Home /News /business /સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કંપનીઓ પર લગાવ્યો 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ

સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કંપનીઓ પર લગાવ્યો 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ

દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે.

દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે.

નવી દિલ્હી. સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol, diesel and air fuel) અને એર ફ્યુઅલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. હવે કંપનીઓએ ઉત્પાદનોની નિકાસ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ પગલું રિફાઈન્ડ પેટ્રોલ અને ડીઝલની નિકાસ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1 જુલાઈથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. સરકારે પેટ્રોલ અને ATFની નિકાસ પર પ્રતિ લીટર 6 રૂપિયાનો નિકાસ ટેક્સ લાદ્યો છે, જ્યારે ડીઝલની નિકાસ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ આપવો પડશે.

જો દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે. વૈશ્વિક બજારો માં ક્રૂડ ઓઇલ ની વધતી કિંમતો ને દયાન માં રાખી ને સ્થાનિક ઉત્પાદન બહાર ના જાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેટલાક ઉત્પાદકો માટે છૂટછાટ

સરકારે કહ્યું છે કે નિકાસ કેન્દ્રિત રિફાઇનરીઓને નવા કર માંથી મુક્તિ આપવામાં આવશે , પરંતુ તેઓએ ઉત્પાદનના 30 ટકા ડીઝલ સ્થાનિક બજાર માં વહેંચવું પડશે. નાના ઉત્પાદકો કે જેનું પાછલા વર્ષ માં ઉત્પાદન 20 લાખ બેરલ થી ઓછું હતું તેઓ ને નવા નિયમો માંથી મુક્તિ અપાશે. સ્થાનિક ઉત્પાદન ને પ્રોત્સાહન આપવા માટે , ગયા વર્ષ કરતા વધુ ઉત્પાદન કરતી કંપનીઓ વધારાના ઉત્પાદનો પાર સેસ વસૂલશે નહિ.

ખાનગી કંપનીઓ પર વધુ અસર

સરકારે કહ્યું છે ખાનગી કંપનીઓ ઉત્પાદનનો મોટો ભાગ નિકાસ કરે છે. તેથી આ નિર્ણય ની અસર તેના પર વધુ પડશે. છેલ્લા થોડા સમય થી ડિઝલ ની નિકાસ માં નોંધપાત્ર વધારો થયો છે. જે ને કાબુમાં લાવો ખુબ જરૂરી છે. સ્થિત રિફાઇનરી ના પુરવઠા માં 8 ટકા નો ઘટાડો થયો છે. તેમજ ONGC અને VEDANT માં પણ 5 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી સ્થાનિક બઝાર માં ઇંધણ સપ્લાય પર અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચોટ્રેન મુસાફરો માટે સમાચાર! મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદરાબાદ જતી 32 ટ્રેનો રદ થશે, જુઓ યાદી

નોંધનીય છે કે આ મહિના ની શરૂઆત માં દેશ ના ઘણા પેટ્રોલ પંપ પર ઇંધણ ની અછત હતી. પંપ ડિલરોએ જણાવ્યું હતું કે કંપનીઓ પાસે પૂરતો પુરવઠો નથી. આ પછી સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો, ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલ ની સપ્લાય સામાન્ય થઇ શકી હતી.
First published:

Tags: Business news, Business news in gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો