Home /News /business /PM Kisan Yojna: જો ખોટી રીતે લીધા હોય પીએમ કિસાન યોજના અંતર્ગત પૈસા, તો કાર્યવાહી પહેલા કરો પરત

PM Kisan Yojna: જો ખોટી રીતે લીધા હોય પીએમ કિસાન યોજના અંતર્ગત પૈસા, તો કાર્યવાહી પહેલા કરો પરત

કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે ઇ-કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 છે. (પ્રતિકાત્મક તસવીર)

PM Kisan Samman Scheme - આ યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે

નવી દિલ્હી : પીએમ કિસાન સન્માન યોજના (PM Kisan Samman Scheme) હેઠળ નોંધાયેલા ખેડૂતો 11મા હપ્તાની (11th Instalment for Farmers) રાહ જોઈ રહ્યા છે. સરકાર કોઈપણ સમયે તમારા ખાતામાં આ રકમ જમા કરી શકે છે. આ માટે રાજ્ય સરકારોએ પણ RFT પર હસ્તાક્ષર કર્યા છે. આ રકમ અક્ષય તૃતીયાના (Akshaya Tritiya 2022) દિવસે ખેડૂતોના ખાતામાં આવવાની આશા છે. જોકે, 11મો હપ્તો આવે તે પહેલા સરકારે પીએમ કિસાન યોજનામાં મોટા ફેરફારો (Changes in PM Kisan yojna)) કર્યા છે. આ હેઠળ તમારે કેટલાક દસ્તાવેજો અપડેટ કરવા પડશે અને જો તમે આવું નહીં કરો, તો તમે હપ્તા મેળવનારા નકલી લોકોની યાદીમાં પણ આવી શકો છો.

જો આમ થાય છે, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે અને અત્યાર સુધી મેળવેલા તમામ હપ્તાના પૈસા પાછા આપવા પડી શકે છે. નોંધનીય છે કે આ યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. તેનો છેલ્લો હપ્તો 1 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - હોમ લોન લેવી મોંઘી પડશે! HDFC એ વધાર્યો લેંડિંગ રેટ, વર્તમાન ગ્રાહકોની વધશે EMI

શું ફેરફારો થયા?

લાભાર્થીઓ માટે ઇ-કેવાયસી અપડેટ કરવું જરૂરી બન્યું છે. સરકારે એક નવો આદેશ જારી કર્યો છે, જેના હેઠળ નકલી લાભાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે. ખેડૂતો હવે પીએમ કિસાન પોર્ટલ પર જાણી શકશે કે તેઓ આ યોજના માટે પાત્ર છે કે નહીં. જો તે ન હોય તો તેણે હપ્તો પાછો આપવો પડશે. યોજનાના નિયમો હેઠળ ફાર્મ પતિ અને પત્ની બંનેના નામે હોવું જોઈએ. જો બંને સાથે રહે છે તો તેનો લાભ માત્ર એકને જ મળશે. સરકારે આ અંગે ઘણા ખેડૂતોને રિકવરી માટે નોટિસ પાઠવી છે.

આ રીતે જાણો યોજના માટે પાત્રતા

જો તમે અત્યાર સુધી આ સ્કીમનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છો, તો તમે PM કિસાનની વેબસાઈટ પર જઈને પૈસા પરત કરી શકો છો. આ માટે તમારે વેબસાઈટ પર રિફંડ ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે 2 વિકલ્પ હશે. જો તમે પહેલા પૈસા પરત કર્યા હોય, તો ચેક પર ક્લિક કરો. જો તમે પૈસા પરત કરવા માંગતા હો, તો તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતાની વિગતો દાખલ કરો અને ડેટા માટેની રીક્વેસ્ટ કરો. જો તમે સ્કીમ માટે લાયક હશો તો "તમે રિફંડ માટે પાત્ર નથી" મેસેજ આવશે. નહીં તો તે તમને રિફંડની રકમ બતાવશે.
First published:

Tags: PM Kisan Samman Nidhi Yojana, PM Kisan Scheme

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો