Home /News /business /પહેલા P. Chidambaram એ ઈંધણની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર પર સાધ્યું નિશાન, હવે પોતાની ભૂલ સ્વીકારી
પહેલા P. Chidambaram એ ઈંધણની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર પર સાધ્યું નિશાન, હવે પોતાની ભૂલ સ્વીકારી
પેટ્રોલ ડીઝલની કિંમત મામલે પી ચિદમ્બરમે પોતાની ભૂલ સ્વિકારી
પી. ચિદમ્બરમે (P. Chidambaram) શું દાવો કર્યો હતો?. તમને જણાવી દઈએ કે, પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ની સાથે કેન્દ્રએ ઉજ્જવલા યોજના હેઠળ વિતરિત એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમતમાં પણ 200 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કર્યો છે. હવે ઈંધણ ઉત્પાદનો પર વેટ ઘટાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ (Congress Leader) નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે (P. Chidambaram) પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) પર 'એક્સાઈઝ ડ્યુટી' ઘટાડવાના મામલે મોદી સરકાર (Modi Goverment) દ્વારા કરવામાં આવેલી તેમની ટિપ્પણી પાછી ખેંચી લીધી છે. તેમણે રવિવારે સ્વીકાર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણના ભાવમાં ઘટાડા અંગેના તથ્યો તેમના દાવાથી વિપરીત છે. ચિદમ્બરમે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની સૂચના હવે ઉપલબ્ધ છે. નાણામંત્રીએ 'એક્સાઈઝ ડ્યુટી' શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ કપાત વધારાની આબકારી જકાતમાં છે, જે કેન્દ્ર રાજ્યો સાથે શેર કરતું નથી. તેથી, હકીકત ગઈકાલે મેં જે કહ્યું તેનાથી વિરુદ્ધ છે. ટેક્સમાં આ ઘટાડાનો સમગ્ર નાણાકીય બોજ કેન્દ્ર સરકાર પર પડશે. તેથી હું મારી હકીકતો સુધારી રહ્યો છું.
તમને જણાવી દઈએ કે, શનિવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) કહ્યું હતું કે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધી છે, જેના કારણે દેશમાં ઈંધણની કિંમતો પણ વધી ગઈ છે. સામાન્ય માણસને રાહત આપવા માટે તેમણે પેટ્રોલ પર વધારાની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે રાજ્ય સરકારોને વિનંતી કરી કે તેઓ જનતાને રાહત આપવા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ ઘટાડવામાં આવે. નિર્મલા સીતારમણે કહ્યું, 'હું તમામ રાજ્ય સરકારોને વિનંતી કરું છું, ખાસ કરીને તે રાજ્યો, જ્યાં છેલ્લી વખત (નવેમ્બર 2021)માં પણ કાપ મૂકવામાં આવ્યો ન હતો. હું સામાન્ય માણસને રાહત આપવા વેટ ઘટાડવા વિનંતી કરું છું.
The notification on reduction of duty on Petrol and Diesel is now available
FM used the words ‘Excise Duty’, but the reduction is in Additional Excise Duty which is not shared with the states
કેન્દ્ર દ્વારા ઈંધણના ભાવમાં ઘટાડા અને નિર્મલા સીતારમણની રાજ્યોને તેનું પાલન કરવાની વિનંતી પર ટીકા કરતા પી. ચિદમ્બરમે ટ્વિટર પર દાવો કર્યો હતો કે, "રાજ્યોને નાણાપ્રધાનનો કૉલ અર્થહીન છે." જ્યારે કેન્દ્ર એક્સાઈઝ ડ્યુટીમાં 1 રૂપિયાની કપાત કરે છે, ત્યારે 41 પૈસા રાજ્યોને જાય છે. મતલબ કે કેન્દ્રએ 59 પૈસા અને રાજ્યોએ 41 પૈસાનો ઘટાડો કર્યો છે. તેથી રાજ્યો તરફ આંગળી ચીંધશો નહીં. વાસ્તવિક કાપ ત્યારે થશે જ્યારે કેન્દ્ર પેટ્રોલ અને ડીઝલ પર સેસમાં ઘટાડો કરશે (જે રાજ્યો સાથે શેર કરવામાં આવ્યો નથી). વાસ્તવમાં, ચિદમ્બરમની ભૂલ હતી. નાણામંત્રીએ માત્ર પેટ્રોલ અને ડીઝલ પરના સેસમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
The notification on reduction of duty on Petrol and Diesel is now available
FM used the words ‘Excise Duty’, but the reduction is in Additional Excise Duty which is not shared with the states
કેન્દ્રએ ઉજ્જવલા યોજના હેઠળ વિતરિત એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમતમાં પણ 200 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કર્યો છે. હવે ઈંધણ ઉત્પાદનો પર વેટ ઘટાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. જો રાજ્ય સરકારો વેટમાં ઘટાડો કરે છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જો કે, પી. ચિદમ્બરમે દલીલ કરી હતી કે રાજ્યોને ઈંધણ પર 'તેમના હિસ્સાની ફરજ તરીકે ખૂબ જ ઓછી રકમ' મળી રહી છે, કારણ કે તેમની આવક પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાંથી છે. તેમણે કહ્યું, "મને આશ્ચર્ય છે કે શું તેઓ તે આવક છોડી શકે છે, જ્યાં સુધી કેન્દ્રમાંથી તેમને વધુ નાણાં ટ્રાન્સફર કરવામાં ન આવે અથવા વધુ અનુદાન આપવામાં ન આવે." ચિદમ્બરમે કહ્યું, રાજ્યો માટે આગળ કૂવો અને પાછળ ખીણ જેવી સ્થિતિ હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર