બજારના નિષ્ણાતો ભારતીય બજારો (Indian Stock Market) જબરદસ્ત ઘટાડા માટે વૈશ્વિક સ્થિતિને કારણ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે, યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો, વૈશ્વિક શેરબજારો (Share Bazar) માં ઘટાડો અને ક્રૂડની વધતી કિંમતો જેવા કારણો ભારતીય શેરબજાર પર સતત દબાણ બનાવી રહ્યા છે
નવી દિલ્હી. ગુરુવારે ભારતીય શેરબજાર (Indian Stock Market) માં ભારે ઘટાડો થયો હતો અને બેન્ચમાર્ક સૂચકાંકો 16 જૂને 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1,046 પોઈન્ટ ઘટીને 51,495.79 પર જ્યારે નિફ્ટી 50 (Nifty50) 331.55 પોઈન્ટ ઘટીને 15,360.60 પર બંધ થયો હતો. બજારમાં મંદીનો આ ભૂકંપ એટલો મજબૂત હતો કે NSE પર નોંધાયેલા દરેક શેરની સરખામણીમાં 7 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
બજારના નિષ્ણાતો ભારતીય બજારોમાં જબરદસ્ત ઘટાડા માટે વૈશ્વિક સ્થિતિને કારણ માની રહ્યા છે. તેમનું કહેવું છે કે, યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો, વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો અને ક્રૂડની વધતી કિંમતો જેવા કારણો ભારતીય શેરબજાર પર સતત દબાણ બનાવી રહ્યા છે અને તે હજુ ચાલુ રહી શકે છે.
યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારો
Moneycontrol.comના અહેવાલ મુજબ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની અસર લગભગ દરેક દેશના શેરબજાર પર પડી છે. યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. 1994 પછી વ્યાજદરમાં આ સૌથી મોટો વધારો છે. મોર્ગન સ્ટેન્લી વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે. તેમના મતે આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દર વધીને 2.625 ટકા થઈ શકે છે. અમેરિકામાં મંદીના ભયથી વૈશ્વિક બજારો ભયભીત છે અને ભારતીય બજાર પણ તેનાથી દૂર નથી રહી શક્યું.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પણ વ્યાજ દરો વધારવાની આશંકા
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ અઠવાડિયે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સતત પાંચમી વખત વ્યાજદરમાં વધારો કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ફેડરલ રિઝર્વના માર્ગને અનુસરીને, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અડધા ટકાનો વધારો કરી શકે છે. ઈંગ્લેન્ડમાં એપ્રિલમાં ફુગાવો વધીને 40 વર્ષની ટોચે પહોંચી ગયો છે.
વૈશ્વિક બજારોમાં ઘટાડો
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયને કારણે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધીમાં, જર્મનીનો DAX 2 ટકા, બ્રિટનનો FTSE 1.4 ટકા અને ફ્રાન્સનો CAC 1.6 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બજારોમાં આજે 0.4 ટકાથી 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેની અસર ભારતીય બજાર પર જોવા મળી હતી.
ઈંધણના ભાવ
પુરવઠાના અવરોધને કારણે ઈંધણના ભાવ ઊંચા રહે છે. ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.3 ટકા વધીને $119 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે યુએસ ક્રૂડ ઓઈલ 0.4 ટકા વધીને $115.8 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવમાં સતત વધારાથી રોકાણકારો પણ ડરી ગયા છે.
ભારતીય બજારમાં વિદેશી સંસ્થાઓ સતત નવમા મહિને વેચવાલી રહી છે. જૂનમાં અત્યાર સુધીમાં તેમણે 31,000 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. FII એ છેલ્લા પાંચ મહિનામાં રૂ. 2.2 લાખ કરોડ પાછા ખેંચ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર