Home /News /business /PF ખાતાધારકો માટે મોટા સમાચાર! માર્ચમાં વ્યાજ દરો નક્કી થશે, શું દર 8%થી નીચે જશે?

PF ખાતાધારકો માટે મોટા સમાચાર! માર્ચમાં વ્યાજ દરો નક્કી થશે, શું દર 8%થી નીચે જશે?

પીએફનું વ્યાજ ડેટ અને ઇક્વિટીમાંથી થતી કમાણીનાં આધારે નક્કી કરવામાં આવે છે.

EPFO Interest Rate: કોરોના સમયગાળા દરમિયાન, પીએફ સહિત તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્યારે PFનો વ્યાજ દર 40 વર્ષમાં સૌથી નીચો છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતમાં યોજાનારી EPFOની બેઠકમાં તેના દરમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે.

વધુ જુઓ ...
EPFO Interest Rate: જો તમારું પણ કર્મચારી ભવિષ્ય નિધિમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે તમારા પીએફ પર મળતા વ્યાજ પર ફરી એકવાર કાતર લગાવવાની સંભાવના છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક 25-26 માર્ચે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF પરના વ્યાજ દરને લઈને યોજાવા જઈ રહી છે.

જોકે મીટિંગના એજન્ડા વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે વ્યાજ દર 8 ટકાના સ્તરથી નીચે જવાની શક્યતા નથી. પીએફ પર વર્તમાન વ્યાજ દર 43 વર્ષના નીચલા સ્તરે છે અને હાલમાં 8.10 ટકા વ્યાજ મળી રહ્યું છે.

આ પણ વાંચો:6 ELSS ફંડ આગળ FD પણ પાણી ભરે, 5 વર્ષમાં 21 ટકા સુધીનું પૈસા વસુલ રિટર્ન, ટેક્સ બેનિફીટમાં પણ અવ્વલ

EPFO વર્તમાન વ્યાજ દર 8.1 ટકા જાળવી શકે છે


માર્ચ 2022માં, CBT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નાણાકીય વર્ષ 2021-22 માટે EPFOના 6 કરોડથી વધુ સક્રિય લોકો માટે 8.1 ટકાના વ્યાજ દરની ભલામણ કરી હતી, જેનાથી અંદાજે રૂ.450 કરોડનો સરપ્લસ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFO ​​વર્તમાન વ્યાજ દર 8.1 ટકા જાળવી રાખી શકે છે. ઇક્વિટી રોકાણમાં વધુ વળતરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ કરી શકાય છે.

આ પણ વાંચો:ખેડૂતે ઘઉંની ખેતીમાં એવો પ્રયોગ કર્યો કે 9-9 ઈંચ લાંબી ડુંડીઓ આવી, 1 એકરમાં 100 મણ પાક ઉતરશે

85 ટકા ડેટ વિકલ્પોમાં રોકાણ કરે છે


તમને જણાવી દઈએ કે હાલમાં EPFO ​​ડેટ ઓપ્શન્સમાં 85 ટકા રોકાણ કરે છે, જેમાં સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ્સ પણ સામેલ છે. બાકીના 15 ટકા ઇટીએફમાં રોકાણ કરવામાં આવે છે. પીએફનું વ્યાજ ડેટ અને ઇક્વિટીમાંથી થતી કમાણીનાં આધારે નક્કી કરવામાં આવે છે.


કરોડો લોકોને નુકસાન થશે


તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએફ પર વ્યાજ ઘટાડીને 8 ટકા કરી શકાય છે. જો આમ થશે તો ખાનગી ક્ષેત્રમાં કામ કરતા 6 કરોડથી વધુ લોકોને સીધું નુકસાન થશે.
First published:

Tags: Business news, EPFO account, PF account, PF interest rate