Home /News /business /Harshad Mehta Secret : હર્ષદ મહેતાની પત્નીએ તોડ્યું મૌન, સ્વર્ગસ્થ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઇટ

Harshad Mehta Secret : હર્ષદ મહેતાની પત્નીએ તોડ્યું મૌન, સ્વર્ગસ્થ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઇટ

હર્ષદ મહેતા (ફાઇલ તસવીર)

હર્ષદ મહેતાના પરિવારે લોકોને તેમના વિશેની તથ્યપૂર્ણ માહિતી આપવા માટે https://www.harshadmehta.in નામની વેબસાઇટ પણ શરૂ કરી છે. તેમની પત્નીએ વેબસાઈટ પર લખ્યું છે કે તેમના ઘા હજુ પણ તાજા છે અને 20 વર્ષ પછી પણ તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવ્યો નથી.

વધુ જુઓ ...
    ભારતીય શેરબજારના સૌથી નામચીન કૌભાંડના આરોપી સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાનું (Harshad Mehta) 30 ડિસેમ્બર 2001ની રાત્રે જેલમાં અવસાન થયું હતું. હવે આ ઘટનાના 20 વર્ષથી વધુ સમય બાદ તેમની પત્ની જ્યોતિ મહેતાએ મોટી જાહેરાત કરી છે. તેમણે થાણે જેલના (જ્યાં હર્ષદ મહેતા મૃત્યુ પામ્યા હતા) સત્તાવાળાઓ પર તેના પતિ હર્ષદ મહેતાને સમયસર યોગ્ય તબીબી સારવાર આપવામાં બેદરકારીનો આરોપ મૂક્યો છે.

    આ સાથે હર્ષદ મહેતાના પરિવારે લોકોને તેમના વિશેની તથ્યપૂર્ણ માહિતી આપવા માટે https://www.harshadmehta.in નામની વેબસાઇટ પણ શરૂ કરી છે. તેમની પત્નીએ વેબસાઈટ પર લખ્યું છે કે તેમના ઘા હજુ પણ તાજા છે અને 20 વર્ષ પછી પણ તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. પરિવારનું કહેવું છે કે હર્ષદ મહેતા અને તેની વાત આજે પણ લોકોમાં મીડિયા અને ફિલ્મોના કારણે જીવંત છે. આ સ્થિતિમાં લોકોને તેમની વાતનું સત્ય કહેવા માટે આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.

    એક સમયે શેરબજારના બિગ બુલ તરીકે જાણીતા હર્ષદ મહેતાના પત્ની જ્યોતિ મહેતાએ જણાવ્યું હતું કે 30 ડિસેમ્બર, 2001ના રોજ રાત્રે લગભગ 11 વાગે અમને હર્ષદના મૃત્યુના સમાચાર મળ્યા. થાણે જેલમાં 54 દિવસની કસ્ટડી પછી મારા પતિનું અચાનક દુઃખદ અવસાન થયું. તે 47 વર્ષનો હતો અને સંપૂર્ણ સ્વસ્થ હતો. હર્ષદ મહેતાને હ્રદયરોગ સંબંધિત અગાઉ કોઈ સમસ્યા નહોતી. પોતાની પીડા વ્યક્ત કરતાં જ્યોતિ મહેતાએ કહ્યું છે કે અમે અમારા દુશ્મનોને પણ આવી સજા અને આવી દુ:ખદ મૃત્યુ ઈચ્છતા નથી.

    આ પણ વાંચો -આ કંપની સ્વ ખર્ચે કર્મચારીઓને લઇ ગઇ Bali, સોશિયલ મીડિયા પર લોકોએ પુછ્યુ 'વેકેન્સી છે?'

    હર્ષદને સાંજે સાત વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો, છતાં તેને ચાર કલાક સુધી હોસ્પિટલમાં લઈ જવામાં ન આવ્યો.

    જ્યોતિ મહેતાએ વેબસાઈટ પર એવું પણ લખ્યું છે કે હર્ષદનું મૃત્યુ થયું તે દિવસે સાંજે લગભગ 7 વાગ્યે હર્ષદને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ જેલ સત્તાવાળાઓએ તેની ફરિયાદને અવગણી હતી. હર્ષદે તેના હૃદયમાં થતી અસહ્ય પીડાની જાણ તેના નાના ભાઈ સુધીરને કરી, જે બાજુની જ સેલમાં હતા. ભાઈએ હર્ષદનો અવાજ સાંભળ્યો પણ તેને જોઈ શક્યો નહીં.

    જેલના ડોક્ટરો પાસે હાર્ટ એટેક સંબંધિત કોઈ દવા ન હતી


    જ્યોતિએ એમ પણ કહ્યું છે કે તે દિવસે હર્ષદને હાર્ટ એટેક આવ્યા બાદ જેલના ડોક્ટરોએ તેની તપાસ કરી હતી, પરંતુ તેમની પાસે હાર્ટ એટેક સંબંધિત કોઈ દવા નહોતી. જ્યોતિના જણાવ્યા મુજબ, હર્ષદે પોતે તેને સોર્બિટ્રેટ (દવા) આપવા વિનંતી કરી હતી, જે મેં 54 દિવસ પહેલા તેની ધરપકડ સમયે ઈમરજન્સી કીટમાં આપી હતી, જ્યારે તે જેલની કસ્ટડીમાં હતો. આ જ દવાના કારણે લગભગ 4 કલાક સુધી તેનો જીવ બચી ગયો.

    હાર્ટ એટેક આવ્યાના ચાર કલાક સુધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ન હતા


    જ્યોતિ મહેતાએ જેલ સત્તાવાળાઓ પર આરોપ લગાવ્યો છે કે જો તેઓ તેને આ ચાર કલાકમાં હોસ્પિટલ લઈ ગયા હોત તો તેનો જીવ બચી શક્યો હોત. તેમણે એમ પણ કહ્યું હતું કે છેલ્લી ઘડીએ પરિવારનો કોઈ સભ્ય હર્ષદ મહેતા સાથે નહોતો. જ્યોતિએ એ પણ ખુલાસો કર્યો કે 11 વાગ્યે હર્ષદને થાણેની હોસ્પિટલમાં લાંબા અંતર સુધી ચાલવાની ફરજ પડી હતી, જ્યાં કાર્ડિયોગ્રામે બીજા મોટા હાર્ટ એટેકની પુષ્ટિ કર્યા પછી તરત જ તે વ્હીલચેર પર મૃત્યુ પામ્યા હતા.

    આ પણ વાંચો -Crypto યુઝર્સ સાવધાન! અજાણી લિંક પર ક્લિક ન કરતા, યુટ્યુબ થકી ફેલાઈ રહ્યો છે ખતરનાક માલવેર

    મૃત્યુના સમાચાર જેલમાં રહેલા હર્ષદના ભાઈને આપવામાં આવ્યા ન હતા


    જ્યોતિએ કહ્યું કે હર્ષદના પરિવારજનોને વારંવાર માંગણી કરવા છતાં તપાસ રિપોર્ટ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તે જ સમયે તેના ભાઈ સુધીર (જે તે જ જેલમાં તેની બાજુના સેલમાં હતો)ને પણ હર્ષદને હોસ્પિટલ લઈ જવા વિશે જાણ કરવામાં આવી ન હતી, તેને બીજા દિવસે સવારે તેના ભાઈના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.
    First published:

    Tags: Harshad Mehta Scam

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો