Home /News /business /2000 રૂપિયાની નોટના પ્રિન્ટિંગ પર સરકારનું મોટું નિવેદન

2000 રૂપિયાની નોટના પ્રિન્ટિંગ પર સરકારનું મોટું નિવેદન

પ્રતીકાત્મક તસવીર

બે વર્ષ પહેલાં નોટબંધી બાદ જાહેર કરાયેલી 2000 રૂપિયાની કરન્સી નોટનું પ્રિન્ટિંગ 'ન્યૂનતમ સ્તર પર' આવી ગયું છે

ન્યૂઝ18 ગુજરાતી: 2000 રૂપિયાની નોટ પર આર્થિક મામલાઓના સચિવે કહ્યું કે આ માત્ર પર્યાપ્તથી વધુ છે. હાલમાં 2000 રૂપિયાની નોટીની પ્રિન્ટિંગને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો. આપને જણાવી દઈએ કે બે વર્ષ પહેલાં નોટબંધી બાદ જાહેર કરાયેલી 2000 રૂપિયાની કરન્સી નોટનું પ્રિન્ટિંગ 'ન્યૂનતમ સ્તર પર' આવી ગયું છે.

આર્થિક મામલાઓના સચિવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અનુમાનિત જરૂર મુજબ નોટોનું પ્રિન્ટિંગની યોજના બને છે. સિસ્ટમમાં કુલ સર્કુલેશનના 35 ટકા 2000 રૂપિયાની નોટ છે. આ માત્રા પર્યાપ્તથી વધુ છે. હાલમાં 2000 રૂપિયાની નોટીનું પ્રિન્ટિંગને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો.

 શું છે મામલો?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિઝર્વ બેંક અને સરકાર સમય સમય પર કરન્સીની પ્રિન્ટિંગની માત્રા પર નિર્ણય લે છે. આ નિર્ણય ચલણમાં કરન્સીની ઉપલબ્ધતાના હિસાબથી કરવામાં આવે છે. જે સમયે 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીમે-ધીમે તેના પ્રિન્ટિંગનું કામ કરવામાં આવશે. 2000ની નોટને જાહેર કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રણાલીમાં ત્વરિત રોકડ ઉપલબ્ધ કરાવવાનો હતો.



અધિકારીએ જણાવ્યું કે, 2000ની નોટોનું પ્રિન્ટિંગ ઘણું ઓછું કરી દેવામાં આવ્યું છે. 2000ની નોટોનું પ્રિન્ટિંગને ન્યૂનતમ સ્તરે લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના આંકડામાં માર્ચ 2007ના અંત સુધી 328.5 કરોડ એકમ 2000ની નોટ ચલણમાં હતી. 31 માર્ચ 2018ના અંત સુધી આ નોટોની સંખ્યા સામાન્ય વધીને 336.3 કરોડ એકમ પર પહોંચી ગઈ.
First published:

Tags: Demonetization, Indian currency, આરબીઆઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો