Home /News /business /PM kisan: ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની જગ્યા રૂ. 36000 મળશે, લાભ લેવા આટલું કરવું પડશે

PM kisan: ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની જગ્યા રૂ. 36000 મળશે, લાભ લેવા આટલું કરવું પડશે

પ્રતીકાત્મક તસવીર

પીએમ કિસાન સન્માન નિધિ યોજના(pm kisan man dhan yojna)નો પ્રારંભ પણ કરાયો છે. જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે.

    pm kisan man dhan yojna : ખેડૂતો (Farmers)ની આવક વધારવા માટે મોદી સરકાર (Modi goverment) ઘણા સમયથી પ્રયત્નશીલ રહી છે. ખેડૂતો માટે ખાસ પીએમ કિસાન સન્માન નિધિ યોજના(pm kisan man dhan yojna)નો પ્રારંભ પણ કરાયો છે. જેનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે. આ દરમિયાન આ યોજનાનો લાભ લેનાર ખેડૂતો માટે સારા સમાચાર (Farmer Good News) મળી રહ્યા છે. હવે આવા ખેડૂતો દર મહિને રૂ. 36000 મેળવવાના હકદાર છે. તે માટે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવા પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા મળી શકે છે.

    કેવી રીતે મળશે 36 હજાર રૂપિયા?

    નાના અને સિમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરાઇ હતી. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને રૂ. 3000 એટલે કે વર્ષે 36 હજાર રૂપિયા ખેડૂતોને પેન્શન તરીકે અપાય છે.

    આ પણ વાંચો - લીલું સોનું તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઇ રીતે કરવી વાંસની ખેતી

    કોઈ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવવા પડે

    કેન્દ્ર સરકાર દ્વારા આ પેન્શન યોજના દેશના નાના અને સીમાંત ખેડુતો માટે ચલાવવામાં આવે છે. જેમાં 60 વર્ષની વય પછી તમને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે. જો તમે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા હોવ તો તમારે આ માટે કોઈ વધારાનો ડોક્યુમેન્ટ સબમિટ કરવાની જરૂર નથી.

    આ પણ વાંચો - Business Idea: ટૂંકી મૂડીથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થઈ શકે રૂ. 1 લાખની કમાણી

    કોણ કોણ લઈ શકે લાભ?

    >> 18 થી 40 વર્ષની વયના કોઈપણ ખેડૂત કિસાન માનધન યોજનાનો લાભ લઈ શકે છે.
    >> તમારી પાસે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન હોવી જોઈએ.
    >> તમારે લઘુતમ 20 વર્ષ અને ઓછામાં ઓછા 40 વર્ષ સુધી 55થી 200 રૂપિયા સુધી માસિક ફાળો આપવો પડશે. જે ખેડૂતની ઉંમર પર નિર્ભર રહેશે.
    >> 18 વર્ષની ઉંમરથી જ જોડાનાર ખેડૂતને મહિને રૂ. 55 માસિક ફાળો આપવો પડશે.
    >> જો 30 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવ તો રૂ.110 જમા કરાવવા પડશે.
    >> 40 વર્ષની ઉંમરે જોડાવ તો તમારે દર મહિને રૂ. 200 જમા કરાવવા પડશે.
    First published:

    Tags: Farmers News, PM Kisan Maandhan Yojana, PM Kisan Samman Nidhi Scheme, Pm narendra modis, પીએમ નરેન્દ્ર મોદી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો