Home /News /business /1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યા છે બેંકિંગને લગતા આ નિયમો, તમારા ખિસ્સા પર વધશે ભારણ
1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યા છે બેંકિંગને લગતા આ નિયમો, તમારા ખિસ્સા પર વધશે ભારણ
સપ્ટેમ્બરના આ મહિનામાં પાંચ જેટલા મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સા પર સીધી અસર પાડશે.
September New Rules 2022: આજથી શરું થતા સપ્ટેમ્બર મહિનામાં આર્થિક બાબતોને લઈને પાંચ મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં ટેક્સ રિટર્નને વેરિફાય કરવાની ટાઈમ લિમિટમાં ઘટાડો, વીમા ફીમાં વધારો, ડેબિટ કાર્ડના વાર્ષિક ચાર્જમાં વધારો, કાર્ડને ટોકનાઇઝેશન દ્વારા સિક્યોર કરવા અને નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ પર ફીમાં વધારો સહિતની બાબતો સામેલ છે.
ટેક્સપેયર્સ (Tax Payers) તમારા રોજબરોજના વ્યવહારો માટે ડેબિટ કાર્ડ (Master Debit Card)નો ઉપયોગ કરતા હોય કે પછી નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ (Investment in NPS) કરતા હોય, સપ્ટેમ્બરમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો (Five important money matters in September) આવી રહ્યા છે, જે તમારા ખિસ્સાને ચોક્કસ અસર કરશે.
1 ઓગસ્ટ, 2022ના રોજ અથવા તે પછી ફાઇલ કરેલા ટેક્સ રિટર્નની ચકાસણી માટેની સમય મર્યાદા (એટલે કે, 31 જુલાઈની નિયત તારીખ પછી) 120 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે. એટલે કે જો તમે 8 ઓગસ્ટે તમારું આવકવેરા રિટર્ન ભર્યું હોય તો તમારે 7 સપ્ટેમ્બર પહેલાં રિટર્નની ચકાસણી કરવાની રહેશે. 30 દિવસની વેરિફિકેશન વિન્ડો એ દિવસથી શરૂ થાય છે, જ્યારે તમે તમારું આવકવેરા રિટર્ન સબમિટ કરો છો. 31 જુલાઈ, 2022ના રોજ અથવા તે પહેલાં ભરેલા ટેક્સ રિટર્ન માટે, રિટર્નની ચકાસણી કરવાની સમયમર્યાદા સમાન રહે છે, એટલે કે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખથી 120 દિવસ સુધી રહેશે.
સપ્ટેમ્બરમાં સુરક્ષિત વ્યવહારો માટે યુનિક ટોકન સાથે ઓનલાઇન, પોઇન્ટ-ઓફ-સેલ (POS) અને ઇન-એપ્લિકેશન ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગમાં લેવાતા તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને રીપ્લેસ કરો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના આદેશ અનુસાર ટોકનાઇઝેશનનો નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ હેઠળ તમામ મર્ચન્ટ વેબસાઇટ્સને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર પ્રક્રિયા કરવા માટે તેમના સર્વર પર તમારા કાર્ડ નંબર, સીવીવી અથવા એક્સપાયરી ડેટ સેવ કરવા પર પ્રતિબંધ રહેશે. જો વેપારી તેના પેમેન્ટ ગેટવે પેજ પર સુવિધા પૂરી પાડે છે અને તે ટોકનને ચોક્કસ વેબસાઇટ (ભવિષ્યના ઉપયોગ માટે) પર સેવ કરે છે, તો કાર્ડ યુઝર્સે હવે ટોકન સાચવવું પડશે.
જ્યારે તમે નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં યોગદાન આપો છો, ત્યારે યુનિટ્સ રદ કરીને કમિશન કાપવામાં આવે છે. 1 સપ્ટેમ્બરથી એનપીએસ હેઠળ ડાયરેક્ટ-રેમિટ મોડ મારફતે કરવામાં આવેલા યોગદાન પરના ટ્રેઇલ કમિશનને યોગદાનની રકમના હાલના 0.10 ટકાથી વધારીને 0.20 ટકા કરવામાં આવશે.
ફી વધારો ફક્ત ડાયરેક્ટ-રેમિટ મોડ હેઠળ રોકાણ કરવા માટે જ લાગુ પડે છે જેમાં NPS માં નિયમિત રોકાણ હેઠળ બે-ત્રણ દિવસના વિલંબની સામે જો સવારે 9.30 વાગ્યા સુધીમાં રોકાણ પ્રાપ્ત થાય તો તે જ-દિવસની નેટ એસેટ વેલ્યુ (NAV) ઓફર કરવામાં આવે છે.
સપ્ટેમ્બરથી, ઘણી બેંકોએ ડેબિટ કાર્ડ્સ પર વાર્ષિક ચાર્જ અને ઈસ્યુઅન્સ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કાર્ડ અને અન્ય ઇનપુટ્સમાં ઉપયોગમાં લેવાતી સેમિકન્ડક્ટર ચિપ્સની કિંમતમાં ભારે વધારાને કારણે લેવામાં આવ્યો છે.
અટલ પેન્શન યોજનામાં રજીસ્ટ્રેશનનીન છેલ્લી તક
18-40 વર્ષની વય જૂથના લોકો માટે 30 સપ્ટેમ્બર, 2022, આવકવેરાદાતાઓ માટે અટલ પેન્શન યોજના માટે નોંધણી કરવાનો છેલ્લો દિવસ છે. પેન્શન સ્કીમ કે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંચાલિત થાય છે તે અસંગઠિત કામદારો માટે દર મહિને રૂ. 1,000-5,000 ની લઘુત્તમ બાંયધરીકૃત પેન્શન ઓફર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર