ભાવનગર: ભાવનગર ખાતે યોજાયેલી પ્રેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે ટિપ્પણી કરી હતી. ભાજપના સમાન નાગરિક ધારાના પ્રસ્તાવની જાહેરાત પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ચૂંટણી હોવાથી ભાજપે આ મુદ્દો આગળ કર્યો છે. ભાજપની નિયત ખરાબ છે, જો સિવિલ કોડનો નિયમ લાગુ પાડવો હોય તો આખા દેશમાં પાડવો જોઈએ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપ ડરી ગયું છે માટે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો આગળ કર્યો છે.
કોળી સમાજના દિગ્ગજ ચહેરો રાજુ સોલંકી વિધિવત રીતે જોડાયા
ભાવનગરમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી પ્રેસમાં કોળી સમાજના દિગ્ગજ ચહેરો એવા રાજુ સોલંકી વિધિવત રીતે જોડાયા હતા. કેજરીવાલ અને પંજાબના સી.એમ ભગવત માનની હાજરીમાં તેમણે આપનો ખેસ ધારણ કર્યો હતો. શહેરના નીલમબાગ પેલેસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જોડાવાની જાહેરાત થઈ હતી. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા વીરમાધાતા સંગઠનના અધ્યક્ષ રાજુ સોલંકી પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ત્યારે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી અને રાજુ સોલંકી વચ્ચે વિધાનસભા બેઠકમાં જંગ જામી શકે છે.
ભાજપના સમાન નાગરિક ધારાના પ્રસ્તાવની જાહેરાત પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી,
ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ પક્ષોના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આજે ભાવનગરમાં પણ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીકના દિવસોમાં જાહેર થવાની છે ત્યારે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે 'આપ'ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગર શહેરની નિલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. કોળી સમાજના આગેવાન રાજુ સોંલકીએ કહ્યું કે, બે-બે મુખ્યમંત્રીના હસ્તે હું આપમાં જોડાયો છું એ ગર્વની બાબત છે. કેજરીવાલે દિલ્હીમાં જે ગેરેન્ટીઓ આપી હતી તે પૂરી કરી છે તેમજ પંજાબમાં પણ જે ગેરેન્ટી આપી છે તે પૂરી કરી છે. યુવાનનો માટે દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું સહિત અનેક યોજનાઓ હોય તેમજ અનેક ગેરન્ટીઓ જે કેજરીવાલે આપી છે તે પુરી કરી છે.
પાલિતાણાના ગારિયાધારમાં આજે બપોરે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સયુંકત જનસભાને સંબોધિત કરશે. નીલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકણ દરમિયાન બીજા પક્ષો સાથે બેઠકો થઈ હતી. જેને લઈ ભાવનગર રાજકારણ ગરમાયુ છે, આજે ભાવનગર ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પત્રકાર પરિષદ યોજી હતી. ભાવનગર કોળી સમાજના આગેવાન એવા રાજુ સોલંકી અરવિંદ કેજરીવાલના હાથે ખેસ ધારણ કરી આપમાં વિધિવત રીતે જોડાયા છે. ભાવનગરમાં આવતાની સાથે જ રાજકારણમાં ગરમાયું હતું. અનેક હસ્તીઓ આપમાં જોડાઈ શકે છે તેવી અટકાળો લગાવવામાં આવી રહી છે.