Home /News /business /ભારતની એકમાત્ર રેલ્વે લાઈન જે આજે પણ અંગ્રેજોના કબજામાં, દર વર્ષે આપવામાં આવે છે મોટી રકમ, શું છે તેનું કારણ

ભારતની એકમાત્ર રેલ્વે લાઈન જે આજે પણ અંગ્રેજોના કબજામાં, દર વર્ષે આપવામાં આવે છે મોટી રકમ, શું છે તેનું કારણ

ભારતીય રેલ્વે આ ટ્રેકનો ઉપયોગ ટ્રેન ચલાવવા માટે કરે છે, તેથી દર વર્ષે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપનીને કરોડો રૂપિયાની રોયલ્ટી આપવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં આવેલી શકુંતલા રેલ્વે લાઈન આજે પણ અંગ્રેજોના કબજામાં છે. હવે તેના પર માત્ર એક જ ટ્રેન ચાલે છે. દર વર્ષે સરકાર આ માટે બ્રિટનની એક કંપનીને કરોડો રૂપિયા આપે છે.

જો તમને કોઈ કહે કે આજે ભારતમાં એક એવી રેલ્વે લાઈન છે જેના પર અંગ્રેજોનો કબજો છે, તો શું તમે વિશ્વાસ કરશો? પરંતુ તે સાચું છે. શંકુતલા રેલ લાઈન એ ભારતમાં એકમાત્ર ખાનગી રેલ ટ્રેક છે. આ રેલવે લાઇન મહારાષ્ટ્રમાં છે. તેની માલિકી બ્રિટનની ખાનગી કંપની પાસે છે. તે બ્રિટિશ કાળ દરમિયાન જ બનાવવામાં આવી હતી. 190 કિલોમીટર લાંબી રેલ્વે લાઇન પર નેરોગેજ વાહનો દોડતા હતા. આ લાઇન યવતમાલથી મૂર્તિજાપુર સુધી જાય છે.

બ્રિટિશ યુગ દરમિયાન, આ ટ્રેક પરની ટ્રેનો ગ્રેટ ઈન્ડિયન પેનિન્સ્યુલર રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી હતી. આઝાદીના 5 વર્ષ પછી રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું પરંતુ આ લાઇનની અવગણના કરવામાં આવી હતી. આ રીતે, આ ટ્રેક હજુ પણ બ્રિટનની ખાનગી કંપની સેન્ટ્રલ પ્રોવિન્સેસ રેલ્વે કંપની હેઠળ છે. હવે તેના પર માત્ર એક જ ટ્રેન ચાલે છે, જેનું નામ શંકુતલા પેસેન્જર છે. આ ટ્રેનના નામ પરથી ટ્રેકનું નામ પણ ફેમસ થયું.

આ પણ વાંચો: 7th Pay Commission DA Hike: તમારી આતુરતાનો અંત નજીક, સરકાર વધારી શકે છે DA, થઇ શકે આટલો ફાયદો

દર વર્ષે કરોડોની રોયલ્ટી


ભારતીય રેલ્વે આ ટ્રેકનો ઉપયોગ ટ્રેન ચલાવવા માટે કરે છે, તેથી દર વર્ષે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપનીને કરોડો રૂપિયાની રોયલ્ટી આપવામાં આવે છે. જોકે, પૈસા લેવા છતાં બ્રિટિશ કંપની આ ટ્રેકનું સમારકામ કે જાળવણી કરતી નથી. ભારત સરકાર દર વર્ષે કંપનીને લગભગ રૂ.1.20 કરોડની રોયલ્ટી આપે છે. આ લાઈન ખરીદવા માટે અનેકવાર પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. નિમ્ન વર્ગના પરિવારો માટે યવતમાલ અને અચલપુર (અમરાવતી જિલ્લામાં) વચ્ચે આવવા-જવાનું એકમાત્ર સાધન શકુંતલા પેસેન્જર છે. તેથી જ ટ્રેનનું સંચાલન પણ બંધ નથી.


ટ્રેન ક્યાં બનાવવામાં આવી હતી


આ ટ્રેન 1921 માં યુકેના માન્ચેસ્ટરમાં બનાવવામાં આવી હતી. તે લગભગ 70 વર્ષથી જૂના એન્જિનથી ચલાવવામાં આવી હતી. જો કે, 1994માં એન્જિનને ડીઝલ એન્જિન દ્વારા બદલવામાં આવ્યું હતું. શકુંતલા રેલ્વે લાઈન નાખવાનું કામ 1903માં શરૂ કરવામાં આવ્યું હતું. તે અમરાવતીથી મુંબઈ બંદર સુધી કપાસ ઉપાડવા માટે બનાવવામાં આવ્યું હતું. 13 વર્ષ પછી એટલે કે 1916 માં, આ ટ્રેક સંપૂર્ણ રીતે પૂર્ણ બની ગયો હતો.
First published:

Tags: Business news, Indian railways, Railway track