Home /News /business /બજારમાં પૈસા કમાવવા માટે ઘેટાં ચાલથી બચો, આવતા અઠવાડીએથી બજારમાં આવી શકે છે તેજી : સંજીવ ભસીન

બજારમાં પૈસા કમાવવા માટે ઘેટાં ચાલથી બચો, આવતા અઠવાડીએથી બજારમાં આવી શકે છે તેજી : સંજીવ ભસીન

શેરબજાર ઉથલ-પાથલ

Investment Tips : IIFL સિક્યોરિટીઝના સંજીવ ભસિને CNBC TV18 સાથેની એક મહત્વપૂર્ણ વાતચીતમાં બજારની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ તોફાન પસાર થઈ થશે. તેમણે કહ્યું કે, આપણે જલ્દીથી બહાર નીકળવાની નજીક છીએ. અથવા કદાચ આપણે 15700 પર બોટમ બનાવી લીધું છે. હવે આગામી સપ્તાહ એટલે કે 23 મેથી બજારમાં તેજી જોવા મળી શકે છે.

સંજીવ ભસીને આ વાત એવા સમયે કરી છે જ્યારે બજારો નીચલા સ્તરેથી થોડી રિકવરી બતાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારો સતત ઘટી રહ્યા હતા. થોડા દિવસો પહેલા નિફ્ટી 15,700ની સપાટીએ ગયો હતો અને પછી તે 16,000ની સપાટી વટાવી ગયો હતો. પરંતુ ગત અઠવાડિયે 16 હજારથી નીચે સરકી ગયો. શુક્રવારે ભારતીય બજારમાં તેજી આવી અને નિફ્ટી ફરીથી 16,000ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો.

હજુ પણ ભારતીય બજાર વળતરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે

સંજીવ ભસીન કહે છે કે, તમે દરેક બાબતમાં અમેરિકા કે યુરોપ સાથે સરખામણી કરી શકતા નથી. હજુ પણ આપણું બજાર રોકાણ માટે શ્રેષ્ઠ છે અને ત્યાં વળતર માટે વધુ અવકાશ છે. એશિયન માર્કેટમાં ભારત અને ચીન શ્રેષ્ઠ વિકલ્પો છે.

રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે

બજારમાં લગભગ એક મહિનાથી ઘટાડાનું વર્ચસ્વ છે અને અમેરિકામાં મંદીની વાત છે. આવી સ્થિતિમાં, બજારમાં તેજીની અપેક્ષા ઘણા લોકોને આશ્ચર્યચકિત કરે છે. પરંતુ ભસીન કહે છે કે, રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. ઘણા ક્વોલિટી સ્ટોક હાલમાં ખૂબ જ સસ્તા વેલ્યુએશન પર ઉપલબ્ધ છે. બજારમાં ભય છે, પરંતુ તમે આ ડર ખરીદો છો. પૈસા તે જ બનાવે છે જે ડર ખરીદે છે.

ઘેટાંને ટાળો

સંજીવ ભસીને કહ્યું કે, પૈસા કમાવા માટે ઘેટાંને ટાળાની જેમ ન વર્તન કરો. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જ્યારે નિફ્ટી 18,000 પર હતો ત્યારે બધા તેજીમાં હતા, હવે જો નિફ્ટી 16,000ની નીચે જઈ આવી તો લોકો 14,000ની વાત કરે છે. જો તમે પૈસા કમાવા માંગતા હો, તો આ ઘેટાંની યુક્તિ ટાળો અને તમે જેના પર વિશ્વાસ કરો છો તેમાં નાણાંનું રોકાણ કરો.

આ પણ વાંચોHardik patel exclusive interview: કોંગ્રેેસે અત્યાર સુધી મારો ઉપયોગ કર્યો, હવે નરેશ પટેલનો કરશે

તેમણે કહ્યું કે, તોફાન 1 અઠવાડિયા કે 10 દિવસમાં પસાર થઈ જશે. રુશિયા-યુરોપિયન યુદ્ધની ઘણી અસર બજારે પચાવી લીધી છે. ક્રૂડની તેજીનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેથી, બજારમાં તેજી પરત આવી શકે છે. કયા શેરોમાં રોકાણ કરવું તે પ્રશ્ન પર સંજીવે કહ્યું કે, રિલાયન્સ, મારુતિ, અશોક લેલેન્ડ, હિન્દુસ્તાન યુનિલિવર અને ગોદરેજ કન્ઝ્યુમર સારા ભાવે મળી રહ્યા છે. રિયલ્ટી શેરોના ખરાબ દિવસો પણ પસાર થઈ ગયા છે.
First published:

Tags: Indian Stock Market, Sanjeev Bhasin, Stock market, Stock market Tips, Stock Markets