Home /News /business /દીકરીઓ નથી કોઈ બોજ... મહિલાઓને મિલકત સંબંધિત મળે છે આ દરેક અધિકારો, તમારો હક્ક કોઈ છીનવી શકશે નહીં

દીકરીઓ નથી કોઈ બોજ... મહિલાઓને મિલકત સંબંધિત મળે છે આ દરેક અધિકારો, તમારો હક્ક કોઈ છીનવી શકશે નહીં

મહિલાઓને મળેલા અધિકારો જાણવા અતિ જરૂરી.

બોમ્બે હાઈકોર્ટે પ્રોપર્ટીના વિભાજન સાથે સંબંધિત એક મામલામાં ચુકાદો આપતાં કહ્યું હતું કે લગ્નમાં પૂરતું દહેજ આપવામાં આવ્યું હોવાનું કહીને દીકરીનો મિલકત પરનો અધિકાર છીનવી ન શકાય.

માત્ર લગ્નમાં છોકરીને પૂરતું દહેજ આપવામાં આવે છે, તેનો અર્થ એ નથી કે તેણી તેના પરિવારની મિલકત પર પોતાનો અધિકાર ગુમાવે છે. આ વાત બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચનું કહેવું છે. ભારતમાં છોકરીઓનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે કે લગ્ન પહેલા તેમને શીખવવામાં આવે છે કે તેમનું પોતાનું ઘર કોઈ બીજું હશે અને લગ્ન પછી કહેવામાં આવે છે કે તે કોઈ બીજા ઘરમાંથી આવી છે. આ બે વાત વચ્ચે ફસાયેલી ઘણી સ્ત્રીઓને તેમના નાણાકીય અને સંપત્તિના અધિકારો ખબર નથી. આ લેખમાં આપણે જાણીશું કે મિલકતમાં સ્ત્રીને કયા અધિકારો છે.

પિયરની સંપત્તિ પર મહિલાઓનો અધિકાર


આના બે પાસાં છે. પ્રથમ જો સંપત્તિ સ્વ હસ્તગત સંપત્તિ છે. આ કિસ્સામાં, જો કોઈ વ્યક્તિ વસિહત કર્યા વગર વિના મૃત્યુ પામે છે, તો તે સંપત્તિ તેના પુત્ર અને પુત્રીઓમાં સમાન રીતે વહેંચવામાં આવશે. આ સિવાય જો મૃત્યુ પામેલ વ્યક્તિના પતિ કે પત્ની જીવિત હોય અથવા તેમની માતા હોય તો તેમને પણ મિલકત પર હક્ક મળશે. જો તે વ્યક્તિ પોતાનું વસિયતનામું બનાવીને કોઈ બાળક કે અજાણ્યા વ્યક્તિને તેનો વારસદાર બનાવે તો તે મિલકત તે વ્યક્તિ પાસે જશે, તેના પર અન્ય કોઈ હકનો દાવો કરી શકશે નહીં.

બીજું પાસું પૈતૃક મિલકતનું છે. પૈતૃક સંપત્તિ પરનો અધિકાર જન્મથી જ નિશ્ચિત છે. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 મુજબ ઘરમાં જન્મેલા પુત્રોને મિલકતનો અધિકાર મળ્યો હતો, પુત્રીઓને પરિવારના સભ્યો તરીકે ગણવામાં આવતા હતા, જેમના ભરણપોષણની જવાબદારી પરિવારની હતી. લગ્ન પછી પરિવારમાં પુત્રીનું સભ્યપદ સમાપ્ત થઈ જશે અને તેના ભરણપોષણની જવાબદારી તેના સાસરિયાઓની રહેશે. 2005માં કાયદો બદલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મહત્વના સમાચાર, LTCG નિયમોમાં કરવામાં આવ્યા મોટા ફેરફાર

હવે એક ઘરમાં જન્મેલા દીકરા-દીકરીને તે પરિવારની પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર છે. પુત્ર કે પુત્રી બંને પરિવાર પાસેથી પોતાનો હિસ્સો માંગી શકે છે. પૈતૃક મિલકત માટે વિલ બનાવી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ વારસદાર વિના મૃત્યુ પામે છે, તો તેની મિલકત તેના ભાઈ-બહેન અને તેમના બાળકો વચ્ચે વહેંચવામાં આવે છે. દત્તક લીધેલા બાળકને પણ પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર છે. જો કે વ્યક્તિની પત્ની અથવા પતિને પૈતૃક સંપત્તિમાં કોઈ અધિકાર નથી.

સાસરીની મિલકત પર મહિલાઓનો અધિકાર


અહીં પણ બે પાસાં છે. પ્રથમ જો મિલકત પતિની કમાણીની હોય. આ કિસ્સામાં, પત્ની એ માટેની પ્રથમ હકદાર છે. જેમાં પત્ની, બાળકો, વ્યક્તિની માતા આવે છે. તેથી જો કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય તો તેની મિલકત તેના તમામ લોકોમાં એક વર્ષમાં સમાન રીતે વહેંચવામાં આવે છે. પરંતુ જો તે વ્યક્તિ વસિયતમાં કોઈને પોતાનો વારસદાર બનાવે તો તે મિલકત તેના વારસદારને જ જશે.

બીજું પાસું એ છે કે જો મિલકત પૈતૃક હોય અને પતિનું મૃત્યુ થાય તો તે મિલકતમાંથી સ્ત્રીને કોઈ હિસ્સો નહીં મળે. જો કે, તેણીને સાસરિયાના ઘરમાંથી કાઢી મુકી શકાતી નથી અને તેના પતિના મૃત્યુ પછી, સાસરિયાઓએ મહિલાને ભરણપોષણ ચૂકવવું પડશે. કોર્ટ નક્કી કરે છે કે આ ભરણપોષણ કેટલું હોવું જોઈએ. જે તેના સાસરિયાઓની આર્થિક સ્થિતિ અનુસાર હશે. જો મહિલાને સંતાનો હોય તો તેમને પિતાના હિસ્સાની સંપૂર્ણ મિલકત મળશે. વિધવા મહિલાને તેના સાસરિયાઓ તરફથી જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી ભરણપોષણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Post Office Scheme: રોજના 50 રૂપિયાનું રોકણ તમને આપશે 35 લાખ! લોન અને વિમાની સુવિધા પણ મળશે

છૂટાછેડાના કિસ્સામાં મહિલાઓના અધિકારો


જો કોઈ મહિલા તેના પતિથી અલગ થવા માંગે છે, તો હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 હેઠળ તે તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. આ ભરણપોષણ પતિ અને પત્ની બંનેની આર્થિક સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તે છૂટાછેડાનું વન ટાઈમ સેટલમેન્ટ તેમજ માસિક ભથ્થું હોઈ શકે છે. છૂટાછેડા સમયે નક્કી કરવામાં આવે છે કે એકસાથે ભરણપોષણ અથવા માસિક ભથ્થું આપવામાં આવશે.

આ સાથે, જો બાળકો છૂટાછેડા પછી માતા સાથે રહે છે, તો પતિએ તેમનુ પણ ભરણપોષણ આપવું પડશે. આ ભરણપોષણ બાળકની ઉંમર સાથે વધી શકે છે. છૂટાછેડાની સ્થિતિમાં, પત્ની તેના પતિની મિલકતનો દાવો કરી શકતી નથી. પરંતુ તેના બાળકોનો તેમના પિતાની મિલકત પર સંપૂર્ણ અધિકાર રહેશે. જો મિલકત બંનેની સંયુક્ત માલિકીની હોય, તો તે કિસ્સામાં મિલકત સમાન રીતે વહેંચવામાં આવશે.

અન્ય અધિકારો


સ્ત્રીને લગ્ન પહેલાં, લગ્નમાં અને લગ્ન પછી જે કંઈ પણ રોકડ, દાગીના કે સામાન ભેટ તરીકે મળે છે, તે બધા પર સ્ત્રીનો સંપૂર્ણ અધિકાર છે. હિંદુ ઉત્તરાધિકાર ધારાની કલમ 14 અને હિંદુ મેરેજ એક્ટની કલમ 27 આ અધિકારો આપે છે. જો તેણીને આ અધિકારથી વંચિત રાખવામાં આવે છે, તો મહિલા ઘરેલુ હિંસા અધિનિયમની કલમ 19A હેઠળ પોલીસમાં ફરિયાદ કરી શકે છે.

નોંધ: હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ અને હિંદુ મેરેજ એક્ટના નિયમો હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ સમુદાયોને લાગુ પડે છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓ માટે અલગ કાયદાઓ છે.

આ પણ વાંચો: ટેક્સ બચાવવા માંગતા હોવ તો 31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, 100% મળશે લાભ

મુસ્લિમ મહિલાઓના અધિકારો


શરિયામાં સ્વ-સંપાદિત અને પૂર્વજોની મિલકત વચ્ચે કોઈ તફાવત નથી. મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ, જો કોઈ દંપતિને સંતાન હોય તો પત્નીને પતિની મિલકતના 1/8મા ભાગનો અધિકાર રહેશે. બાળક ન હોવાના કિસ્સામાં, તેને એક ચતુર્થાંશ શેર પર અધિકાર મળશે. તેવી જ રીતે, જો મુસ્લિમ મહિલાના માતા-પિતા મૃત્યુ પામે છે, તો તેને પણ તેમની સંપત્તિમાં હક મળશે. જો કે, તેની સત્તા તેના ભાઈઓ કરતાં અડધી હશે. આ સાથે લગ્ન સમયે દહેજની રકમ પણ નક્કી કરવામાં આવે છે. પતિએ આ રકમ પત્નીને આપવાની હોય છે. આના પર પત્નીનો સંપૂર્ણ અધિકાર છે.

ખ્રિસ્તી અને પારસી મહિલાઓના અધિકારો


ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 દ્વારા આ ત્રણ ધર્મના લોકોના અધિકારો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જો ખ્રિસ્તી પુરુષ મૃત્યુ પામે છે, તો તેની મિલકતમાં તેની પત્નીને કેટલો અધિકાર મળશે તે નક્કી કરવામાં આવે છે. જો દંપતીને બાળકો હોય તો સ્ત્રીને મિલકતનો એક તૃતીયાંશ ભાગ મળશે, જો દંપતીને સંતાન ન હોય અને પતિના નજીકના સગાઓ હયાત હોય તો મિલકતનો અડધો ભાગ સ્ત્રીને મળશે. બંને બાળકો અને સંબંધીઓની ગેરહાજરીમાં, મહિલાને સંપૂર્ણ મિલકત મળશે. બીજી બાજુ, જો કોઈ ખ્રિસ્તી મહિલાના પિતા અચાનક મૃત્યુ પામે છે, તો તે સ્ત્રી તેની મિલકતમાં તેના ભાઈઓના સમાન અધિકારની માંગ કરી શકે છે. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ અચાનક મૃત્યુ પામે છે, તો તેની મિલકતનો એક તૃતીયાંશ ભાગ તેની વિધવાને આપવામાં આવશે, અને પછી બાકીની મિલકત તેના તમામ બાળકોમાં સમાનરૂપે વહેંચવામાં આવશે. પરંતુ જો પિતાએ વસિયતનામું કરી દીધું હોય તો તેની સામે કેસ દાખલ કરી શકાય નહીં.

પારસી ધર્મમાં, મિલકતના વારસામાં કોઈ લિંગ તફાવત નથી. સ્ત્રીના મૃત્યુ પર તેના પતિને તેની મિલકત પર તેટલો જ અધિકાર મળશે જેટલો પતિના મૃત્યુ પર તેની પત્નીને મળે છે. વ્યક્તિના મૃત્યુ પર તેના માતા-પિતાને તેની અડધી મિલકત મળે છે. બાકીના તેના અથવા તેણીના જીવનસાથી અને બાળકોમાં સમાન રીતે વહેંચાયેલા છે. સંતાન કે માતા-પિતા ન હોય તો પણ વિધવાને અડધી મિલકત જ મળે છે. બાકીનો અડધો ભાગ અન્ય નજીકના સંબંધીઓમાં વહેંચાયેલો છે.



અમે આ સમાચારની શરૂઆત બોમ્બે હાઈકોર્ટના દહેજ સંબંધિત અવલોકનથી કરી છે. પરંતુ દહેજની માંગણી કરવી, દહેજ લેવું, દહેજ આપવું અને દહેજના વ્યવહારમાં મદદ કરવી એ તમામ દહેજ પ્રતિબંધ કાયદા હેઠળના ગુના છે. આ માટે પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તો પણ ભારતના ઘણા વિસ્તારોમાં દહેજ એક સામાન્ય પ્રથા છે. બીજી એક પ્રથા ભારતમાં સામાન્ય છે, મિલકતમાં હક્ક માંગવા માટે દીકરી સાથે સંબંધ તોડવાની પ્રથા કે પછી ભાઈ-ભત્રીજાના હક્કો છીનવી લેવાથી શું મળશે? આ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાની જરૂર છે, જેથી મહિલાઓ તેમના અધિકારો પ્રત્યે જાગૃત થઈ શકે. દહેજને ના કહી શકે અને મિલકતના અધિકાર માટે હા કહી શકે.
First published:

Tags: Business news, Human Rights, Married women, Women મહિલા