Home /News /business /ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે કયા ફોર્મનો કરશો ઉપયોગ, જાણો અહીં!

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે કયા ફોર્મનો કરશો ઉપયોગ, જાણો અહીં!

પ્રતીકાત્મક તસવીર

CBDTએ FY2018-19 એટલે એસેસમેન્ટ યર 2019-20 માટે નવા આઈટીઆર ફોર્મ નોટિફાય કર્યા

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસન (CBDT)એ FY2018-19 એટલે કે એસેસમેન્ટ યર 2019-20 માટે નવા આઈટીઆર ફોર્મ નોટિફાય કર્યા છે. નવા નોટિફાઇડ ફોર્મ ITR 1 સહજ, 2, 3, 4 સુગમ, 5, 6, 7 છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ટેક્સપેયર્સથી રિટર્ન ફોર્મ્સમાં વધારે જાણકારી માંગવામાં આવી છે. નવા આઈટીઆર ફોર્મ્સમાં ટેક્સ પેયર્સને આ વખતે ભારતમાં નિવાસના દિવસોની સંખ્યા, અનલિસ્ટેડ શેર્સનું હોલ્ડિંગ અને ટીડીએસ પર ભાડુઆતની પાન જેવી જાણકારીઓ આપવી પડશે.

આપને જણાવી દઈએ કે નોકરીયાતોને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે આઈટીઆર-1 ફોર્મ ભરવાનું હોય છે. ગયા વર્ષે આઈટીઆર-1 ફોર્મમાં હાઉસ પ્રોપર્ટીથી આવકની વિસ્તૃત જાણકારી માંગવામાં આવી હતી.

ITR 1 સહજ
ITR 1 ફોર્મ એવા નાગરિકો માટે છે જેમની કુલ ઇન્કમ 50 લાખ રૂપિયા સુધીની છે. આ સેલરી, એક હાઉસ પ્રોપર્ટી અને વ્યાજથી થનારી ઇન્કમ હોય છે. ITR 1 સહજ એક પેજનું ફોર્મ છે.

50 લાખ સુધીની ઇન્કમ ત્રણ પ્રકારની હોવી જોઈએ.
- સેલરી કે પેન્શનથી આવક
- એક હાઉસ પ્રોપર્ટીથી આવક
- અન્ય સ્ત્રોતોથી આવક

નોટિફાય કરવામાં આવેલા ફોર્મ મુજબ, આ આઈટીઆરબ ફોર્મને તે વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે, જે કંપનીના ડાયરેક્ટર છે કે જેણે અનલિસ્ટેડ ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે.

ITR 2
આઈટીઆર-2 ફોર્મ એ લોકો અને અવિભાજિત હિન્દુ પરિવાર (એચયૂએફ) માટે છે, જેમને કોઈ વેપાર કે વ્યવસાયથી કોઈ પ્રોફિટ કે લાભ નથી થતો. ITR-2માં આપને પોતાના નિવાસ સ્થાન સાથે જોડાયેલી માહિતી આપવી પડશે કે તમે નાણાકીય વર્ષ 2018-19માં ત્યાંના નિવાસી હતા કે નહીં. કે સાધારણ નિવાસી હતા અને નોન-રેજિડેન્ટ હતા. જો તમારી પાસે કોઈ અનલિસ્ટેડ કંપનીના શેર છે તો આપને આઈટીઆર-2માં તેની જાણકારી આપવી પડશે. આ જાણકારીમાં કંપની, પાન, શેરોની સંખ્યા અને આપના દ્વારા ખરીદે કે વેચેલા શેરની જાણકારી હશે.

આ પણ વાંચો, IT રિટર્ન ભરતા સમયે આ બાબતો જણાવવી જરૂરી, બહાર પડ્યું નવું ફોર્મ

ITR 3
આઈટીઆર-3 ફોર્મ તે લોકો અને અવિભાજિત હિન્દુ પરિવારો (એચયૂએફ) માટે છે, જેમને કોઈ વેપાર કે વ્યવસાયથી કઈ પ્રોફિટ કે લાભ થાય છે.

ITR 4 સુગમ
આઈટીઆર-4 સુગમ ફોર્મ તે લોકો માટે છે જેમને વેપાર કે વ્યવસાયથી આવક થઈ રહી છે.

ITR 5
આઈટીઆર-5 ઈન્ડિવિજુઅલ, એચયૂએફ, કંપની અને ITR 7 ફોર્મ ભરનારાઓને વધારાના અન્યા ટેક્સ પેયર્સ માટે છે.

ITR 6
આઈટીઆર-6 ફોર્મ સેક્શન 11 હેઠળ છૂટનો દાવો કરનારી કંપનીઓ ઉપરાંત અન્ય કંપનીઓ માટે છે.

ITR 7
એવી કંપનીઓ અને લકો માટે જેમને સેક્શન 139(4A) કે 139(4B) કે 139(4C) કે 139(4D) કે 139(4E) કે 139(4F) હેઠળ રિટર્ન ભરવાની જરૂર છે.
First published:

Tags: CBDT, IT Return, ITR, Tax, આયકર વિભાગ