Home /News /business /બજેટ 2023: મફત અનાજ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવાઈ, 2 લાખ કરોડ રુપિયા ફાળવ્યા

બજેટ 2023: મફત અનાજ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવાઈ, 2 લાખ કરોડ રુપિયા ફાળવ્યા

મફત અનાજ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવાઈ

Budget 2023: નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર PMGKAY પર 2 લાખ કરોડ ખર્ચવાનો બોજ ઉઠાવશે અને અર્થવ્યવસ્થા પહેલા કરતા વધુ સંગઠિત બની છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. કોવિડ રોગચાળા દરમિયાન, અમે સુનિશ્ચિત કર્યું કે 28 મહિના સુધી 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ સપ્લાય કરવાની યોજના સાથે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે.

આ પણ વાંચો- Budget 2023 Live: મેળવો બજેટ 2023ની પળેપળની વિગત

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ સંભાષણમાં આગળ કહ્યું કે, મફત અનાજ યોજનાને 1 જાન્યુઆરી 2023ની તારીખથી આગામી 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે આ અમૃત સમયગાળાનું પ્રથમ કેન્દ્રીય બજેટ છે અને આવનારા 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ છે. આ બજેટમાં નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર PMGKAY પર 2 લાખ કરોડ ખર્ચવાનો બોજ ઉઠાવશે અને અર્થવ્યવસ્થા પહેલા કરતા વધુ સંગઠિત બની છે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે, સમાજના તમામ વર્ગોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આર્થિક પ્રગતિનો લાભ બધા સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, 7% જીડીપી વૃદ્ધિનો અંદાજ છે અને વિશ્વએ ભારતની તાકાતને ઓળખી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા પહેલા કરતાં ઘણી વધુ સંગઠિત થઈ ગઈ છે. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને માથાદીઠ આવક બમણીથી વધુ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Budget 2023: શું છે બ્લેક બજેટ અને કેમ ભારતમાં તેને રજૂ કરવું પડ્યું હતું? રોચક છે ઈતિહાસ

તેમણે કહ્યું કે 2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકોના જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ છે. આ 9 વર્ષોમાં, ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે વિકસ્યું છે.
First published:

Tags: Budget 2023, Business news, Finance minister nirmala sitharaman, Free Ration