Home /News /business /નસીબના ખેલ: માલિકે ડ્રાઈવરને કહ્યું, તમારું નસીબ અજમાવો, પછી ખરીદી લોટરી અને બન્યા કરોડપતિ
નસીબના ખેલ: માલિકે ડ્રાઈવરને કહ્યું, તમારું નસીબ અજમાવો, પછી ખરીદી લોટરી અને બન્યા કરોડપતિ
અજય લગભગ ચાર વર્ષ પહેલા ડ્રાઈવરની નોકરી મેળવવા ભારતથી દુબઈ આવ્યો હતો.
ભારતના ગરીબ પરિવારના વ્યક્તિ અજય દુબઈમાં ડ્રાઇવરની નોકરી કરી રહ્યા હતા. એ સમયે, તેના શેઠના કહેવા પર તે એક લોટરી ખરીદે છે અને આ લોટરી લાગતાંની સાથે જ તે કરોડપતિ બની જાય છે.
Real story of Indian Driver: ડ્રાઈવર તેના માલિકને લઈ જઈ રહ્યો હતો ત્યારે વાતવાતમાં માલિકે તેને કહ્યું કે તું તારું નસીબ કેમ નથી અજમાવતો? તે વાત પર ડ્રાઇવર તરત જ લોટરીની ટિકિટ ખરીદે છે અને પળવારમાં કરોડપતિ બની જાય છે. તેને 33 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પરંતુ દુબઈમાં રહેતા એક ભારતીય ડ્રાઈવરની વાસ્તવિક વાર્તા છે.
ભારતનો રહેવાસી
તેને 15 મિલિયન દિરહામ એટલે કે લગભગ 33 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. આ 31 વર્ષના યુવકનું નામ અજય ઓગુલા છે. તે દુબઈમાં જ્વેલરી કંપનીની માલિકીની કાર ચલાવે છે. તાજેતરમાં, તેણે તેના જીવનમાં પ્રથમ વખત લોટરીની ટિકિટ ખરીદી હતી. તેણે એમિરેટ્સ ડ્રો ઈઝી6 માટે બે ટિકિટ ખરીદી હતી. અજય લગભગ ચાર વર્ષ પહેલા ડ્રાઈવરની નોકરી મેળવવા ભારતથી દુબઈ આવ્યો હતો. તે દક્ષિણ ભારતના એક રાજ્યનો રહેવાસી છે.
પળવારમાં કરોડપતિ બન્યા બાદ અજયે ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે 'બોસ સાથે પણ આવું જ થઈ રહ્યું હતું. પછી તેણે લોટરી જીતનાર કોઈનો ઉલ્લેખ કર્યો અને મને પણ મારું નસીબ અજમાવવા કહ્યું. તેણે કહ્યું કે તું અહીં તહીં પૈસા વેડફતો રહે છે. તું લોટરીની ટિકિટ કેમ નથી ખરીદતો?’ બોસની સલાહ મળતાં અજયે તેના મોબાઈલમાં એમિરેટ્સ ડ્રો મોબાઈલ એપ ડાઉનલોડ કરી અને બે લોટરીની ટિકિટો ખરીદી.
અજય તેના પરિવારમાં સૌથી મોટો પુત્ર છે અને તેના પર પરિવારની સંપૂર્ણ જવાબદારી પણ છે. તેમનો પરિવાર દક્ષિણ ભારતના એક શહેરમાં ભાડાના મકાનમાં રહે છે. તેના પરિવારમાં તેની માતા અને બે ભાઈઓ છે.
અજયે જણાવ્યું કે જ્યારે તે તેના મિત્રો સાથે હતો ત્યારે તેને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. પછી તે જોઈ જ રહ્યો. તેને લાગ્યું કે તેણે થોડા હજાર કે લાખ રૂપિયા જીત્યા છે. પરંતુ જ્યારે તેણે સંપૂર્ણ સંદેશ જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને લોટરીની રકમમાં શૂન્ય ગણવામાં થોડો સમય લાગ્યો. તે કહે છે કે, મેં થોડા સમય માટે મારું સંતુલન ગુમાવ્યું. અજય આ પૈસાનો ઉપયોગ તેના પરિવારને દુબઈ લઈ જવા, ગામમાં ઘર બનાવવા અને પોતાની કન્સ્ટ્રક્શન કંપની સ્થાપવા માટે કરે છે.
(Disclaimer: અહીં એક વ્યક્તિના જીવનમાં બનેલી સાચી ઘટના વર્ણવવામાં આવી છે. જણાવી દઈએ કે લોટરીમાં નફા-નુકસાન રહેલા છે. આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ માટે ન્યુઝ 18 તમને પ્રોત્સાહિત નથી કરી રહ્યું. કંઈ પણ કરતા પહેલા યોગ્ય સલાહકારની સલાહ જરૂરથી લ્યો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર