નવી દિલ્હી : મુશ્કેલ સમયમાં સોનાને સૌથી મોટી મદદ માનવામાં આવે છે. કોરોના સંકટ દરમિયાન, સોનાએ આ કહેવત સાચી હોવાનું દર્શાવ્યું હતું. વર્ષ 2020માં, સોનામાં પૈસા મૂકનારાઓએ મોટો નફો કર્યો. દિલ્હી સરાફા બજારમાં 7 ઓગસ્ટ 2020ના રોજ સોનાના ભાવો (Gold Prices) 10 ગ્રામ દીઠ 57,008 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે બંધ થયો હતો. ત્યારથી, આ કિમતી ધાતુના ભાવમાં શુક્રવાર 26 ફેબ્રુઆરી 2021 સુધી તેના ભાવમાં 11,409 રૂપિયા ઘટાડો થયો છે. ત્યારે ચાંદીનો ભાવ (Silver Prices), 7 ઓગસ્ટ 2020ના રોજ રૂ 77,840 હતો, જે ગત શુક્રવારે રૂ .10,421 ઘટીને 67,419 રૂપિયા થઈ ગયો છે. જોકે, હવે દરરોજ ઘટતા ભાવને લીધે, મોટાભાગના રોકાણકારો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે, શું તેઓએ સોનામાં રોકાણ કરવું જોઈએ કે હજુ થોડી રાહ જોવી જોઈએ. આ સિવાય, કેટલાક રોકાણકારો તેમની પાસે રહેલું સોનું વેચવું કે મુકી રાખવું તે મૂંઝવણમાં છે. તો ચાલો આપણે જાણીએ રોકાણકારો માટે યોગ્ય પગલું શું હોઈ શકે?
અમેરિકી બોન્ડ્સ યીલ્ડમાં વધારાની સોનાના ભાવ પર અસર પડી છે
રોકાણકારોનો એક મોટો વર્ગ એવો છે, જેઓ જાણવા માંગે છે કે હાલના ભાવે સોનામાં રોકાણ કરવું સલામત રહેશે કે કેમ. શું તેઓ આ તકનો લાભ લઈ અને મજબૂત નફો મેળવી શકે છે? આ અંગે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ તાજેતરમાં કહ્યું હતું કે, સોનાના ભાવમાં ઘટાડો થવાનાં ઘણાં કારણો છે. આનું મોટું કારણ અન્ય કોઈ ચલણની તુલનામાં ડોલરની કિંમત વધુ મજબૂત થવાનું છે. તેમના મતે, યુએસ ડોલર અને સોનું એક બીજાથી વિપરીત વર્તન કરે છે. જો ડોલરની માંગ વધશે, તો સોનાના ભાવ દબાણ હેઠળ આવશે. એટલે, અમેરિકન બોન્ડ્સ યિલ્ડમાં વધારાને કારણે પણ સોનાના ભાવ નીચે આવી ગયા છે.
આ પણ વાંચો -
'1 માર્ચથી દૂધ 100 રૂપિયા લિટર' કેમ ટ્વીટર ઉપર થઈ રહ્યું ટ્રેન્ડ
રોકાણકારો હાલના ભાવે સોનું ખરીદી મોટો નફો મેળવી શકે છે
મહેતા કહે છે કે, કોરોના વેક્સીનેશનની શરૂઆત થયા પછી અને આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યા પછી, લોકો હવે વધુ નફા માટે જોખમી રોકાણો તરફ તરફ વળ્યા છે. આમાં ઇક્વિટી અને ક્રિપ્ટોકરન્સી જેવા વિકલ્પો શામેલ છે. જોકે, તેઓને લાગે છે કે, સોનાના ભાવમાં ઘટાડો એ કામચલાઉ અને થોડા સમય માટે જ છે. તેથી, વર્તમાન ભાવે સોનામાં રોકાણ કરીને રોકાણકારો લાંબા ગાળે ઉત્તમ નફો મેળવી શકે છે. તેનાથી વિપરીત, ઇક્વિટીમાં આવેલી તેજી લાંબા સમય સુધી ટકશે તેવી આશા ઓછી દેખાઈ રહી છે. તેથી, ઝડપી નફો મેળવી બહાર નીકળવું એ એક વધુ સારો વિકલ્પ હોવાનું કહેવાય છે. જો શેર બજારોમાં ઘટાડો થશે તો, રોકાણકારો સોના તરફ જશે અને તેના ભાવ ઝડપથી વધશે. તેમના કહેવા પ્રમાણે, સોનું 3થી 4 મહિનાની અંદર 1960 ડોલર પ્રતિ ઔંસનું ઉચ્ચસ્તર સ્પર્શેી શકે છે, જે હાલ કરતાં 150 ડોલર વધારે હશે.
આ પણ વાંચો -
પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી ડેડલાઈન
2021માં સોનું નવા સ્તરે સ્પર્શી શકે છે, એવો નિષ્ણાતોના અંદાજ છે
ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ચિરાગ મહેતાએ કહ્યું છે કે, સોનાના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ યુ.એસ. બેંચમાર્ક બોન્ડ યિલ્ડમાં થયેલ વધારો છે. બેંચમાર્ક બોન્ડ ઉપજને બજારને આંચકો આપ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, જ્યાં તે 0.6 ટકાના નીચલા સ્તરે હતું, હવે તે બમણાથી વધુ 1.37 ટકા થઈ ગયું છે. જેને પગલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, તે માનતા નથી કે, આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેશે. જો ઉપજ ફરીથી વધશે, તો મધ્યસ્થ બેંક દખલ કરશે. જેનાથી ફરીથી સોનાને ટેકો મળશે. નિષ્ણાતો માને છે કે, 2021માં સોનાના ભાવમાં વધારો થવાનું નક્કી છે. આ ઉપરાંત, 7-10 ટકા સોનું તામારા રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે. નિષ્ણાતોની આગાહી છે કે, એકવાર સોનાની કિંમતોમાં વધારો શરૂ થશે, તે પછી10 ગ્રામ દીઠ 62,000 રૂપિયાની સપાટીને પાર કરશે.