સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો દ્વારા ખાતા બંધ કરવા અંગે નકલી સંદેશાઓ મળી રહ્યા છે. આ અંગે ગ્રાહકોને ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોએ તે ફેક મેસેજનો જવાબ ન આપવો જોઈએ. આ મેસેજ ફેક છે અને તેનો જવાબ આપનાર અને માંગેલી માહિતી આપનારા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બની શકે છે.
ફેક મેસેજ વિશે જાણો
SBI ગ્રાહકોને મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે પ્રિય SBI યુઝર, તમારું YONO એકાઉન્ટ આજે બ્લોક કરી દેવામાં આવશે. તમારો PAN કાર્ડ નંબર અપડેટ કરવા માટે કૃપા કરીને લિંક પર ક્લિક કરો.
ગ્રાહકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ તેમની બેંકિંગ વિગતો શેર કરવાનું કહેતા ઈમેલ/એસએમએસનો ક્યારેય જવાબ ન આપે. જો તમને આવો કોઈ સંદેશ મળે તો તરત જ 'report.phishing@sbi.co.in' પર જાણ કરો.
વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં
એસબીઆઈની વેબસાઈટ અનુસાર, એકાઉન્ટ નંબર, પાસવર્ડ અથવા સંવેદનશીલ માહિતી સહિત કોઈપણ વ્યક્તિગત વિગતોને મેસેજ દ્વારા જાહેર કરશો નહીં, કારણ કે તેનો ઉપયોગ છેતરપિંડી માટે થઈ શકે છે.
એસબીઆઈ ખાતાધારકોએ સાવચેતી રાખવી જોઈએ જો તેઓને તેમની માહિતી અપડેટ કરવાની, ખાતું સક્રિય કરવાની અથવા કોઈ ફોન નંબર પર કૉલ કરીને અથવા વેબસાઈટ પર માહિતી આપીને તેમની ઓળખ ચકાસવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવતો ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત થાય છે. તો સાવધાની રાખવી જોઈએ. આ સંદેશાઓ ફિશિંગ કૌભાંડનો ભાગ હોઈ શકે છે. આ તમારા ગોપનીય ખાતાની માહિતી મેળવવા અને છેતરપિંડી કરવા માટે આ કાવતરું કરવામાં આવી રહ્યું છે.
કોને જાણ કરવી
કોઈપણ સાયબર ઘટનાની જાણ કરવા માટે, ગ્રાહક report.phishing@sbi.co.in પર ઈમેલ મોકલી શકે છે. બેંકે કહ્યું કે તમે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પણ કોલ કરી શકો છો. વધુ માહિતી માટે, તમે https://cybercrime.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર