નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Central Government)એ મસૂર દાળ (Masur Dal) પર આયાત ચાર્જ (Import Duty) ઘટાડીને શૂન્ય કરી દીધો છે અને મસૂરની દાળ પર કૃષિ માળખાકિય સુવિધાના વિકાસ ઉપકર (Agri Infra Development Cess)ને પણ અડધો કરીને 10 ટકા કરી દીધો છે. આ પગલાનો ઉદ્દેશ સ્થાનિક આપૂર્તિને પ્રોત્સાહન અને વધતી કિંમતો પર લગામ કસવાનો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આ સંબંધમાં એક અધિસૂચના રાજ્યસભા (Rajya Sabha)માં રજૂ કરી. નિર્મલા સીતારમણે કહ્યું કે અમેરિકા ઉપરાંત અન્ય દેશોની મસૂર દાળ પર આયાત ચાર્જ 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે.
તેની સાથે જ, અમેરિકામાં પકવવામાં આવતી કે નિકાસ કરવામાં આવતી મસૂર દાળ પર મૂળ સીમા ચાર્જ 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસૂદ દાળ પર કૃષી અવસંરચના વિકાસ ઉપકરને હાલના દર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે.
ગ્રાહક મામલાઓના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, હાલ મસૂર દાળનો જથ્થાબંધ ભાવ 30 ટકા વધીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, જે આ વર્ષે પહેલી એપ્રિલે 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.
સરકારી કૃષિ માળખાકિય સુવિધાને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ, ડીઝલ, સોનું અને કેટલાક આયાત કરવામાં આવતા કૃષિ પ્રોડક્ટ્સ સહિત કેટલીક વસ્તુઓ પર કૃષિ માળખાકિય સુવિધા અને વિકાસ ઉપકર (એઆઇડીસી) લાગુ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર