Home /News /business /સાવધાન! દૂધમાં ભેળસેળ હશે તો માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે, IIT મદ્રાસે બનાવ્યું અનોખું ડિવાઇસ

સાવધાન! દૂધમાં ભેળસેળ હશે તો માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે, IIT મદ્રાસે બનાવ્યું અનોખું ડિવાઇસ

દેશના તમામ વર્ગો માટે દૂધને સૌથી આરોગ્યપ્રદ પીણું માનવામાં આવે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ના સંશોધકોએ દૂધની શુદ્ધતા ચકાસવા માટે એક અનોખું સંશોધન કર્યું છે. IIT મદ્રાસે ત્રિ-પરિમાણીય (3-D) કાગળ આધારિત પોર્ટેબલ ઉપકરણની શોધ કરી છે જે 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે છે.

વધુ જુઓ ...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ના સંશોધકોએ દૂધની શુદ્ધતા ચકાસવા માટે એક અનોખું સંશોધન કર્યું છે. IIT મદ્રાસે ત્રિ-પરિમાણીય (3-D) કાગળ આધારિત પોર્ટેબલ ઉપકરણની શોધ કરી છે, જે 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે છે. સંશોધકોના મતે, 'તેનું ઘરે જ પરીક્ષણ કરી શકાય છે અને આ ઉપકરણ યુરિયા, ડિટર્જન્ટ, સાબુ, સ્ટાર્ચ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ-હાઇડ્રોજન-કાર્બોનેટ, દૂધમાં મીઠું અને અન્ય ભેળસેળ શોધી શકે છે.' તમને જણાવી દઈએ કે દેશમાં ભેળસેળયુક્ત દૂધના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, સામાન્ય ગ્રાહકોને આ ઉપકરણથી ઘણી રાહત મળી શકે છે.

તમને જણાવી દઈએ કે દેશના તમામ વર્ગો માટે દૂધને સૌથી આરોગ્યપ્રદ પીણું માનવામાં આવે છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ, દૂધની શુદ્ધતા અંગે લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો છે. દિલ્હી, મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં ઓછી ઉપલબ્ધતાના કારણે બજારમાં મળતું દૂધ ભેળસેળયુક્ત હોય છે. સામાન્ય માણસ દૂધમાં આ ભેળસેળને ઓળખી શકતો નથી, જેના કારણે તેના પોષણ મૂલ્ય પર નકારાત્મક અસર થવાની સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ રમત રમાઈ રહી છે.

આ પણ વાંચો: ભારતીયો માટે સારા સમાચાર, H-1B વિઝાધારકોના જીવનસાથી પણ અમેરિકામાં કામ કરી શકશે

IIT મદ્રાસે અનોખી શોધ કરી


આવી સ્થિતિમાં, IIT મદ્રાસે 3D પેપર પર આધારિત પોર્ટેબલ ઉપકરણની શોધ કરી છે, જે માત્ર 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે છે. આ ટેસ્ટ તમે ઘરે પણ કરી શકો છો. આગામી દિવસોમાં સરકારની મંજૂરી બાદ આ ઉપકરણ તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવી શકાશે. આ ઉપકરણ દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ, સાબુ, સ્ટાર્ચ, હાઇડ્રોજન પેરોક્સાઇડ સહિત દૂધમાં કરવામાં આવતી કોઈપણ પ્રકારની ભેળસેળવાળી વસ્તુઓ શોધી શકે છે.

આ પણ વાંચો: PPFમાં રોકાણ કરો છો? જો આ ફંડા સમજી ગયા તો મેળવી શકશો જબરદસ્ત રિટર્ન

દૂધની ભેળસેળમાં ઘટાડો થશે


તાજેતરના વર્ષોમાં ખોરાકમાં ભેળસેળ સામાન્ય બની ગઈ છે. ખાદ્યપદાર્થો ભલે ચોખ્ખા હોય, પરંતુ ખરીદ્યા પછી પણ ભેળસેળનો ભય રહે છે. મોટા ભાગના લોકો બજારમાંથી દૂધ ખરીદે છે અને તેનું સેવન કરે છે, પરંતુ મનમાં એક શંકા હંમેશા રહે છે કે તેમણે ખરીદેલું દૂધ શુદ્ધ હશે કે નહિ?



જો કે, ગામડાઓથી લઈને શહેરો સુધી દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓમાં ભેળસેળ શોધવા માટે ઘણી પદ્ધતિઓ જણાવાઈ છે. ઉદાહરણ તરીકે, જો તમે દૂધમાં પાણીની ભેળસેળ શોધવા માટે દૂધના થોડા ટીપાંને સરળ સપાટી પર ડ્રોપ કરો છો અને જો ટીપું નિશાન છોડ્યા વિના ઝડપથી આગળ વધે છે, તો તેમાં પાણીની ભેળસેળ છે. પરંતુ જો દૂધ શુદ્ધ હોય, તો તે ટીપાં ધીમે ધીમે આગળ વધશે અને સફેદ ડાઘ છોડી જશે.
First published:

Tags: Business news, Engineering and Technology, IIT Madras, Innovation, Milk Business

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો