Home /News /business /રોજ 12 કલાક કામ કરવા પર મળશે અઠવાડીયામાં 3 રજા, મોદી સરકાર 1 ઓક્ટોબરથી નિયમોમાં કરશે ફેરફાર

રોજ 12 કલાક કામ કરવા પર મળશે અઠવાડીયામાં 3 રજા, મોદી સરકાર 1 ઓક્ટોબરથી નિયમોમાં કરશે ફેરફાર

મોદી સરકાર 1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરી શકે છે

એક અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળશે. પગાર ઘટશે અને પીએફ વધશે. નિવૃત્તિ પર વધુ પૈસા મળશે. નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે

Labour Code Rules: મોદી સરકાર 1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, મોદી સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોનો અમલ કરવા માંગતી હતી, પરંતુ રાજ્ય સરકારોની તૈયારી ન હોવાથી સ્થગિત કર્યું હતું. હવે મોદી સરકારે 1 ઓક્ટોબરથી તેનો અમલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જો આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થાય છે, તો તમે ઓફિસમાં 12 કલાક કામ કરશો તો એક સપ્તાહની 3 દિવસની રજા મેળવી શકો છો. લેબર કોડના નિયમો પછી તમારી નોકરી અને પગાર કેવી રીતે બદલાશે તે જોઈએ.

એક અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળશે

અત્યારે મોટાભાગની કચેરીઓમાં 8 થી 9 કલાકની પાળી અથવા ઓફિસનો સમય હોય છે. નવા લેબર કોડમાં, કામના કલાકો વધારીને 12 કલાક કરવાની જોગવાઈ છે. અઠવાડિયામાં 48 કલાક કામ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દિવસમાં 8 કલાક કામ કરે છે, તો તેણે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે. 9 કલાક કામ કરવાથી અઠવાડિયામાં 5 દિવસ કામ કરવું પડશે. જો તમે 12 કલાક કામ કરો છો, તો તમને અઠવાડિયામાં 3 દિવસની રજા મળશે. એટલે કે, જો તમે સોમવારથી ગુરુવાર 4 દિવસ માટે 12 કલાક કામ કરો છો, તો પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, શુક્રવાર, શનિવાર અને રવિવારને રજા મળશે. જોકે, લેબર યુનિયન 12-કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યા છે.

પગાર ઘટશે અને પીએફ વધશે

નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, મૂળ પગાર, કુલ વેતનના 50% અથવા વધુ હોવું જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારના સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. બેસિક પગારમાં વધારા સાથે, પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવતી રકમ વધશે, કારણ કે આમાં જતા પૈસા બેસિક પગારના પ્રમાણમાં હોય છે. જો આવું થાય, તો તમારા હાથમાં આવતા પગારમાં ઘટાડો થશે, અને નિવૃત્તિ પર પીએફ અને ગ્રેચ્યુઇટીના પૈસા વધારે આવશે.

આ પણ વાંચોRakesh Jhunjhunwala Airline: રાકેશ ઝુનઝુનવાલા નવી વિમાન કંપની માટે 70 વિમાનો ખરીદવાની તૈયારી કરી રહ્યા

નિવૃત્તિ પર વધુ પૈસા મળશે

ગ્રેચ્યુઇટી અને પીએફમાં ફાળો વધવા સાથે, નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમ વધશે. પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારાની સાથે કંપનીઓનો ખર્ચ પણ વધશે. કારણ કે તેમણે પણ કર્મચારીઓ માટે પીએફમાં વધુ ફાળો આપવો પડશે. આ વસ્તુઓની અસર કંપનીઓની બેલેન્સશીટ પર પણ પડશે.

નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે

સરકાર 1 એપ્રિલ 2021થી નવા લેબર કોડના નિયમો લાગુ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવને કારણે અને કંપનીઓને એચઆર પોલિસીમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોએ આ નિયમોના અમલ માટે વધુ સમય માંગ્યો હતો, જેના કારણે તેમને 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - International Tiger Day 2021 : વાઘ 30 ફૂટ લાંબી, 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે, વાઘ વિશેની 25 રસપ્રદ વાતો

સપ્ટેમ્બર 2020માં નિયમો પસાર કરવામાં આવ્યા હતા

હવે શ્રમ મંત્રાલય અને મોદી સરકાર 1 ઓક્ટોબર સુધીમાં લેબર કોડના નિયમોને સૂચિત કરવા માંગે છે. ઓગસ્ટ 2019ના રોજ સંસદે ત્રણ શ્રમ સંહિતા, ઔદ્યોગિક રિલેશન, કામની સુરક્ષા, આરોગ્ય અને વર્કિંગ કન્ડિશન અને સામાજિક સુરક્ષાથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા. આ નિયમો સપ્ટેમ્બર 2020ના રોજ પસાર કરવામાં આવ્યા હતા.

(લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.
First published:

Tags: Labour, Labour minister

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો