Home /News /business /રુ.40 હજાર કરોડનું રોકાણ અને 50 હજાર નોકરીઓ, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રુ.40 હજાર કરોડનું રોકાણ અને 50 હજાર નોકરીઓ, મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

આંધ્ર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત

Mukesh Ambani to invest in Andhra Pradesh: આંધ્રપ્રદેશના વિઝાગમાં આજથી શરું થયેલી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાતો કરતાં કહ્યું કે અહીંથી ભારતના ગ્રોથની નવી સ્ટોરી શરું થશે.

વિશાખાપટ્ટનમઃ મુકેશ અંબાણીએ આંધ્રપ્રદેશ માટે મોટી જાહેરાત કરી છે. તે રાજ્યમાં કંઈક એવું કરશે કે ત્યાંના 50 હજાર લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આંધ્રપ્રદેશના ઉત્પાદનોને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવા માટે રિલાયન્સ રિટેલ રાજ્યમાંથી વધુને વધુ કૃષિ, કૃષિ આધારિત ઉત્પાદનો અને અન્ય ઉત્પાદનોનું સોર્સિંગ કરશે. આ સાથે કંપની રાજ્યમાં 10 ગીગાવોટ અથવા કહો કે 10,000 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપશે.

નેચરલ ગેસનું પ્રોડક્શન વધારશે


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને જણાવ્યું હતું કે અહીંથી કંપનીની તેલ અને ગેસ સંશોધન ટીમને 2002માં ગેસ મળ્યો હતો. "અમે અમારી KGD યોજનાની છ અસ્કયામતોમાં 150,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે જે ગેસ પાઇપલાઇનના વિકાસમાં સહાયક છે. આજે રિલાયન્સ દ્વારા KGD ના છ બેસિનમાં જે કુદરતી ગેસનું ઉત્પાદન થાય છે તેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા અભિયાનને વેગ મળી રહ્યો છે અને ભારતના ગેસ ઉત્પાદનમાં લગભગ 30 ટકા યોગદાન આપીશું. આ માત્ર એક ઉદાહરણ છે કે આંધ્ર ભારતના વિકાસ માટે કેટલું મહત્વપૂર્ણ છે અને આંધ્રના વિકાસમાં રિલાયન્સ કેટલું રોકાણ કરે છે."

આ પણ વાંચોઃ ગુજરાતના પાડોશી રાજ્યમાં ખેડૂતે એવા બટાકા ઉગાવ્યા કે દેશભરમાંથી ઓર્ડર આવ્યા

તેમણે એમ પણ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને તેવી જ રીતે, આંધ્ર પ્રદેશે વાયએસ જગન મોહન રેડ્ડીના સ્વપ્નદ્રષ્ટા અને યુવા નેતૃત્વ હેઠળ અસાધારણ વિકાસ કર્યો છે.


નાના વેપારીઓને સાથે રાખીને વિકાસ


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે ​​આંધ્ર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં આ જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની હાજરીમાં રિટેલ ક્ષેત્રમાં થઈ રહેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલે આંધ્ર પ્રદેશના 6 હજાર ગામડાઓમાં એક લાખ 20 હજારથી વધુ કરિયાણાના વેપારીઓ સાથે ભાગીદારી કરી છે. નાના વ્યવસાયો ડિજિટલ યુગમાં વિકાસ માટે જરૂરી સાધનોથી સજ્જ છે. રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશમાં 20,000 થી વધુ સીધી નોકરીઓ અને મોટી સંખ્યામાં પરોક્ષ નોકરીઓ પ્રદાન કરી છે.

આ પણ વાંચોઃ માર્કેટમાં જાણે સીઝન બદલાઈ! Adani Groupની પાછળ આ બેંકોના શેરમાં પણ તેજીનું તોફાન

જિયોથી નવી તકો ઉભી કરશે


રિલાયન્સ જિયો વિશે વાત કરતાં, મુકેશ અંબાણીએ કહ્યું કે Jio True 5Gનું રોલઆઉટ આંધ્ર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં 2023ના અંત પહેલા પૂર્ણ થઈ જશે. 40,000 કરોડથી વધુના રોકાણ સાથે, Jio એ રાજ્યની સૌથી મોટી અને શ્રેષ્ઠ ડિજિટલ નેટવર્ક ફૂટપ્રિન્ટ બનાવી છે, જે રાજ્યની 98% વસ્તીને આવરી લે છે. Jio True 5G અર્થતંત્રને નવી ગતિ આપશે અને મોટા પાયે વેપાર અને રોજગારીની તકો ઉભી કરશે.



આંધ્રપ્રદેશની યોગ્યતાઓ ગણાવતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેની પાસે ઉત્તમ ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓની લાંબી લાઇન છે. ખાસ કરીને ફાર્મા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને સૌથી ઉપર આંધ્ર પાસે વિશાળ દરિયાઈ સરહદ છે જે તેને વાદળી અર્થવ્યવસ્થામાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આંધ્ર નવા ભારતના વિકાસની ગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
First published:

Tags: Business news, Business news in gujarati, Mukesh Ambani, Reliance Industries

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો