Home /News /business /આજના સમયમાં રૂ. 10 લાખનું રોકાણ ક્યાં કરવું? સ્મોલ કે લાર્જકેપમાં? જાણો શું કહે છે શ્યામ શેખર

આજના સમયમાં રૂ. 10 લાખનું રોકાણ ક્યાં કરવું? સ્મોલ કે લાર્જકેપમાં? જાણો શું કહે છે શ્યામ શેખર

આજના સમયમાં રૂ. 10 લાખનું રોકાણ ક્યાં કરવું? સ્મોલ કે લાર્જકેપમાં? જાણો શું કહે છે શ્યામ શેખર

How to Invest rs.10 Lakh In Current Market: શેરબજારમાં જો તમારી પાસે રોકાણ માટે રુપિયા હોય તો કોઈ સમય સારો કે ખરાબ નથી હોતો, રોકાણ માટેની તમારી ચોઈસ ફક્ત સાચી હોવી જોઈએ. તેવામાં જો તમારી પાસે આજના સમયમાં 10 લાખ રુપિયા સુધીની રકમ રોકાણ માટે હોય તો iThoughtના શ્યામ શેખરની સલાહ મુજબ રોકાણ કરશો તો બેડો પાર થઈ જશે. તેમણે કહ્યું કે રોકાણ માટે સારી તકની રાહ જોવા કરતાં રોકાણ કરીને રાહ જોવું વધુ સારી બાબત છે.

વધુ જુઓ ...
ચેન્નાઈના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર (RIA) શ્યામ શેખર ભારતીય વેલ્થ એડવાઇઝરી ક્ષેત્રમાં સૌથી વધુ જાણીતા ચહેરાઓમાંના એક છે. જોકે, તેમણે પોતાના પ્રોફેશનલ જીવનના શરૂઆતના 22 વર્ષ સુધી અલગ જ પ્રોફેશનમાં કામ કર્યું હતું. તેઓ પેઇન્ટ્સ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ સાથે જોડાયેલા હતા અને પેઇન્ટ્સ ફોર્મ્યુલેટર અને ટેક્નોલૉજિસ્ટ હતા.

તદ્દન જુદા જ ફિલ્ડમાં હોવા છતાં શેખરને હંમેશાં ઇક્વિટી અને શેર બજારોમાં રસ હતો. જો કે, તે સમયે રૂઢિચુસ્ત રાજ્ય ગણાતા તામિલનાડુમાં ઇક્વિટીમાં ટ્રેડ કરવો એ સારી વાત ન હતી, તે સમયે તામિલનાડુમાં પૈસા એકઠા કરવા માટે જૂની વીમા સ્કીમ અને ફિક્સ્ડ ડિપોઝિટ્સનો ઉપયોગ વધુ થતો હતો.

આ પણ વાંચોઃ Traxon Technologies IPO: રિટેલ ગ્રાહકોમાં ઉત્સાહ, પહેલા જ દિવસે ઓવરસબ્સ્ક્રાઈબ; શું છે ગ્રે માર્કેટના સંકેત?

વેલ્થ મેનેજમેન્ટ કંપની સ્થાપી


શેખરે 1990માં ગ્રેજ્યુએટ થયા પછી પોતાની સામાન્ય બચત સાથે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષોથી ઇક્વિટીમાં તેમની રુચિ કેળવી હતી. આમ તો તેઓ બે દાયકાથી વધુ સમયથી તેમના પેઇન્ટ્સના વ્યવસાયમાં વ્યસ્ત હતા, પરંતુ આખરે તેમણે તેમની કંપનીની સ્થાપના કરીને ઇક્વિટીઝ અને વેલ્થ મેનેજમેન્ટ વ્યવસાયમાં ડૂબકી લગાવી હતી. 2010માં શરૂ થયેલી આ કંપનીનું નામ iThought હતું.

પ્રારંભિક વર્ષોમાં iThought ડિસ્ટ્રિબ્યુશન ફર્મ હતી અને લોકોને મ્યુચ્યુઅલ ફંડ્સ તથા અન્ય નાણાંકીય વિકલ્પોમાં રોકાણ કરવામાં મદદ કરતી હતી. વર્ષ 2016માં iThoughtને રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે લાઇસન્સ મળ્યું હતું. બાદમાં 2019માં કંપનીને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ લાઇસન્સ મળ્યું હતું. અત્યારે શેખર ચેન્નાઈ ઈન્વેસ્ટર ક્લબનો ભાગ હોવા ઉપરાંત તેઓ ભૂતકાળમાં તમિલનાડુ ઈન્વેસ્ટર્સ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો

રોકાણ માટે રુ. 10 લાખ હોય તો શું કરવું?


મારી પાસે રોકાણ કરવા માટે 10 લાખ રૂપિયા છે. તમે શું ભલામણ કરો છો? હું જાણું છું કે અસ્કયામતની ફાળવણી દરેક માટે અલગ હોય છે પણ વ્યાપક પણ તમે શું સલાહ આપશો?

તમારા નાણાંનો 60 ટકા હિસ્સો ઇક્વિટીમાં મૂકો. બાકીનું રોકાણ સોના, રોકડ અને ટૂંકા ગાળાના ડેટ ફંડના મિશ્રણમાં કરો.

આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં રોકાણ કરવા ભારતીયનો પ્રવાહ વધ્યો છે. શું તમે આંતરરાષ્ટ્રીય શેરોમાં રોકાણ કરવાની ભલામણ કરી છો?

ઇક્વિટી માટે 60 ટકા રકમ ફાળવવાનું સૂચન કર્યુ છે જે પૈકીનો 10 ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં રોકી શકો છો.

આંતરરાષ્ટ્રીય ઇક્વિટીની અંદર યુએસ બજારોમાં રોકાણનો આગ્રહ રાખો. અન્ય બજારોમાં ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ ઘણી વધારે છે. તેમજ અન્ય બજારોને ટ્રેક કરવા માટેની બેન્ડવિડ્થ પ્રમાણમાં ઓછી છે.

આ પણ વાંચોઃ માર્કેટમાં 20-30% કરેક્શન માટે રહો તૈયાર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કરો રોકાણ

શું હજી પણ ભારતમાં લાર્જ અને સ્મોલ કેપ્સ કંપનીમાં સારા સોદા શોધવાનું શક્ય છે?


ભારતમાં મોટી કંપનીઓમાં રોકાણ કરવું સહેલું છે, પરંતુ નાની કંપનીઓમાં આમ નથી, કારણ કે આપણને ગમતા બિઝનેસમાં આપણે ઊંચા વેલ્યુએશન જોઈએ છીએ. નાની કંપનીઓ શેર બજારોમાં વધુ પ્રવાહી નથી. કેટલીક નાની કંપનીઓમાં વેલ્યુએશન સસ્તાં લાગતાં હોવા છતાં ટ્રેડિંગ વોલ્યુમનું પ્રમાણ પૂરતું નથી. લિક્વિડિટી હોતી નથી.

પરિણામે ઘણા મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઊંચી ઇમ્પેક્ટ કોસ્ટ હોય છે. ઇમ્પેક્ટ કોસ્ટ વિશે સતર્ક રહો, તેના કારણે સ્ટોકની તમારી ઇચ્છિત માત્રા ખરીદતી વખતે તમે આદર્શ કિંમતથી વધુ ચૂકવણી કરો છો.

એટલે જ ઘણા નિષ્ણાતો મ્યુચ્યુઅલ ફંડ થકી સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરો ખરીદવાનું સૂચન કરે છે. આમાંની ઘણી સારી કામગીરી બજાવતા ફંડ ઝડપથી વધે છે. રોકાણકારો પરફોર્મન્સ પર નજર રાખે છે. જેના કારણે મિડ-કેપ અથવા સ્મોલ-કેપ ફંડ તમને ખ્યાલ પણ ન હોય, ત્યાં લાર્જ કદના બની જાય છે.

સ્મોલ-કેપ ફંડ્સમાં આટલો બધો ઇનફ્લો જોવા મળી રહ્યો છે તેનું કારણ એ છે કે લોકો માને છે કે તેમને લાર્જ-કેપ્સને બદલે સ્મોલ-કેપ્સમાં ઊંચું વળતર મળશે. પરંતુ આ ધારણા હંમેશાં સાચી ન પણ હોઈ શકે.

આ પણ વાંચોઃ ઓછું વ્યાજ વસૂલે છે આ ટોપ 5 ક્રેડિટ કાર્ડ, 1.5 ટકા જેટલું લાગે છે વ્યાજ અને મળે છે અદભુત સુવિધા

ઘણીવા આવી સામાન્ય ભૂલો કરે છે રોકાણકારો


આજે ભારતીય સ્મોલ-કેપ કંપનીઓનું મૂલ્યાંકન વાસ્તવમાં ભારત કરતાં વધુ વિકસિત બજારોમાં સ્મોલ-કેપ કંપનીઓના મૂલ્યાંકન કરતાં વધારે છે. જ્યારે સ્મોલ-કેપ શેર્સ ફેંકી દેવાના ભાવે ઉપલબ્ધ હોય ત્યારે તમારે તે ખરીદવા જોઈએ. આ રીતે તમે ઊંચું વળતર મેળવો છો. એ જ મારો અનુભવ રહ્યો છે.

કેટલાક રોકાણકારો માત્ર પોર્ટફોલિયો બનાવવા માટે સ્મોલ-કેપ કંપનીઓમાં મૂડી નાખી રહ્યા છે. પણ સ્મોલ-કેપ્સમાં રોકાણ કરવાની આ સારી રીત નથી અને તેથી જ હું સ્મોલ-કેપ્સ બાબતે ખૂબ જ સતર્ક છું. હું છેલ્લા ઘણા સમયથી સાવધ રહ્યો છું. હું ઇમ્પેકટ કોસ્ટ વિના મળે તેવા જ સ્ટોક ખરીદીશ. સ્મોલ-કેપ શેરોનું વિશ્વ સાંકડું અને ગીચ છે. જેના કારણે સ્મોલ-કેપ ક્ષેત્રમાં ભાગદોડ મચી ગઈ છે.

આ પણ વાંચોઃ કડવા લીમડાના મીઠાં ફાયદા, તમને બનાવી શકે કરોડપતિ, સમજો બિઝનેસનું આખું ગણિત

પોર્ટફોલિયોને નક્કર બનાવવા કેટલી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પૂરતી છે?


મને લાગે છે કે લગભગ પાંચ કે છ ચાલશે. હું એક અવ્યવસ્થિત વલણ જોઉં છું. ઘણા લોકો પોતાના દમ પર રોકાણ કરી રહ્યા છે. તમારે વધારે પડતાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ/સ્ટોક્સને ઉમેરવા ન જાઈએ. ગયા વર્ષે રોકાણકારોએ યુએસ શેરો અને મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી કેવી રીતે કરી તે જુઓ. તેઓએ ખોટા સમયે ખરીદી કરી હોવાનું જાણવા મળશે.

વધતા વ્યાજ દર અંગે કરી મોટી વાત


વ્યાજના દર વધી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તે કદાચ વધુ નહીં વધે. ત્યારે શું ટૂંકા ગાળાના બોન્ડમાં રોકાણ કરવું જોઈએ કે લાંબા ગાળાના ડેટમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે?

ડેટમાં રોકાણ કરવાની આદર્શ રીત આગળ જતા રોકડને એકબાજુ રાખવી અને તેને વ્યવસ્થિત રીતે જમા કરવીની હોય છે. આગામી બે વર્ષમાં ડેટનું રોકાણ વધુ પડકારજનક બનશે. આ પ્રકારના અશાંત અને વિકસતા આર્થિક તબક્કા દરમિયાન તમે ભૂતકાળની કામગીરીને જોઈ શકતા નથી અને ડેટમાં રોકાણ કરી શકો નહીં.

આગામી બે વર્ષમાં તમારા ડેટમાં રોકાણો ઉભરતા મેક્રો-ઇકોનોમિક પરિદૃશ્ય સાથે સારી રીતે સુસંગત હોવા જોઈએ.

જેમ જેમ વ્યાજના દરમાં વધારો થાય છે, તેમ તેમ તમારે તમારા ડેટ રોકાણોનો સમયગાળો વધારવાની જરૂર છે. ડેટમાં રોકાણ કરવામાં ઉતાવળ ન કરો. વૈશ્વિક વ્યાજદરના દૃશ્યને નજીકથી જુઓ. ભારતીય બજારો, વિનિમય દરો વગેરેને કેવી રીતે અસર કરે છે તે જાણો. તમે પોતે આવું ન કરી શકો તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની મદદ લઈ શકો છો.

આ પણ વાંચોઃ  નોકરીનું ટેન્શન છોડો ઓછા રોકાણમાં તગડી કમાણી કરાવશે આ બિઝનેસ

શું વધતી મોંઘવારી ખતરારૂપ છે?


ભારતમાં ફુગાવો બહુ વધી શકે નહીં. પરંતુ ફુગાવાને કાબૂમાં રાખવામાં આપણને સમય લાગશે. આબોહવા પરિવર્તન અને પાકના આઉટપુટ પર પણ ઘણું નિર્ભર છે.

ભારતીય અર્થવ્યવસ્થા અને બજારો માટે સૌથી મોટા જોખમો શું છે?



  • મને લાગે છે કે વિદેશી પ્રવાહ અને આઉટફ્લોએ મોટું જોખમ છે. વધુ પડતા પૈસા આવવા કે બહાર જવાથી સમસ્યા થઈ શકે છે.

  • બીજું જોખમ વિનિમય દર છે. ભારતે પોતાના ભંડોળનું સારી રીતે મેનેજમેન્ટ કરવાની જરૂર છે.

  • ત્રીજું જોખમ એ છે કે આપણી પાસે બેઝલાઇન વૃદ્ધિ સારી હોવી જરૂરી છે. આપણે આપણા વિકાસની તુલના અન્ય રાષ્ટ્રો સાથે કરીને આપણી જાતને સંતોષ આપી શકીએ નહીં.




(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Expert opinion, Investment tips, Share market, Stock market Tips