Home /News /business /દેશમાં કોરોના મહામારીમાં દરમિયાન કરોડપતિઓની સંખ્યા વધી, ખુશ લોકોની સંખ્યા ઘટી, જાણો સંપૂર્ણ વિગતો
દેશમાં કોરોના મહામારીમાં દરમિયાન કરોડપતિઓની સંખ્યા વધી, ખુશ લોકોની સંખ્યા ઘટી, જાણો સંપૂર્ણ વિગતો
એક ક્વાર્ટર ડોલર મિલિયોનેરની મનપસંદ કાર મર્સિડીઝ બેન્ઝ છે
Dollar Millionaires in India Rise: કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી અને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી તરફ ઘણા એવા લોકો હતા જેમની સંપત્તિમાં ભારે વધારો જોવા મળ્યો હતો.
કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી અને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી તરફ ઘણા એવા લોકો હતા જેમની સંપત્તિમાં ભારે વધારો જોવા મળ્યો હતો. હુરુનની રિપોર્ટ (Hurun Report)માં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારીથી પ્રભાવિત વર્ષ 2021માં ભારતમાં 'ડોલર મિલિયોનર' એટલે કે સાત કરોડ રૂપિયાથી વધુની અંગત સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 11 ટકા વધીને 4.58 લાખ થઈ ગઈ છે.
જો કે આ સમયગાળા દરમિયાન એવા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે જેઓ પોતાને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ખુશ જણાવતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોતાને ખુશ ગણાવનારા લોકોની સંખ્યા ગયા વર્ષે ઘટીને 66 ટકા થઈ ગઈ છે, જે 2020માં 72 ટકા હતી.
અમીર અને ગરીબ વચ્ચે વધતી જતી અસમાનતા
હુરુનની રિપોર્ટના આ તારણો એવા સમયે આવ્યા છે જ્યારે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે વધતી અસમાનતા અંગે ચિંતા વધી રહી છે. ઓક્સફેમના તાજેતરના અહેવાલમાં પણ આ અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખૂબ જ શ્રીમંત લોકો પર વધુ કર વસૂલવાના વધતા જતા કોલ વચ્ચે, સર્વેક્ષણમાં સામેલ ત્રીજા કરતા પણ ઓછા લોકો માને છે કે વધુ કર ચૂકવવો એ સામાજિક જવાબદારીનું નિર્ણાયક ઘટક છે.
હુરુનની રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 સુધીમાં ભારતમાં 'ડોલર મિલિયોનેર્સ'ની સંખ્યા 30 ટકા વધીને છ લાખ સુધી પહોંચી જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં સૌથી વધુ 20,300 કરોડપતિ છે. આ પછી દિલ્હીમાં 17,400 કરોડપતિ પરિવારો અને કોલકાતામાં 10,500 ડોલર મિલિયોનર પરિવાર છે.
બાળકોના શિક્ષણ માટે અમેરિકા પ્રથમ પસંદગી છે
સર્વેક્ષણમાં બે તૃતીયાંશ કરતાં વધુ ડૉલર કરોડપતિઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના બાળકોને શિક્ષણ માટે વિદેશ મોકલવાનું પસંદ કરશે, જેમાં તેમની પ્રથમ પસંદગી યુએસ છે. એક ક્વાર્ટર ડોલર મિલિયોનેરની મનપસંદ કાર મર્સિડીઝ બેન્ઝ છે અને તેઓ દર ત્રણ વર્ષે તેમની કાર બદલી નાખે છે. ભારતીય હોટેલ્સની હોટેલ તાજ સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે, જ્યારે તનિષ્ક પસંદગીની જ્વેલરી બ્રાન્ડ છે.
હુરુન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે આગામી દાયકામાં લક્ઝરી બ્રાન્ડ્સ અને સર્વિસ પ્રોવાઈડર્સ માટે ભારતમાં પ્રવેશવાની શ્રેષ્ઠ તક છે. આગામી સમયમાં ડોલર કરોડપતિઓની સંખ્યામાં વધુ વધારો થશે. જો કે અમીર અને ગરીબ વચ્ચેની વધતી જતી ખાઈ ચિંતાનો વિષય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર