Home /News /bhavnagar /શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલવામાં આવ્યાં, સર્જાયા રમણીય દ્રશ્યો, જુઓ વીડિયો

શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલવામાં આવ્યાં, સર્જાયા રમણીય દ્રશ્યો, જુઓ વીડિયો

શેત્રુંજી ડેમ 34 ફુટે ઓવરફલો થયો છે.

શેત્રુંજી નદી કાંઠાના ખાસ કરીને તળાજા વિસ્તારના શેત્રુંજી નદી આસપાસના ગામડાઓમાં વસતા લોકોને સાવચેત રાખવા વહીવટીતંત્ર સાબદુ થયું છે.

ભાવનગર: ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી નદી કાંઠાના ખાસ કરીને તળાજા વિસ્તારના શેત્રુંજી નદી આસપાસના ગામડાઓમાં વસતા લોકોને સાવચેત રાખવા વહીવટીતંત્ર સાબદુ થયું છે.

શેત્રુંજી જળાશયમાં પાણીની સપાટી મહત્ત્મ થઇ જતા શેત્રુંજી નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારનાં ગામો ખાસ કરીને પાલિતાણા તાલુકાનાનાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, તથા તળાજા તાલુકાના માઇધાર, મેઢા, દાત્રડ, પીંગળી, ટીમાણા, રોયલ, માખણીયા, ગોરખી, તરસરા, લીલીવાવ, સરતાનપર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેરકરવામાં આવેલ છે. લોકોને શેત્રુંજી નદીના પટના વિસ્તારમાં ન જવા તથા અન્ય સલામત વિસ્તારમાં ખસી જવા ખાસ સુચના આપવામાં આવી છે.


નર્મદા ડેમ પણ પૂર્ણ કક્ષાએ પહોંચ્યો


ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.
First published:

Tags: Gujarat monsoon 2022, ગુજરાત, ભાવનગર, હવામાન