નવી દિલ્હી. હવે દેશભરના ઘરેણાના બજારો (Jewellery Markets)માં માત્ર હોલમાર્ક (Hallmark)વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, 1 જૂન 2021થી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજીયાત (Mandatory Gold Hallmarking) કરી દેવાયું છે. અત્યાર સુધીમાં તે મરજિયાત હતું,પરંતુ હવે તેને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારે નિર્ણય લીધા મુજબ આનિયમ લાગુ થયા બાદ દેશમાં માત્ર 14, 18 અને 22 કેરેટના દાગીનાનો (Gold Jewellery) જ વેપાર થઇ શકશે.
કેન્દ્ર સરકારે નવેમ્બર 2019માં જાહેરાત કરી હતી કે સોનાના દાગીના અને કલાકૃતિઓ માટે 15 જાન્યુઆરી, 2021થી હોલમાર્ક ફરજીયાત થઇ જશે. જોકે, કોરોના મહામારી (Corona Pandemic)ને જોતા તારીખ પાછળ ધકેલવામાં આવી હતી અને તેને લાગૂ કરવાનો સમય 1 જૂન, 2021 કરી દેવાયો હતો. હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તારીખ હવે વધુ નહીં ઠેલાય. કેન્દ્રએ જવેલર્સને BIS પાસે રજીસ્ટ્રેશન કરાવવા માટે 1.5 વર્ષથી વધુનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોલમાર્ક લાગવાથી છેતરપિંડીની ઘટનાઓ બંધ થઇ જશે અને ગ્રાહકને શુદ્ધ સોનુ મળી રહેશે.
ઉપભોકતા મામલાની સચિવ લીના નંદને કહ્યું કે BISએ જવેલર્સને હોલમાર્ક આપવામાં લાગ્યું છે. BISના ડાયરેક્ટર પ્રમોદ કુમાર તિવારીએ કહ્યું કે અમે 1 જૂન 2021થી હોલમાર્ક ફરજીયાત કરવા તૈયાર છીએ. અમને આ તરીકે પાછી ઠેલવા અંગે કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. જોકે, દેશના 35 હજારથી વધુ જવેલર્સે BIS રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ આંકડો આગામી મહિના સુધીમાં 1 લાખને પાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે ભારત દદુનિયામાં સૌથી વધુ સોનુ આયાત કરતો દેશ છે. ભારતમાં દર વર્ષે 700થી 800 ટન સોનુ આયાત થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર