જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સુરક્ષિત અને ગેરેંટીવાળા વળતર સાથે રોકાણનું સાધન શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ પર જાઓ. અહીં એક મજેદાર સ્કીમ છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC). ખાસ વાત સમજવાની એ છે કે, ઘણી વખત એ સ્થિતિ આવે છે જ્યારે તમારી પાસે પૈસા હોય છે, પરંતુ તમે એક ચોક્કસ મર્યાદા સુધી તેને મૂકી શકો છો. પોસ્ટ ઓફિસની આ નાની બચત યોજનામાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. ઉપરાંત, આમાં બહુવિધ ખાતા ખોલી શકાય છે. કર રાહત પણ ઉપલબ્ધ છે. બીજા ઘણા ફાયદા પણ છે.
પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ 5 વર્ષની મેચ્યોરિટી ધરાવે છે. વાર્ષિક 7% વ્યાજ મળી રહ્યું છે. તમને વ્યાજ પર ડબલ લાભ મળે છે. એટલે કે વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ થાય છે. જો કે, આંશિક ઉપાડ થઈ શકે નહીં. પાકતી મુદ્દતે જ સંપૂર્ણ ચુકવણી પ્રાપ્ત થશે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, જો સ્કીમમાં 1000 રૂપિયા જમા કરાવો તો 5 વર્ષ પછી તમને 1403 રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસ NSC કેલ્ક્યુલેટર મુજબ, જો સ્કીમમાં રૂ. 10 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવે છે, તો 5 વર્ષ પછી મેચ્યોરિટી પર કુલ રૂ. 14,02,552 મળશે. આમાં 4,02,552 રૂપિયા માત્ર વ્યાજ સ્વરુપે જ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) માં રોકાણ ગમે ત્યાંથી કરી શકાય છે અને કોઈપણ પોસ્ટ ઓફિસમાં કરી શકાય છે. NSC ખાતું ઓછામાં ઓછા રૂ. 1000થી ખુલે છે. કોઈ મહત્તમ મર્યાદા નથી. કોઈપણ રકમ રૂ.100ના ગુણાંકમાં જમા કરાવી શકાય છે. રોકાણ પર સરકારી ગેરંટી ઉપલબ્ધ છે.
NSC ખાતું કોણ ખોલાવી શકે?
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. તેની વિશેષતા એ છે કે કોઈપણ નાગરિક તેમાં ખાતું ખોલાવી શકે છે. સંયુક્ત ખાતાની સુવિધા પણ છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના માતાપિતા તેમના વતી પ્રમાણપત્ર ખરીદી શકે છે. NSC માં 5 વર્ષ પહેલા પાછી ખેંચી શકાતી નથી. છૂટ અમુક ચોક્કસ સંજોગોમાં જ ઉપલબ્ધ છે. સરકાર દર 3 મહિને NSC માટે વ્યાજ દરની સમીક્ષા કરે છે.
- NSC કોઈપણ ભારતીય પોસ્ટ - ઓફિસમાંથી ખરીદી શકાય છે. - વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ છે પરંતુ રુપિયા પાકતી મુદ્દત પર જ ચૂકવવામાં આવે છે.
- એનએસસીને તમામ બેંકો અને એનબીએફસી દ્વારા લોન માટે કોલેટરલ અથવા સિક્યોરિટી તરીકે સ્વીકારવામાં આવે છે.
- રોકાણકાર તેના પરિવારના કોઈપણ સભ્યને નોમિની તરીકે નોમિનેટ કરી શકે છે.
- એનએસસી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં એકવાર ઇશ્યૂની તારીખ અને મેચ્યોરિટીની તારીખ વચ્ચે ટ્રાન્સફર કરી શકાય છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર