Home /News /business /અદાણી ગ્રુપે તેનો 20 હજાર કરોડનો FPO રદ કર્યો, પરત કરશે રોકાણકારોના પૈસા

અદાણી ગ્રુપે તેનો 20 હજાર કરોડનો FPO રદ કર્યો, પરત કરશે રોકાણકારોના પૈસા

અદાણી ગ્રુપનો મોટો નિર્ણય

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના સવાલો બાદ અદાણી ગ્રુપે એક મહત્વનું પગલું ભર્યું છે. હિંડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટમાં કંપની પર મોટા દેવાનો ઉલ્લેખ કરતા ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નવી દિલ્હી: અદાણી એન્ટરપ્રાઇઝે 20,000 કરોડની તેની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) રદ કરવાની જાહેરાત કરી છે. બુધવારે મોડી રાત્રે આની જાહેરાત કરતી વખતે, કંપનીએ કહ્યું કે, તે આ FPOના રોકાણકારોને તમામ પૈસા પરત કરશે.

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના સવાલો બાદ અદાણી ગ્રુપે એક મહત્વનું પગલું ભર્યું છે. હિંડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટમાં કંપની પર મોટા દેવાનો ઉલ્લેખ કરતા ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બજેટમાં 'વીમા પોલિસી' પર મોટો ફટકો! જો તમને ટેક્સ ફ્રી રિટર્ન જોઈતું હોય તો આ પોલિસી ન ખરીદો

અદાણી ગ્રૂપે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, 'કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, તેની આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાયેલી બેઠકમાં તેના ગ્રાહકોના હિતમાં આંશિક રીતે પેડ-એપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 20,000 કરોડ રૂપિયા સુધીના FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.



અદાણી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, દિવસના ટ્રેડિંગ દરમિયાન ગ્રૂપના શેરમાં વોલેટિલિટી વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌતમ અદાણીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'બોર્ડ અમારા FPO પ્રત્યેના તમારા સમર્થન અને પ્રતિબદ્ધતા માટે તમામ રોકાણકારોનો આભાર માનીએ છીએ. FPO માટે સબસ્ક્રિપ્શન ગઈકાલે સફળતાપૂર્વક બંધ થયું હતું. પાછલા અઠવાડિયા દરમિયાન શેરમાં અસ્થિરતા હોવા છતાં, કંપની તેના વ્યવસાય અને તેના સંચાલનમાં તમારો શ્રદ્ધા અને વિશ્વાસ અત્યંત આશ્વાસન આપનારો અને નમ્ર રહ્યો છે. આભાર.'

આ પણ વાંચો:  આ સ્કીમમાં ડિપોઝિટની મર્યાદા વધી, એકવાર પૈસા જમા કરો, દર મહિને મળશે ઇનકમ

ગૌતમ અદાણીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, 'જો કે, આજે બજાર અભૂતપૂર્વ રહ્યું હતું અને દિવસ દરમિયાન અમારા શેરના ભાવમાં વધઘટ જોવા મળી હતી. આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને, કંપનીના બોર્ડને લાગ્યું કે આ FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. રોકાણકારોના હિત સર્વોપરી છે અને તેથી તેમને કોઈપણ સંભવિત નાણાકીય નુકસાનથી બચાવવા માટે, બોર્ડે FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.
First published:

Tags: Adani Group, Business news, FPO

विज्ञापन