક એગ્રીકલ્ચર લોન પોર્ટફોલિયો પર વિચાર કરી રહ્યા છે. કંપનીઓએ વધુ ઉધાર લેવાનું શરૂ કરી દીધું છે અને તેમાં વધારો થતો નથી. જમા થયેલ રકમનો એક મોટો ભાગ (37 રૂપિયા) સર્વિસ સેક્ટરમાં આપવામાં આવે છે, જેમાં ટ્રાંસપોર્ટ, ટ્રેડ, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની, રિઅલ એસ્ટેટ પણ શામેલ છે.



જમા થયેલ રકમનો સૌથી મોટો ભાગ (45 રૂપિયા) રિટેઈલ લોન તરીકે ભારતીય પરિવારોને આપવામાં આવે છે. બેન્કિંગ સેક્ટરમાંથી કુલ લોન પોર્ટફોલિયોમાં આ લોનનો ભાગ 45 ટકાથી વધુ હતો. અન્ય શબ્દોમાં કહેવામાંથી બેન્કોએ જમા થયેલ પ્રત્યેક 100 રૂપિયામાંથી એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન 45 રૂપિયા રિટેઈલ સેગમેન્ટમાં ઉધાર આપ્યા હતા.
First published:

Tags: Bank customer, Bank News, Business news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો