Home /News /business /DA Hike: મોદી સરકાર કર્મચારીઓને હોળી પર ભેટ આપી શકે છે, જાણો કેટલો ફાયદો થઇ શકે

DA Hike: મોદી સરકાર કર્મચારીઓને હોળી પર ભેટ આપી શકે છે, જાણો કેટલો ફાયદો થઇ શકે

કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર (જાન્યુઆરી અને 1 જુલાઈ) મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરે છે.

7 th Pay Commission: મોંઘવારીનાં તાજા આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે પણ પગાર/પેન્શન મેળવતા તમામ કર્મચારીઓ, અધિકારીઓના ડીએમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના નવા ડેટા જાહેર થયા બાદ ડીએમાં વધારાની પ્રબળ સંભાવના છે.

વધુ જુઓ ...
7 th Pay Commission: સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના પડઘા સંભળાઈ રહ્યા છે અને સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ છેલ્લા ઘણા સમયથી રેપો રેટમાં વધારો કરી રહી છે, જેના કારણે મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે. આવા માહોલમાં એક સારા સમાચાર છે કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના ડીએમાં વધારો કરવાનો સમય આવી ગયો છે અને ફરી એકવાર હોળીના અવસર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશભરના કર્મચારીઓને ભેટ આપવા જઈ રહી છે, જેમને 7મા પગાર પંચના આધારે પગાર મળે છે.

કેન્દ્ર સરકાર દર વર્ષે બે વાર (જાન્યુઆરી અને 1 જુલાઈ) મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરે છે, જે સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવે છે. જુલાઈ 2021 પહેલા, કોરોનાવાયરસ અને કોવિડની અસરને કારણે દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થામાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ જુલાઈ 2021 માં, મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો, જેનાથી DA 28 ટકા થયો.

આ પણ વાંચો:Google Courses: કોઈ પણ જાતના ખર્ચ વગર કરિયર સેટ થઇ જશે, Google ફ્રી આપી રહ્યું છે આ કોર્સ

આ પછી, સરકારે મુસીબત માંથી બહાર નીકળીને, ઓક્ટોબરમાં ફરી એકવાર ડીએમાં સુધારો કર્યો અને મોંઘવારી ભથ્થાને 31 ટકા પર લઈ ત્રણ ટકા વધારાની જાહેરાત કરી. આ પછી જાન્યુઆરી, 2022થી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જુલાઈ 2022થી ફરી એકવાર 4 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી હતી, તેથી હવે દરેક કેન્દ્ર સરકારના કર્મચારીને 38 ટકા મોંઘવારી ભથ્થું મળે છે.

મોંઘવારીનાં તાજા આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે પણ પગાર-પેન્શન મેળવતા તમામ કર્મચારીઓ-અધિકારીઓના ડીએમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના નવા ડેટા જાહેર થયા બાદ ડીએમાં વધારાની પ્રબળ સંભાવનાને બિલકુલ નકારી શકાય તેમ નથી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 48 લાખ કર્મચારીઓ-અધિકારીઓ અને પેન્શન મેળવતા 69 લાખ લોકોને ફાયદો થશે.

આ પણ વાંચો:કાળા ઘઉં પછી હવે બ્લુ ઘઉંની ખેતીથી લાખોપતિ બની રહ્યા છે અહીંના ખેડૂતો

કોને કેટલો ફાયદો


જો કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે છે, તો 7મા પગાર પંચના આધારે પગાર મેળવતા તમામ કર્મચારીઓને 750 રૂપિયા પ્રતિ માસના મૂળ પગાર પર દર મહિને ડીએમાં 540 રૂપિયાનો વધારો મળશે. તેવી જ રીતે, રૂ. 50,000નો મૂળ પગાર મેળવનારાઓને દર મહિને રૂ.1,500નો લાભ મળશે અને રૂ.1,00,000નો મૂળ પગાર ધરાવતા લોકોને 3 ટકાના વધારા બાદ કુલ પગારમાં રૂ.3,000 પ્રતિ માસનો લાભ મળશે.



જો આ વખતે પણ DAમાં 4%નો વધારો કરવામાં આવે છે, તો 7મા પગાર પંચની ભલામણ અનુસાર, જો તમારો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને જો તમારો મૂળ પગાર 25,000 રૂપિયા છે, તો તમારા DAમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થશે. તમને દર મહિને 1,000 રૂપિયાનો નફો મળશે. તેવી જ રીતે, જો તમારો મૂળ પગાર રૂ.50,000 છે, તો તમને કુલ પગારમાં દર મહિને રૂ.2,000નો વધારો મળશે, અને જો તમારો મૂળ પગાર રૂ.1,00,000 છે, તો મોંઘવારી ભથ્થામાં 4% વધારા પછીનો કુલ પગાર થશે. 4,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે.
First published:

Tags: 7th pay commission, Business news, DA Hike, Government employee, Modi government મોદી સરકાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો