Home /News /bhavnagar /Bhavnagar : મગફળીનાં ભાવમાં તેજી, મણનાં 1446 રૂપિયા બોલાયા, ડુંગળીને લઇ આ નિર્ણય લેવાયો

Bhavnagar : મગફળીનાં ભાવમાં તેજી, મણનાં 1446 રૂપિયા બોલાયા, ડુંગળીને લઇ આ નિર્ણય લેવાયો

X
મહુવા

મહુવા યાર્ડમાં મગફળીની સારી આવક થઇ રહી છે. મગફળીનાં મણનાં 1000 રૂપિયાથી લઇને 1446 રૂપિયા સુધીનાં ભાવ રહ્યાં છે. માવઠાની આગાહીનાં પગલે ડુંગળીની ઉભા વાહનમાં હરરાજી થશે.

મહુવા યાર્ડમાં મગફળીની સારી આવક થઇ રહી છે. મગફળીનાં મણનાં 1000 રૂપિયાથી લઇને 1446 રૂપિયા સુધીનાં ભાવ રહ્યાં છે. માવઠાની આગાહીનાં પગલે ડુંગળીની ઉભા વાહનમાં હરરાજી થશે.

    Dhruvik gondaliya, Bhavnamgar: ભાવનગર જિલ્લામાં મગફળી, તલ,ચણા, જીરું, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ચણા, જીરું  અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના 1000 રૂપિયાથી લઈને 1446 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
    આ જણસીનાં આટલા ભાવ રહ્યાં
    હુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 40000 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 87 રૂપિયા અને ઉંચા ભાવ 147 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 87536 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 188 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 247 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 1135 કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ 426 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 825 રૂપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 43992 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 542 રહ્યા હતા અને ઉંચા ભાવ 1842 રૂપિયા રહ્યા હતા.સફેદ તથા કાળા તલના 3 કટ્ટાની આવક થઈ હતી. જેના નીચા ભાવ 2499 રૂપિયા અને ઉંચા ભાવ 2501 રૂપિયા રહ્યા હતા.



    ડુંગળીની ઉભા વાહનમાં ખરીદી થશે
    માવઠાની આગાહીનાં પગલે આવતીકાલ તા.21/3/23 મંગળવાર ત્થા તા.22/3/23 બુધવારનાં રોજ (2 દિવસ) માટે સફેદ ડુંગળીની હરરાજી ઉભા વાહનોમાં થશે. લાઈનસર ઉભા રાખવાનાં રહેશે. તેમજ વાહનો સંપુર્ણપણે ઢાંકીને સુરક્ષીત રાખવાનાં રહેશે. જેની સંપર્ણ જવાબદારી માલ લાવનારની રહેશે.
    First published:

    Tags: Bhavnagar news, Local 18