Home /News /business /ખેડૂતો, ગરીબો અને ગામડાના વિકાસ માટે બજેટમાં આ જાહેરાતો કરાઈ

ખેડૂતો, ગરીબો અને ગામડાના વિકાસ માટે બજેટમાં આ જાહેરાતો કરાઈ

પ્રતિકાત્મક તસવીર

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે અમારી સરકારની તમામ યોજનાનું લક્ષ્ય ગામ, ગરીબ અને ખેડૂતને ધ્યાનમાં રાખીને નક્કી કરાયું છે.

ન્યૂઝ 18 ગુજરાતી : મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકારનો ઉદેશ્ય ખેડૂતો, ગરીબો અને ગામડાનો વિકાસ છે. સરકારે બજેટમાં આ ત્રણે સ્થંભોને ધ્યાનમાં રાખીને કઈકને કઈક યોજનાઓ બનાવી છે. જાણો આ બજેટમાં ખેડૂતો, ગરીબો અને ગ્રામિણ વિકાસ માટે સરકારે કરેલી જાહેરાતો.

ગ્રામિણ રસ્તા : સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે આગામી સમયમાં પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 80,250 કરોડના ખર્ચે ગ્રામિણ વિસ્તારોમાં પાકા રોડ બંધાશે.

ખેડૂતો માટે : ખેડૂતો માટે ઝીરો બજેટ ફાર્મિંગનું લક્ષ્ય છે. ખાદી, વાસ, મધની ખેતી અને ખરીદી તેમજ વેચાણ માટે સ્પેશિયલ ક્લસ્ટર બનશે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટી રકમ ખર્ચાશે. સરકાર આ ક્ષેત્રોમાં ખાનગી રોકાણ વધારશે. સરકાર નવા 10,000 ખેડૂત ઉત્પાદક સંઘો બનાવશે.

આ પણ વાંચો :   બજેટમાં મોટી જાહેરાત - હવે ઇનકમ ટેક્સ રિટર્ન માટે PAN કાર્ડ જરૂરી નથી

ગરીબો માટે : સરકાર વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને ઘર ઉપલબ્ધ કરાવશે. વર્ષ 2024 સુધીમાં દરેક ગરીબને ઘર, વીજળી પાણી અને ગેસ આપવામાં આવશે. પીએમ આવાસ યોજના હેઠળ 1.95 ઘરો તૈયાર થશે.

આ પણ વાંચો :  ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને મળશે આધાર કાર્ડ : બજેટમાં જાહેરાત

બજેટની અન્ય જાહેરાતો

  • સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે

  • નાણા મંત્રી સીતારમણે કહ્યું કે પહેલાં જે ઘર બાંધવામાં 340 દિવસનો સમય થતો હતો તે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.

  • નાના દુકાનદારોને પેન્શન મળશે, 59 મિનિટમાં મળશે લોન

  • ભાડાના ઘરમાં રહો છો? તો બજેટમાં તમારા માટે છે ખુશખબર

  • 3 કરોડ દુકાનદારોને પેન્શન યોજનાનો લાભ મળશે

  • જનધન ખાતાધારક મહિલાઓને 50,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળશે

  • એક કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે

  • આ વર્ષે જ ભારતનું અર્થતંત્ર 3 મિલિયન અબજ ડૉલરનું થશે

  • સાગરમાલા યોજના હેઠળ નવા બંદરોનો વિકાસ કરાશે

First published:

Tags: Budget 2019, Finance Minister, Nirmala Sitharaman, Union Budget 2019, બજેટ