Home /News /business /10 વર્ષમાં કરોડપતિ બનાવે છે આ યોજના, 1,500 રૂપિયા બચાવી 1 કરોડ મેળવો; આ રહી પૂરી ગણતરી
10 વર્ષમાં કરોડપતિ બનાવે છે આ યોજના, 1,500 રૂપિયા બચાવી 1 કરોડ મેળવો; આ રહી પૂરી ગણતરી
Systematic Investment Plan
કોઈ પણ રોકાણકાર પોતાના દ્વારા કરવામાં આવેલા રોકાણ પર વધારે અને જલ્દી વળતર મેળવવા માંગે છે. જો તમે સામાન્ય રોકાણકાર છો, તો તમે પણ કરોડપતિ બનવાનું તમારું લક્ષ્ય નક્કી કરી શકો છો. તેના માટે રોકાણના ઘણા વિકલ્પો છે. આમાંથી એક ખાસ વિકલ્પ છે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ.
નવી દિલ્હીઃ કોઈ પણ રોકાણકાર પોતાના દ્વારા કરવામાં આવેલા રોકાણ પર વધારે અને જલ્દી વળતર મેળવવા માંગે છે. જો તમે સામાન્ય રોકાણકાર છો, તો તમે પણ કરોડપતિ બનવાનું તમારું લક્ષ્ય નક્કી કરી શકો છો. તેના માટે રોકાણના ઘણા વિકલ્પો છે. આમાંથી એક ખાસ વિકલ્પ છે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. આ રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. આમાં તમે દર મહિને એક નક્કી રકમ એસઆઈપી એટલે કે સિસ્ટેમેટિર ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી શકો છો. જે નક્કી સમયમાં સારું વળતર આપે છે. જો તમારું લક્ષ્ય આજથી આગામી 10 વર્ષોમાં કરોડપતિ બનવાનું છે, તો તમારે તે સમજવું પડશે, કે આગામી દર મહિને તમારે કેટલી રકમ એસઆઈપીમાં રોકવી પડશે.
દર મહિને ઓછામાં ઓછા 44,000 રૂપિયાની બચત
ફ્રેંકલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાના એસઆઈપી કેલક્યુલેટર દ્વારા અમે અહીં કરોડપતિ બનવાનું લક્ષ્ય પૂરું કરવા માટે માસિક ઈન્વેસ્ટમેન્ટ રકમ જાણવી પડશે. એસઆઈપી દ્વારા કરવામાં આવેલા રોકાણ પર સામાન્ય 12 ટકા વળતર પર માસિક એમાઉન્ટની ગણતરી કરવામાં આવે છે. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઈન્ડિયાના પ્રમાણે, જો તમારે આગામી 10 વર્ષોમાં કરોડપતિ બનવું છે, તો દર મહિને ઓછામાં ઓછા 44,000 રૂપિયા એસઆઈપીમાં રોકવા પડશે. ગણતરી પ્રમાણે, આ રકમ પર તમે આગામી 10 વર્ષમાં 52,80,000 રૂપિયાનું રોકાણ કરશો અને તમને કુલ 1,02,22,919 રૂપિયા મળશે. એટલે કે તમે 10માં વર્ષે કરોડપતિ બની જશો. તમારા 10માં વર્ષનું ચોખ્ખું વળતર 49,42,919 રૂપિયા મળે છે.
જો તમને લાગે છે, કે 44,000 રૂપિયા દર મબિને રોકાણ કરવા સરળ નથી, તો તમે માત્ર 11,000 રૂપિયા દર મહિને રોકીને પણ કરોડપતિ બની શકો છો. પરંતુ આ માટે 20 વર્ષનો સમય લાગશે. આ આધાર પર ગણતરી કરીએ તો તમે 20 વર્ષમાં 12 ટકા સરેરાસ વળતર પર કુલ 1,09,90,627 રૂપિયા હાસિલ કરશો. આમાં તમારું વાસ્તિવક રોકાણ 26,40,000 રૂપિયા હશે. એટલે કે તમને 83,50,627 રૂપિયાનું ચોખ્ખું વળતર મળશે.
જાણકારોનું કહેવું છે, તે એસઆઈપીમાં રોકાણ કરવું એક યોગ્ય નિર્ણય ચે. આમા રોકાણ પર બજારમાં ઉતાર-ચઢાવની અસર ઓછી થાય છે. આમાં તમે કમ્પાઉન્ટ રિટર્ન મેળવી શકો છો. એટલે કે મૂળ રકમ અને તેના પર વળતર બંને મળીને થયેલી રકમ પર વળતર મળે છે. એસઆઈપીમાં રોકાણ કરવું સરળ છે. એસઆઈપી ફાઈનાન્શિયલ પ્લાનિંગ માટે એક યોગ્ય ટૂલ માનવામાં આવે છે. રોકાણ કરવા માટે તમે નાણાકીય સલાહકારની સલાહ પણ લઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર