નવી દિલ્હી: ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. ભારતની મોટાભાગની વસ્તી ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે. કોરોના કાળમાં પણ કૃષિના કારણે જ ભારતીય અર્થતંત્ર (Farming in Indian economy)ના શ્વાસ ચાલતા હતા. કૃષિ ક્ષેત્ર બહોળા પ્રમાણમાં રોજગારી ઉત્પન્ન થાય છે. આ સાથે તે નાના મોટા વ્યવસાયનો પાયો પણ છે. જેથી અહીં પોતાનો ધંધો કરવા માંગતા ખેડૂતો માટે ઓછા રોકાણ અને મોટા નફાના માર્જિનવાળો ધંધાકીય વિકલ્પ (business Idea with low investment) રજૂ કર્યો છે. આ લેખમાં સરગવાની ખેતી સાથે સંકળાયેલા બિઝનેસ (Drumstick Farming & Cultivation Business)ને જાણકારી અપાઈ છે.
સરગવાની ખેતી
સરગવાનું વૈજ્ઞાનિક નામ Moringa Oleifera છે. તેની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી અને તેની વધુ પડતી જાળવણી પણ જોઈતી નથી. તે ઓછો સમય લે છે અને નફાકારક પણ છે. ખેતી ખૂબ જ સરળ છે અને જો તમે તેને મોટા પાયે કરવા નથી માંગતા, તો તમે તમારા સામાન્ય પાક સાથે પણ તેની ખેતી કરી શકો છો. તે ગરમ વિસ્તારોમાં સરળતાથી ખીલે છે અને તેના ફૂલો માટે 25થી 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. જેથી ઠંડા વિસ્તારોમાં તેની ખેતી વધુ હિતાવહ ગણાતી નથી.
સરગવાની ખેતી મોટાભાગે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વ્યાપકપણે થાય છે. સરગવાનું વૃક્ષ ઝડપથી વિકાસ પામે છે. તેનો ઉપયોગ હેન્ડ વૉશ અને પાણી શુદ્ધિકરણ માટે થઈ શકે છે. તેમજ કેટલીકવાર તેનો ઉપયોગ હર્બલ દવામાં પણ થાય છે.
રોકાણ અને કમાણી
સરગવાના ફાર્મિંગ વ્યવસાયમાં તમે એકવાર નાણાંનું રોકાણ કરીને લાંબા ગાળાની કમાણી કરી શકો છો. એકંદરે તમે દર વર્ષે રૂ. 5 લાખ સુધીની કમાણી કરી શકો છો. એકવાર વાવ્યા પછી તેને ચાર વર્ષ સુધી વાવવું પડતું નથી. સરગવો ઔષધીય છોડ છે. જેથી આવા છોડની ખેતી સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ સરળ બની ગયું છે. યોગ્ય રીતે ઉગાડવામાં આવેલા સરગવાની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વધુ માંગ છે. જેથી વર્તમાન સમયે ખેડૂતોનું ધ્યાન સરગવાની ખેતીના વ્યવસાય પર વધી રહ્યું છે.
સરગવાની ખેતીનો વ્યવસાય કેવી રીતે શરૂ કરવો?
સરગવાની ખેતીની સૌથી ખાસ વાત એ છે કે, આ વ્યવસાય માટે તમારે જમીનના મોટા ટુકડાની જરૂર રહેતી નથી. તમે તમારા સામાન્ય પાક સાથે પણ તેની ખેતી કરી શકો છો. તેની ખેતીના 10 મહિના પછી ખેડૂતો પ્રતિ એકર ઘણી કમાણી કરી શકે છે. સરગવાનો ઉપયોગ દવા અને હર્બલ માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે, સરગવામાં 46 એન્ટી-ઓક્સિડન્ટ્સ, 92 વિટામિન્સ, 18 પ્રકારના એમિનો એસિડ અને 36 પેઇન કિલર હોય છે. આ સાથે સરગવાના ઉપયોગથી 350થી વધુ રોગોથી બચી શકાતું હોવાનો દાવો પણ કરવામાં આવે છે.
સરગવાનો લગભગ દરેક ભાગ ખાવામાં આવે છે. તેના ફૂલો, પાંદડા અને ફળોમાં ખૂબ પોષકતત્વો હોય છે. તમે તેના પાનને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. તેના બીજમાંથી તેલ પણ નીકળે છે. તેમાં પણ ઔષધીય ગુણો હોય છે. સરગવાનું વૃક્ષ પ્રથમ વર્ષ પછી વર્ષમાં બે વાર ઉત્પાદન આપે છે. સામાન્ય રીતે એક વૃક્ષ 10 વર્ષ સુધી સારી ઉપજ આપે છે. તેની મુખ્ય જાતો રોહિત 1, કોઈમ્બતુર 2, PKM 1 અને PKM 2 છે.
એક એકરમાં લગભગ 1,200 રોપાઓ વાવી શકાય છે. એક એકરમાં છોડ લગાવવાનો ખર્ચ લગભગ 60થી 70 હજાર રૂપિયા થશે. તમે માત્ર તેના પાંદડા વેચીને વાર્ષિક રૂ. 75,000 સુધીની કમાણી કરી શકો છો. બીજી તરફ સરગવાનું ઉત્પાદન કરીને તમે રૂ. 1.5થી 2 લાખથી વધુની કમાણી કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર