નવી દિલ્હીઃ જો તમે કોઈ એવી યોજનાની શોધમાં છો. જ્યાં તમારું રોકાણ સુરક્ષિત રહે. તેની સાથે જ તમને સારું વળતર મળે, તો લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પાસે લોકોને ખુશ કરવા માટે ઘણી એવી પોલિસી છે. આજે અમે તમને એલઆઈસીની એક એવી જ પોલિસી વિશે જાણકારી આપી રહ્યા છે. એસઆઈસીની આ પોલિસીનું નામ એસઆઈસી ન્યૂ જીવન શાંતિ પ્લાન છે. આ એક એકલ પ્રીમિયમ યોજના છે. આ યોજનામાં પોલિસી ધારકોને ઈમીડિએટ ઈન્યુટી અને ડેફ્ફર્ડ એન્યુટી બે વિકલ્પ આપવામાં આવે છે. આ યોજના રોકાણકારોને એકમુક્ત રકમનું રોકાણ કરીને આજીવન આવક કે પેન્શન મેળવવાની તક પ્રદાન કરી રહી છે.
યોજના માટે પાત્રતાના માપદંડ કયા છે
એલઆઈસી પોલિસીધારકોને લગભગ નવ વર્ષનો વિકલ્પ પસંદ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. પોલિસીની શરૂઆતથી જ વાર્ષિક વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. તમારી જેવી જરૂરિયાત છે અને જેની પરિસ્થિતિ છે. તમે તે હિસાબથી વિકલ્પ પસંદ કરી શકો છો. તમે આ યોજનામાં ઓછામાં ઓછા 1.5 લાખ રૂપિયાની રકમનું રોકાણ કરી શકો છો અને જો તમને આ યોજના સારી નથી લાગતી, તો પછી આ યોજનાને સરેન્ડર કરી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા માટે ન્યૂનતમ ઉંમર 30 વર્ષ અને મહત્તમ ઉંમર 79 વર્ષ છે.
એલઆઈસી ન્યૂ જીવન શાંતિ યોજનામાં રોકાણ કરવું ઘણું જ સરળ છે. આ યોજનામાં તમે ઓનલાઈન કે ઓફલાઈન રોકાણ કરી શકો છો. જો તમે આ પોલિસીને ઓનલાઈન ખરીદવા માંગો છો, તો પછી તમારે એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે કે પછી પોલિસીને ઓફલાઈન પણ ખરીદી શકાય ચે. તેના માટે તમારે નજીકી એલઆઈસી એજન્ટની પાસે જવું પડશે. તમે તેમના માધ્યમથી કે પછી એલઆઈસીની શાખામાં જઈને પોલિસીમાં રોકાણ કરી શકો છો.
એક ઉદાહરણ તરીકે સમજીએ, તો તમે આ યોજનાને 45 વર્ષની ઉંમરે ખરીદો છો અને તમે આ યોજનાને 10 લાખ રૂપિયામાં ખરીદો છો અને ડેફરમેન્ટ પીરિયડ 12 વર્ષનો રાખો છો, તો પછી તમારે 12 વર્ષો પછી વાર્ષિક 1,20,700 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર