Home /News /business /જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે? જાણો શું કહ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે? જાણો શું કહ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે

શું જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે?

Old Pension Scheme: રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબ જેવી ઘણી રાજ્ય સરકારોએ સંકેત આપ્યા છે કે, તેઓ જૂની પેન્શન યોજના અપનાવશે, જ્યારે હિમાચલ પ્રદેશે પણ આ જ ઇરાદો વ્યક્ત કર્યો છે. 12 ડિસેમ્બરે નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે સંસદમાં આ અંગે કેન્દ્ર સરકારના મંતવ્યો વિશે માહિતી આપી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ચૂંટણીની મોસમમાં રાજ્યોમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પાછી લાવવાની વિપક્ષની માંગ વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સવાલ કર્યો છે કે, શું વર્તમાન પેઢી ભવિષ્યની પેઢીઓને નાણાકીય સ્થિરતાની ખાતરી આપી શકે છે. Network18ના ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશીને આપેલા એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) કહ્યું કે, આ નવી પેન્શન યોજના કોંગ્રેસ દ્વારા લાવવામાં આવી છે.

આ પણ વાંચો: બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં કેમ ઘટાડો કરાયો? જાણો શું કહ્યું નાણામંત્રીએ...

નાણામંત્રીએ કહ્યું કે, “નવી પેન્શન યોજના કોંગ્રેસના સમયમાં શરૂ કરવામાં આવી હતી. શું આપણે વર્તમાન પેઢીના પેન્શનરોને ભાવિ પેઢીઓ પર બોજ નાખીને ચૂકવણી કરી રહ્યા છીએ? યોગ્ય સંતુલન શું છે? આવનારી પેઢીઓ માટે આપણે શું છોડીને જઈ રહ્યા છીએ? આપણે આગામી દાયકા સુધી રાજ્યની નાણાકીય સ્થિતિ જોવી પડશે."

ઘણા રાજ્યોએ પેન્શન સિસ્ટમ પાછી લાવવાના સંકેત આપ્યા

રાજસ્થાન અને છત્તીસગઢ જેવા વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોમાં OPS સ્કીમને પાછી લાવવા અંગે વધી રહેલા હોબાળા અંગે વાત કરતા સીતારમણે કહ્યું કે, “નવી પેન્શન સ્કીમ લાવનાર રાજકીય વ્યવસ્થા માત્ર NDA જ નહીં, UPA સરકાર પણ હતી. નવી પેન્શન યોજનાનો સમગ્ર વિચાર કોંગ્રેસના શાસન દરમિયાન આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, આશ્ચર્ય કરવાની જરૂર છે કે, 'શું આપણે વર્તમાન પેઢીના પેન્શનરોનો બોજ ભાવિ પેઢીઓ પર નાખીને ચૂકવી રહ્યા છીએ?'

આ પણ વાંચો: 'ગેમચેન્જર સાબિત થશે પીએમ વિકાસ યોજના': નિર્મલા સીતારમણ

રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબ જેવી કેટલીક રાજ્ય સરકારોએ સંકેત આપ્યા છે કે, તેઓ જૂની પેન્શન યોજના પર સ્વિચ કરશે, જ્યારે હિમાચલ પ્રદેશે પણ તેનો ઈરાદો વ્યક્ત કર્યો છે. નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે 12 ડિસેમ્બરે સંસદમાં માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.
First published:

Tags: Budget 2023, Business news, FM Nirmala sitharaman, New Pension Scheme, Pension

विज्ञापन